ભાવનગર: મહાભારતની કથામાં આપણે જાણીએ છીએ તે મુજબ ધૃતરાષ્ટ્ર અંધ હતા જ્યારે ગાંધારી દ્રષ્ટિ ધરાવતા હતા. પતિની પીડામાં સહભાગી થવા ગંધારી એ પણ આંખે પાટા બાંધી લીધા. આ ઘટના હજારો વર્ષ પૂર્વેની અને પતિ પત્નીના સંબંધોની વાત છે જ્યારે આવી ઘટના આજે પણ બને ત્યારે સઆનંદ આશ્ચર્ય થાય. પ્રજ્ઞાચક્ષુઓના એક કાર્યક્રમમાં ભાવનગરના કલેકટરે આંખે પાટા બાંધીને સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપી દૃષ્ટિહીનોની પીડાનો અનુભવ કર્યો. બાહ્ય દેખીતી શક્તિને પ્રગટ કરવાને બદલે અંતરની શક્તિ દ્વારા લક્ષ્ય સુધી પહોંચવા આહ્વાન કરી, 1 જૂન 2025ના રોજ દીપ પ્રાગટ્ય દ્વારા શ્રી અંધ અભ્યુદય મંડળનાં ૬૫ માં વાર્ષિક અધિવેશનનો ભાવનગર જિલ્લા કલેકટર ડો.મનીષકુમાર બંસલે આરંભ કરાવ્યો હતો.
તેમના ઉદબોધનમાં તેમણે પોતાની આપવીતી જણાવી બાહ્ય શક્તિને બદલે અંતર શક્તિને પામી આંખે પટ્ટી બાંધી તેમણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રજ્ઞાચક્ષુઓની પીડા પામવા પ્રયાસ કરી આમ સમાજ માટે એક પ્રેરક દાખલો બેસાડ્યો હતો.
(જયેશ દવે- ભાવનગર)
