આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન

મોહાલીઃ બોલીવુડ અભિનેતા બંધુઓ – આયુષમાન અને અપારશક્તિ ખુરાનાના પિતા પંડિત પી. ખુરાનાનું આજે અહીં એમના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ ઘણા સમયથી હૃદયની બીમારીથી પીડિત હતા.

પી. ખુરાના પ્રખ્યાત જ્યોતિષી અને અંકશાસ્ત્રી હતા. આયુષમાન અને અપારશક્તિ અવારનવાર એમના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર એમના પિતા સાથેની તસવીરો પોસ્ટ કરતા હતા અને માર્ગદર્શન આપવા બદલ એમનો આભાર માનતા રહ્યા છે. ફિલ્મલાઈનમાં પ્રવેશીને પોતે સપનું સાકાર કરી શક્યો એનો સંપૂર્ણ શ્રેય આયુષમાને એના પિતાને આપ્યો હતો.