રમઝાન ઈદ: મસ્જિદોમાં બંદગી સાથે ધામધૂમપૂર્વક ઉજવણી

અમદાવાદ: રમઝાન માસની આખરી તપશ્ચર્યા પછી શવ્વાલ માસની પહેલી તારીખે ઉજવાતું પર્વ એટલે રમઝાન ઈદ. ઈસ્લામ ધર્મના પવિત્ર રમઝાન મહિનામાં રોઝા, નમાઝ તેમજ ઈબાદત મુસ્લિમ બિરાદરો કરતાં હોય છે. સમગ્ર રમઝાન મહિનામાં રોઝા, ઈબાદત કર્યા બાદ ચાંદ દેખાતા જ ઈદની ઉજવણી કરવામાં આવે છે.

બુધવારે ચાંદ દેખાતા જ રમઝાન માસ પૂર્ણ થયો. ગુરુવારે વહેલી સવારથી જ જુદી-જુદી મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી.ઈદની નમાઝ અદા કર્યા પછી સૌ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. ઈદની આ ઉજવણીમાં શીર ખુરમાનું ખાસ મહત્વ હોય છે. બજારોમાં અવનવા ફ્લેવરમાં હવે તો શીર ખુરમાં મળત હોય છે. અમદાવાદ શહેરના મુસ્લિમ બિરાદરોના રહેણાંકની આસપાસ વિવિધ રંગોની સેવોનું મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું. બજારની ઈમારતો, સ્થાપત્યો, ઘરો પર રોશની જોવા મળી અને ઈદ નિમિત્તેની ખરીદી માટે બજારોમાં રોનક જોવા મળી હતી.

ઈદમાં ગરીબ, આનાથ અને વિધવાઓને આર્થિક મદદ કરવાથી રોઝા-નમાઝ કબુલ થવાની માન્યતા છે. ઈસ્લામમાં સહાય કરવાની ભાવના, ઐક્ય, ઈફ્તારી અને બંદગીનું અનોખું મહત્વ છે.

પ્રજ્ઞેશ વ્યાસ (અમદાવાદ)