અમદાવાદ: શહેરના જગન્નાથ મંદિર પરિસરમાં ઉત્સવનો માહોલ છે. મંદિરની અંદર અને બહાર દર્શનાર્થે આવતા ભક્તો, સેવા માટે આવતા મંડળો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. જગન્નાથ મંદિરના સંકુલની બહાર ટેબલો મૂકી કેટલા લોકો મગ ભરેલી થેલીઓ અને ગોળ વેચતા જોવા મળ્યા.ટેબલો પર મગ, ગોળ અને લીલોછમ ચારો નાનાં ભૂલકાંઓ પણ વેચી રહ્યા છે.આ ચીજ વસ્તુઓનું વેચાણ કરતાં લોકોના જણાવ્યા પ્રમાણે ભગવાનને પ્રસાદ સ્વરૂપે આ મગ ગોળ ધરાવવામાં આવે છે.
જે રથયાત્રામાં પણ પ્રસાદરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. દર વર્ષે રથયાત્રામાં પ્રસાદરૂપે મગ, જાંબુ, કાકડી ખાસ આપવામાં આવે છે.ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીએ તો આ સમયમાં મગ એ શરીર માટે ઉત્તમ માનવામાં આવે છે. જગન્નાથ મંદિર બહાર મગ-ગોળનું વેચાણ, હાથી ગૌશાળામાં લીલું ઘાસ જરુરિયાત મંદોને રોજગાર અને ભક્તો માટે પુણ્યનું ભાથું..!
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
