આસામમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી

આસામની ભાજપ સરકારે ફોરેનર્સ ટ્રિબ્યુનલ દ્વારા “ગેરકાયદેસર વિદેશી” જાહેર કરાયેલા લોકોની ઓળખ અને પરત ફરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. સરકાર આ જાહેર કરાયેલા વિદેશી નાગરિકોને ભારત-બાંગ્લાદેશ સરહદના નો-મેન્સ લેન્ડ (નિર્જન વિસ્તાર)માં બળજબરીથી ધકેલી રહી છે. 27 અને 29 મેના રોજ આસામના પશ્ચિમ અને દક્ષિણ ભાગોમાંથી ઓછામાં ઓછા 49 લોકોને કથિત રીતે ધકેલી દેવામાં આવ્યા હતા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ પછી, ઓછામાં ઓછા ત્રણ અરજદારોએ સુપ્રીમ કોર્ટ અને ગુવાહાટી હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરી છે, જેમાં તેમના પરિવારો વિશે માહિતી માંગવામાં આવી છે અને આ અભિયાન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ શુક્રવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ટ્રિબ્યુનલ દ્વારા વિદેશી જાહેર કરાયેલા 30,000 લોકો ‘ગાયબ’ થઈ ગયા છે. NRC અપડેટ દરમિયાન પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી, હવે અમે તેને ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે. જાહેર કરાયેલા વિદેશીને મળતાં જ અમે કાયદા મુજબ કાર્યવાહી કરી રહ્યા છીએ.