NSEનો દ્વિતીય ક્વાર્ટરનો એકત્રિત ચોખ્ખો નફો 13% વધ્યો

મુંબઈ તા. 2 નવેમ્બર, 2023: દેશના અગ્રણી એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના 30 સપ્ટેમ્બર 2023એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે કોન્સોલિડેટેડ ધોરણે આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 13 ટકા વધીને રૂ.1,999 કરોડ થયો છે. ચોખ્ખા નફાનું માર્જિન 50 ટકાનું રહ્યું છે. એક્સચેન્જની કોન્સોલિડેટેડ કાર્યકારી આવક આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 24 ટકા વધીને રૂ.3,652 કરોડ થઈ છે, જેમાં ટ્રેડિંગની આવક ઉપરાંત અન્ય આવક જેવી કે ક્લિયરિંગ સર્વિસીસ, લિસ્ટિંગ સર્વિસીસ, ઈન્ડેક્સ સર્વિસીસ અને કોલોકેશન સર્વિસીસનો સમાવેશ થાય છે.

એનએસઈએ નાણાકીય વર્ષ 2024ના પ્રથમાર્ધ અંતે એસટીટી રૂપે રૂ.14,858, સ્ટેમ્પ ડ્યુટીરૂપે રૂ.1,156 કરોડ, જીએસટી રૂ.975 કરોડ, આવક વેરા રૂપે રૂ.1,252 કરોડ અને સેબીને રૂ.503 કરોડ એમ કુલ રૂ.1,744 કરોડનું યોગદાન રાષ્ટ્રની તિજોરીમાં આપ્યું છે.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ શેરદીઠ આવક પ્રથમ ત્રિમાસિક ગાળાના રૂ.35.83થી વધીને રૂ.40.38 થઈ છે.

એનએસઈમાં કેશ માર્કેટ્સમાં સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 40 ટકા વધીને રૂ.77,757 કરોડ રહ્યું છે, જ્યારે ઈક્વિટી ફ્યુચર્સમાં સરેરાશ દૈનિક વોલ્યુમ ચાર ટકા વધીને રૂ.1,23,019 કરોડ પર પહોંચ્યું છે.

સ્ટેન્ડએલોન ધોરણે કુલ કાર્યકારી આવક આગલા વર્ષના સમાન ગાળાના રૂ.2,770 કરોડની તુલનાએ 22 ટકા વધીને રૂ.3,386 કરોડ થઈ છે. સ્ટેન્ડએલોન ધોરણે એનએસઈનો કુલ ખર્ચ 13 આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 135 ટકા વધીને રૂ.1,623 કરોડ થયો છે. આમાંથી આશરે 50 ટકા એટલે કે રૂ.804 કરોડનો ખર્ચ સેબી ટર્નઓવર ફી, આઈટીએફટીમાં અને કોર એસજીએફના કોન્ટ્રિબ્યુશનરૂપે થયો છે.

કાર્યકારી ઘસારો, કરવેરા અને વ્યાજખર્ચ પૂર્વેના નફાનું માર્જિન આગલા વર્ષના સમાન ગાળાના 78 ટકાથી ઘટીને 54 ટકા થયું છે.

એનએસઈનો વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાનો સ્ટેન્ડ એલોન નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.1535 કરોડની તુલનાએ 2 ટકા વધીને રૂ.1,562 કરોડ થયો છે, જે 42 ટકાનું માર્જિન દર્શાવે છે.