પ્રાર્થના સભામાં પહોંચી શત્રુઘ્ન સિન્હાએ સતીષ શાહને આપી શ્રદ્ધાંજલિ

બોલિવૂડ અભિનેતા સતીશ શાહનું 25 ઓક્ટોબરના રોજ અવસાન થયું. સોમવારે તેમના ઘરે પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં શત્રુઘ્ન સિંહા અને રાકેશ રોશન સહિત બૉલિવૂડ જગતની નામી હસ્તીઓ હાજર રહ્યા હતા.

સતીષ શાહની પ્રાર્થના સભાનું આયોજન( Photo: Deepak Dhuri)

પીઢ અભિનેતા સતીશ શાહનું 25 ઓક્ટોબરના રોજ કિડની સંબંધિત ગૂંચવણોને કારણે 74 વર્ષની વયે અવસાન થયું હતું. એવું બહાર આવ્યું હતું કે સતીશ શાહનું આ વર્ષની શરૂઆતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું કારણ કે તેઓ પોતાના જીવનને લંબાવવા માંગતા હતા જેથી તેઓ તેમની પત્ની મધુની સંભાળ રાખી શકે,જે અલ્ઝાઈમર રોગ સામે ઝઝૂમી રહી છે. સોમવારે સાંજે મુંબઈમાં સતીશ શાહ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સતીશના સારાભાઈ વર્સિસ સારાભાઈના સહ-અભિનેતા દેવેન ભોજાણી પણ પ્રાર્થના સભા તરફ ચાલતા જોવા મળ્યા હતા. સભામાં પ્રવેશતા જ સતીષ શાહની પત્ની મધુ શોકગ્રસ્ત અને ભાવુક દેખાઈ રહ્યા હતા. રાકેશ રોશન અને શત્રુઘ્ન સિંહા પણ જોવા મળ્યા હતા.

Photo: Deepak Dhuri

આ સિવાય પ્રાર્થનાસભામાં જેડી મજેઠીયા, રૂપાલી ગાંગુલી, રત્ના પાઠક શાહ, સુરેશ વાડકર અને સોનુ નિગમે પણ હાજરી આપી હતી. સોનુ નિગમે સતીષ શાહના પત્ની માટે એખ ભાવુક ગીત પણ ગાયુ હતું. આ સમય દરમિયાન મોહાલ બહુ લાગણીશીલ બની ગયો હતો.

Photo: Deepak Dhuri

સતીશ શાહના લગ્નજીવનની વાત કરીએ તો પહેલી વાર તે સિપ્ટા ફિલ્મ ફેસ્ટિવલમાં મધુ શાહને મળ્યા હતા, જ્યાં તેમને તરત જ પ્રેમ થઈ ગયો હતો. જોકે, મધુએ તેમનો પહેલો પ્રસ્તાવ નકારી કાઢ્યો હોવાનું કહેવાય છે. સતીશે સાથ સાથ (1982) ના શૂટિંગ દરમિયાન ફરી પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ ફરી એકવાર તેમને નકારી કાઢવામાં આવ્યા હતા. પરંતુ તેમની જીદ આખરે રંગ લાવી. તેમના ત્રીજા પ્રસ્તાવ પર, મધુએ તેમને તેમના માતાપિતાને મળવા કહ્યું. તેમના માતાપિતાના દિલ જીત્યા પછી, બંનેએ સગાઈ કરી અને માત્ર આઠ મહિના પછી 1972માં લગ્ન કરી લીધા. ત્યારથી આ દંપતી સાથે છે અને તેમણે તેમના અંગત જીવનને જાહેર નજરથી દૂર રાખવાનું પસંદ કર્યું છે.

કિડની ફેલ્યોરથી અવસાન
સતીશ શાહનું શનિવારે મુંબઈમાં કિડની ફેલ્યોરથી અવસાન થયું. તેઓ 74 વર્ષના હતા. તેમના મેનેજરે જણાવ્યું હતું કે અભિનેતા તેમના મુંબઈના નિવાસસ્થાને બપોરનું ભોજન કરતી વખતે પડી ગયા હતા. તેમને હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેઓ બચી શક્યા ન હતા. રવિવારે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના પરિવાર અને ફિલ્મ ઉદ્યોગના સાથીદારો તેમને વિદાય આપવા માટે ભેગા થયા હતા.