અમદાવાદ: શહેરના સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલી લકુલીશ યોગ યુનિવર્સિટીએ ‘આંતરરાષ્ટ્રીય યોગા ડે ‘ નિમિત્તે યોગ સંગમ 2025ની ઉજવણી કરી હતી. યોગ, જીવન અને સંસ્કૃતિ મૂલ્યોનો તલસ્પર્શી અભ્યાસ કરાવતી કમળ આકારની અનોખી લકુલીશ યોગ યુનિવર્સિટીએ યોગ ક્ષેત્રે નામના મેળવી છે.
આ સાથે જાસપુર પાસે આવેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગા ડેની ઉજવણી કરવામાં આવી હતી.
આ ધાર્મિક આધ્યાત્મિક કેન્દ્રમાં યોજાયેલા યોગ ડે માં બ્રિગેડિયર પી.સી.વ્યાસ, આર.પી. પટેલ, દેવ પગલી, માહી પટેલ, તુષાર સાધુ તેમજ દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલ જોડાયા હતા.આ વર્ષે યોગા ડે 2025 એ ‘યોગા ફોર વન અર્થ, વન હેલ્થ’ થીમ પર ઉજવાય રહ્યો છે.
આજના દિવસનો મુખ્ય હેતુ આખાય વિશ્વના દરેક વ્યક્તિની સુખાકારી વધે અને શરીર સ્વસ્થ રહે એ માટેનો છે.
શહેરની યુનિવર્સિટીઓ, શાળાઓ, શૈક્ષણિક સંસ્થા, સંગઠનો અને બાગ બગીચામાં એકત્રિત થતાં ગૃપ દ્વારા 21મી જૂનની વહેલી સવારથી જ યોગા ડેની ઉજવણી કરવામાં આવી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
