પરંપરાગત કલાકારોનો હુન્નર મહોત્સવ

અમદાવાદઃ દિવાળીના દિવસોની ઉજવણી માટે ખરીદી માટે બજારોમાં ભીડ જામતી જાય છે. શહેરના વલ્લભ સદનની પાછળના ભાગે આવેલા રિવરફ્રન્ટ પર દિવાળીના તહેવાર પહેલાં ‘હુન્નર મહોત્સવ’ને નામે પરંપરાગત કલાના કારીગરોની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે.

‘હુન્નર મહોત્સવ’ સાથે સંકળાયેલા કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘના હેતલ અમીન ચિત્રલેખા.કોમને કહે છે, દિવાળીના તહેવાર નિમિત્તે આ ‘હુન્નર મહોત્સવ’નું આયોજન કરવાનું મુખ્ય કારણ આપણી પરંપરાગત કલાના કારીગરોને પ્રોત્સાહન અને રોજગાર આપી શકાય. આધુનિક જમાનામાં કેટલીક લુપ્ત થતી આપણી સાંસ્કૃતિક ધરોહરરૂપી કલા-કારીગરીને બચાવી શકાય. ‘હુન્નર મહોત્સવ’માં હોમ ડેકોરની ચીજવસ્તુઓ, પરંપરાગત કલાત્મક વસ્તુઓ સાથે કલા ભોજન અને સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રકાશના આ પર્વ પહેલાં 25 કરતાં વધારે રાજ્યના કલાકારોએ રિવરફ્રન્ટ પર પોતાની કલા પ્રસ્તુત કરી રહ્યા છે.

અમદાવાદ શહેરના જુદાં-જુદાં બજારોમાં ચીજવસ્તુઓની જબરજસ્ત ખરીદી ચાલી રહી છે. આ સાથે શહેરમાં પરંપરાગત કલાના કારીગરોના હુન્નર મહોત્સવ જેવાં અનેક એક્ઝિબિશન ચાલી રહ્યાં છે

(પ્રજ્ઞેશ વ્યાસ)