અભય મંગળદાસની જર્મનીના ‘ઓનરરી કોન્સ્યુલ’ તરીકે નિમણૂક

Germany appoints Abhay Kamal Mangaldas as Honorary Consul in Ahmedabad

23

અમદાવાદ: ભારત અને જર્મની વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી. ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીએ અભય કમલ મંગળદાસની ‘ઓનરરી કોન્સ્યુલ’ (માનદ કોન્સ્યુલ) તરીકે નિમણૂક કરી. આ નિમણૂક પશ્ચિમ ભારતના આર્થિક હબ ગણાતા ગુજરાત સાથે જર્મનીના રાજદ્વારી, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાના સંકલ્પને દર્શાવે છે.ગુજરાતમાં જર્મનીનું પ્રતિનિધિત્વ

માનદ કોન્સ્યુલ તરીકે અભય મંગળદાસ જર્મન અને ભારતીય સંસ્થાઓ વચ્ચે ગાઢ સહકાર સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત, તેઓ ગુજરાતમાં રહેતા અથવા મુલાકાતે આવતા જર્મન નાગરિકોને પસંદગીની કોન્સ્યુલર સેવાઓમાં પણ સહાય પૂરી પાડશે.

ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે નવી તકો

ભારતમાં જર્મનીના રાજદૂત ડૉ. ફિલિપ એકરમેને આ નિમણૂક અંગે જણાવ્યું કે, “અભય મંગળદાસની નિમણૂકથી ઉદ્યોગ, નવીનતા (ઇનોવેશન), શિક્ષણ, રિન્યુએબલ એનર્જી અને ટકાઉ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં જર્મની અને ગુજરાત વચ્ચેનો સહયોગ નોંધપાત્ર રીતે વધશે.”

મુંબઈ સ્થિત જર્મનીના કોન્સ્યુલ જનરલ ક્રિસ્ટોફ હેલિયરે ઉમેર્યું કે, અમદાવાદમાં માનદ કોન્સ્યુલની નિમણૂક એ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના વધતા મહત્વનું પ્રતીક છે.

અભય મંગળદાસની પ્રતિક્રિયા

નિમણૂક અંગે આનંદ વ્યક્ત કરતા અભય મંગળદાસે જણાવ્યું કે, “અમદાવાદમાં જર્મનીના માનદ કોન્સ્યુલ તરીકે સેવા આપવી એ મારા માટે ગૌરવની વાત છે. હું ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને ખાસ કરીને વેપાર તેમજ સંસ્કૃતિના ક્ષેત્રમાં નવી પહેલોને ટેકો આપવા માટે ઉત્સુક છું.”

અભય મંગળદાસ વ્યવસાયિક ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે અને સ્થાનિક સમુદાય સાથે તેમનું ઊંડું જોડાણ જર્મની-ગુજરાત વચ્ચેના સેતુ તરીકે અસરકારક સાબિત થશે.