મારા ખરાબ સમયમાં લોકો ખુશ થતા હતા પરંતુ.. : હાર્દિક પંડ્યા

2024ના T20 વર્લ્ડ કપ પહેલા હાર્દિક પંડ્યા માટે કંઈ સારું ચાલી રહ્યું ન હતું. તે અંદરથી ભાંગી પડ્યો હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. IPL 2024 દરમિયાન, ચાહકો ખુલ્લેઆમ તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા અને સતત તેને ટ્રોલ કરી રહ્યા હતા. ત્યારબાદ તેની પત્નીથી છૂટાછેડાના સમાચાર આવ્યા. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ ટીમમાં તેની પસંદગી પર સવાલો ઉઠી રહ્યા હતા. હવે ભારતે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ તમામ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Star Sports India (@starsportsindia)

હાર્દિકે પહેલા મેદાનમાં બોલ અને બેટથી જોરદાર પ્રદર્શન કરીને ટ્રોલ્સને શાંત કર્યા અને ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા પછી તેણે શબ્દોમાં જડબાતોડ જવાબ આપ્યો. ટાઇટલ જીત્યા બાદ હાર્દિકે કહ્યું કે, હું ગૌરવમાં માનું છું, જે લોકો મને એક ટકા પણ ઓળખતા નથી તેઓએ આટલું કહ્યું. લોકો બોલ્યા, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. હું હંમેશા માનું છું કે વ્યક્તિએ શબ્દોથી જવાબ ન આપવો જોઈએ. ખરાબ સમય કાયમ રહેતો નથી. ગરિમા જાળવવી મહત્વપૂર્ણ છે, પછી તમે જીતો કે હારો. ચાહકો અને દરેકે આ શીખવું પડશે (શિષ્ટતાથી જીવવું) આપણે સારું વર્તન જાળવી રાખવું જોઈએ.

હાર્દિકે છેલ્લી ઓવરમાં સાઉથ આફ્રિકાને 16 રન બનાવવા દીધા ન હતા. આ અંગે તેણે કહ્યું, “સાચું કહું તો, મને મજા આવી રહી હતી. બહુ ઓછા લોકોને આવી જીવન બદલી નાખનારી તકો મળે છે. આ પગલું બેકફાયર થઈ શકે છે, પરંતુ હું અડધો ભરેલો ગ્લાસ જોઉં છું, અડધો ખાલી નથી. હું દબાણ લઈ રહ્યો ન હતો. કારણ કે મને મારી આવડત પર વિશ્વાસ હતો આ ક્ષણ અમારા નસીબમાં લખેલી હતી.

આગામી ટી20 વર્લ્ડ કપ ભારતમાં છે અને હાર્દિક ભલે કેપ્ટન હોય, પરંતુ તે આટલું આગળનું વિચારી રહ્યો નથી. તેણે કહ્યું, 2026માં ઘણો સમય છે. હું રોહિત અને વિરાટ માટે ખૂબ જ ખુશ છું. ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ જેઓ આ જીતના હકદાર હતા. આ ફોર્મેટમાં તેમની સાથે રમવાની મજા આવી.