અગ્નિપથ વીર યોજના હેઠળ ગુજરાતમાં ભરતી પ્રક્રિયાનો પ્રારંભ

 અમદાવાદઃ ભારતીય સેનાએ અગ્નિવીરો, જુનિયર કમિશન્ડ ઓફિસર્સ અને અન્ય શ્રીણીની ભરતી કરવા માટેની પ્રક્રિયામાં પહેલા તબક્કામાં ફેરફાર કર્યો છે. રાજ્ય માટે અગ્નિવીર રિક્રૂટમેન્ટ રેલી 2023-24 માટે યોગ્ય નોંધાયેલા ઉમેદવારો માટે ઓનલાઇન કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE) અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગર સહિત 12 પરીક્ષા કેન્દ્રોમાં શરૂ થઈ ગઈ છે, જે પરીક્ષા 26 એપ્રિલ સુધી લેવામાં આવશે.

શિક્ષણ મંત્રાલય હેઠળની મિની રત્ન કંપની એજ્યુકેશન કન્સલ્ટન્સી સર્વિસિસ ઇન્ડિયા લિમિટેડની મદદથી ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી છે.

દેશમાં યુવાઓમાં ટેક્નોલોજીને લઈને ઘણો સુધારો થયો છે અને નેટવર્ક કનેક્ટિવિટી અને સ્માર્ટફોનના વપરાશને લીધે યુવાઓ પરીક્ષાઓ માટે  લાંબા અંતરના પ્રવાસ ખેડવાને બદલે ઓનલાઇન પરીક્ષાઓ આપવા માંડ્યા છે. આ બદલાયેલી કાર્ય પદ્ધતિને લીધે યુવાઓની જ્ઞાનશક્તિના પાસા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને પસંદગી પ્રક્રિયામાં થતી ગેરરીતિઓની શક્યતાઓને અટકાવશે. એની દેશમાં વ્યાપક પહોંચ હશે અને ભરતી પ્રક્રિયામાં દેખાતી મોટી ભીડને ઓછી કરવા માટે વહીવટી અને સંચાલન કરવામાં સરળતા લાવશે.

આ નવી ભરતી પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂરી કરવામાં આવશે. પહેલા તબક્કામાં બધા ઉમેદવારો કે જેમણે રજિસ્ટ્રેશન અને અરજી કરી છે- તેમણે ઓનલાઇન કોમન એન્ટ્રન્સ એક્ઝામમાંથી પસાર થવાનું રહેશે. બીજા તબક્કામાં પસંદ થયેલા ઉમેદવારોને જૂન, 2023થી ભરતી ઓફિસ દ્વારા નક્કી કરવામાં આવેલાં સ્થળોએ બોલાવવામાં આવશે અને ત્રીજા તબક્કામાં ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે. ત્યાર બાદ સફળ ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવશે. આ ભરતી પ્રક્રિયાને વધુ યોગ્ય અને પારદર્શી બનાવવામાં આવશે અને એને દેશમાં ભરતી કરતી વખતે લાગુ કરવામાં આવશે.