પહલગામમાં થયેલા હુમલા બાદ ભારતે કડક કાર્યવાહી કરી હતી. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી ગયો છે. અમેરિકાએ તેના નાગરિકો અને દૂતાવાસના અધિકારીઓ માટે એક એડવાઈઝરી પણ જાહેર કરી છે. તેમણે અમેરિકન લોકોને લાહોર છોડી દેવાની અપીલ કરી છે. ઉપરાંત, દૂતાવાસે તેના અધિકારીઓને સલામત સ્થળે રહેવાની સૂચના આપી છે. ભારતે લાહોર અને પાકિસ્તાનના અન્ય શહેરોમાં ડ્રોન હુમલા કરીને બદલો લીધો, જેના કારણે પડોશી દેશમાં ગભરાટ ફેલાયો.
Due to reports of drone explosions, downed drones, and possible airspace incursions in and near Lahore, the U.S. Consulate General in Lahore has directed all consulate personnel to shelter-in-place. The Consulate has also received initial reports that authorities may be… pic.twitter.com/9xgsDFpCql
— IANS (@ians_india) May 8, 2025
લાહોર અને તેની આસપાસ ડ્રોન વિસ્ફોટો, તોડી પાડવામાં આવેલા ડ્રોન અને સંભવિત હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરીના અહેવાલોને કારણે, લાહોરમાં યુએસ કોન્સ્યુલેટ જનરલે તમામ કોન્સ્યુલેટ કર્મચારીઓને સુરક્ષિત સ્થળોએ રહેવા નિર્દેશ આપ્યો છે. કોન્સ્યુલેટને પ્રારંભિક અહેવાલો પણ મળ્યા છે કે અધિકારીઓ લાહોરના મુખ્ય એરપોર્ટને અડીને આવેલા કેટલાક વિસ્તારોને ખાલી કરાવી શકે છે.
