ભાવનગરમાં વિશ્વનું પહેલું CNG ટર્મિનલ સ્થાપવા ગુજરાત સરકારે મંજૂરી આપી

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે ભાવનગરમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ટર્મિનલ સ્થાપિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ ટર્મિનલ સ્થાપવા માટે 1900 કરોડ રૂપિયાના મૂડીરોકાણનો પ્રસ્તાવ છે. સરકારે બ્રાઉનફીલ્ડ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ વિશ્વનું પહેલું CNG પોર્ટ ટર્મિનલ હશે. આ ટર્મિનલની વાર્ષિક ક્ષમતા 15 લાખ ટનની હશે.

આ ટર્મિનલને ડેવલપર્સના કોન્સોર્શિયમ દ્વારા વિકસિત કરવામાં આવશે, જેમાં પદ્મનાભ મફતલાલ ગ્રુપ અને એક નેધરલેન્ડ્સનું ગ્રુપ સામેલ હશે.

બ્રાઉનફીલ્ડ પોર્ટ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં 1300 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ભાવનગરને વિકસિત કરવાના મહત્ત્વાકાંક્ષી  મેગા પ્રોજેક્ટનો એક ભાગ છે, જ્યાં 45 લાખ કન્ટેનરની ક્ષમતાવાળી એક લિક્વિડ અને વાઇટ કાર્ગો ટર્મિનલની સાથે રો રો ફેરી સર્વિસ ટર્મિનલને પણ વિકસાવવામાં આવશે.

આ ટર્મિનલને વિકસિત કરવા માટે ચેનલ અને પોર્ટ બેઝિનમાં બે લોક ગેટોનું નિર્માણ કરવામાં આવશે. CNG પરિવહન માટે તટ પર માળખાકીયની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટને પગલે વાર્ષિક ભાવનગર પોર્ટની કાર્ગો ક્ષમતાને 90 લાખ ટન મેટ્રિક ટન (MMT) સુધી વધારવામાં આવશે.

ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં CNG અને LNG –બંને માટે (દહેજ અને હજીરામાં) ટર્મિનલ હશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટથી ભાવનગર અને એની આસપાસનાં ક્ષેત્રોના યુવાનોને લોજિસ્ટિક, ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગ ક્ષેત્રે મોટા પાયે નોકરીઓની તકો મળશે.