ડો. મૃણાલી, ડો. રશ્મિનનું પુસ્તક ‘નેનો-ટેક્નોલોજી ઇન મેડિસિન’ પ્રકાશિત

ચાંગાઃ ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ચારુસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP)માં પ્રોફેસર ડો. મૃણાલી પટેલ અને પ્રોફેસર ડો. રશ્મિન પટેલે નિકોલસ કોપર્નિક્સ યુનિવર્સિટી-પોલેન્ડ અને સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીમાં બાયો-ટેકનોલોજી વિભાગમાં પ્રોફેસર મહેન્દ્ર રાયની સાથે મળીને તાજેતરમાં “નેનો-ટેકનોલોજી ઇન મેડિસિન-ટોક્સિસિટી એન્ડ સેફ્ટી” નામનું પુસ્તક લખ્યું છે, જે જોહ્ન વિલેય એન્ડ સન્સ લિમિટેડ, યુ. કે. (વિલેય બ્લેકવેલ) નામના પ્રકાશક દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં દવામાં વપરાતા નેનો-મટીરિયલ્સના ટોક્સિકોલોજીમાં સંપૂર્ણ સંશોધન કરવામાં આવ્યું છે.

આ પુસ્તકમાં નેનો-ટેક્નોલોજિસ્ટની નિષ્ણાત ટીમ દ્વારા ન્યુરો-ડીજનરેટિવ રોગો, કેન્સર, ડાયગ્નોસ્ટિક્સ, નેનો-ન્યુટ્રાસ્યુટિકલ્સ, ત્વચારોગ વિજ્ઞાન જનીન ઉપચાર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને દવામાં નેનો-ટેક્નોલોજીની વર્તમાન અને ભાવિ એપ્લિકેશનોની મજબૂત અને અદ્યતન સમીક્ષા કરવામાં આવી છે. આ પુસ્તકના સંપાદકો એવાં સંસાધનો પ્રદાન કરે છે જે નેનો-મટીરિયલ્સ સલામતીને સંબંધિત છે, અને આરોગ્ય સંભાળમાં નેનો-મેડિસિનના લાભો મેળવવા માટે સૌથી મોટા અવરોધક છે. આ પુસ્તકમાં નેનો-ટેક્નોલોજી નીતિશાસ્ત્ર અને નેનો ટેકનોલોજી અને દવાના નિયમનકારી માળખાનું ઊંડાણપૂર્વક વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

આ પુસ્તક સંશોધકો, પોસ્ટ-ડોક્ટરલ વિદ્યાર્થીઓ અને નેનોટેકનોલોજી, નેનોમટીરિયલ્સ અને નેનો-કેરિયર્સના ક્ષેત્રના નિષ્ણાતો માટે યોગ્ય ‘નેનો-ટેકનોલોજી ઇન મેડિસિન: ટોક્સિસિટી એન્ડ સેફ્ટી’પુસ્તક પણ નેનો-એન્જિનિયરિંગ, નેનો-મેડિસિન અને બાયો-ફાર્માસ્યુટિકલ પ્રોફેશનલ નેનો-બાયોલોજિસ્ટની લાઇબ્રેરીઓમાં અનિવાર્ય હિસ્સો સાબિત થશે.