જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા હતા. આ પછી, ફ્રેડરિક મેર્ઝ આજે સવારે 9:30 વાગ્યે પીએમ મોદી સાથે સાબરમતી આશ્રમ પહોંચ્યા. બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને રિવરફ્રન્ટ પણ જોશે. આ પછી, સવારે 11:15 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. અહીં ઉલ્લેખનિય છે કે, ફ્રેડરિક મેર્ઝ 12-13 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાત માટે પહોંચ્યા છે.
Today’s discussions with Chancellor Friedrich Merz will further energise the India-Germany partnership!@bundeskanzler@_FriedrichMerz pic.twitter.com/9QCGfVWGu3
— Narendra Modi (@narendramodi) January 12, 2026
પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે, જેણે તાજેતરમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. ગ્રીન એમોનિયા, સબમરીન સોદો, વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સંરક્ષણ અને સુરક્ષા, વિજ્ઞાન અને નવીનતા પર પણ ચર્ચા થશે.
Der Sabarmati Ashram ist ein eindrucksvolles Zeugnis der Ideale Mahatma Gandhis, die unzähligen Menschen auf der ganzen Welt Kraft gegeben haben.
Heute Morgen bin ich in Ahmedabad mit dem deutschen Bundeskanzler Friedrich Merz zum Sabarmati Ashram gegangen.@bundeskanzler… pic.twitter.com/gB00VaD0mK
— Narendra Modi (@narendramodi) January 12, 2026
ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે 25 મુખ્ય જર્મન કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ્સ સહિત એક વિશાળ વ્યાપારી પ્રતિનિધિમંડળ છે. જર્મની ભારતમાં નવમું સૌથી મોટું વિદેશી રોકાણકાર છે. ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય વેપાર $51.23 બિલિયન હોવાનો અંદાજ છે, જે ભારતના કુલ EU વેપારના આશરે 25 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. 2024-25માં સેવાઓનો વેપાર $16.65 બિલિયન હતો. એપ્રિલ 2000 થી જૂન 2025 સુધીમાં, જર્મનીથી ભારતમાં $15.40 બિલિયન FDI આવ્યું.




