હવે વિદ્યાર્થીઓ શાળામાં શ્રીમદ ભાગવત ગીતાના પાઠ સાંભળશે…

આધુનિક યુગ તરફ વધી રહેલા સમાજમાં આજે બાળકોમાં પણ ડિપ્રેશન અને ચિંતાના લક્ષણો જોવા મળે છે. મોબાઈલની ખોટી લતના કારણે અનેક બાળકો આત્મહત્યા સુધીના પ્રયાસો પણ કરે છે. સોશિયલ મીડિયા અને રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવા પેઢી સંસ્કાર અને સંસ્કૃતિથી દૂર થઈ રહી છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણધિકારીની કચેરી દ્ધારા શાળાના વિદ્યાર્થીઓને શ્રીમદ ભાગવત ગીતાના પાઠ શીખવીને જીવનની નવી રાહ ચિંધવાનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ્ઞાન અભ્યાસ સિવાયનું ધાર્મિક જ્ઞાન મળે એ માટે વિદ્યાર્થીઓ માટે શ્રીમદ ભાગવત ગીતાના પાઠ ઓડિયો ક્લિપ દ્ધારા શીખવવામાં આવે આવશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ શ્રીમદ ભાગવત ગીતાના કેટલાક પાઠ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે વિદ્યાર્થીઓને ઓડિયો ક્લિપ સ્વરૂપે પણ પાઠ શીખવામાં આવશે. એ માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ પરિપત્ર દ્ધાર સ્કૂલોને જાણ કરી છે. સ્કૂલો સ્વૈચ્છિક રીતે શ્રીમદ ભાગવત ગીતા સાથે જોડાણ કરી શકશે. નોંધનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા 108 ઓડિયો તૈયાર કરાવવામાં આવ્યા છે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના જણાણ્યા પ્રમાણે, “ભાગવત ગીતાના સ્વૈચ્છિક જોડાણ અંગે સ્કૂલોને જાણ કરી છે. આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી આજના દિવસથી જ વિદ્યાર્થીઓને પાઠ શીખવવામાં શરૂ કરવામાં આવ્યા છે. જે ઓડિયો તૈયાર કરવામાં આવ્યા છે એ ઓડિયો દ્વારા દર અઠવાડિયે એક શ્લોકનો અર્થ વિસ્તારથી 3 મિનિટમાં સમજાવવામાં આવશે. વિદ્યાર્થી ભાગવત ગીતામાંથી જીવન મૂલ્યો પણ શીખે તેવો આશય છે.”

ઉલ્લેખનીય છે કે આ પહેલા શ્રીમદ ભાગવત ગીતાના કેટલાક પાઠ વિદ્યાર્થીઓના અભ્યાસમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર ઓડિયો ક્લિપ દ્ધારા વિદ્યાર્થીઓને ગીતાના શ્લોકોનો અર્થ સમજાવવામાં આવશે.