નવી દિલ્હીઃ એવિયેશન કંપની એર ઇન્ડિયા 21 જૂનથી 15 જુલાઈ સુધીમાં પ્રતિ સપ્તાહે 38 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં કાપ મૂકશે અને ત્રણ વિદેશી રૂટ પર સર્વિસ સસ્પેન્ડેડ રહેશે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વ્યવસ્થાથી ઝઝૂમી રહેલી ટાટા ગ્રુપની માલિકીની કંપની એરલાઈન્સ સુરક્ષા મામલે અત્યંત સજાગ બની છે. સુરક્ષા અને પ્રતિબંધોને ધ્યાનમાં લેતાં એર ઈન્ડિયાએ આજે આઠ ફ્લાઈટ રદ કરી છે. જેમાં ચાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ અને ચાર ડોમેસ્ટિક ફ્લાઈટ સામેલ છે.
કંપની દ્વારા રદ કરવામાં આવેલી ફ્લાઈટ્સ ચેન્નઈ, દિલ્હી, દુબઈ, મેલબર્ન, પુણે, અમદાવાદ, હૈદરાબાદ, અને મુંબઈથી ઉડાન ભરવાની હતી. આ ફ્લાઈટ કેન્સલ થતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
એરક્રાફ્ટની ટેક્નિકલ ચકાસણી, ખરાબ હવામાન અને એરસ્પેસના પ્રતિબંધોને ધ્યાનમાં લેતાં એર ઈન્ડિયાએ આઠ ફ્લાઈટ રદ કરી હોવાનું જણાવ્યું છે. એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું કે, એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ દુબઈથી ચેન્નઈ AI906, દિલ્હીથી મેલબર્ન AI308, અને AI309 મેલબર્નથી દિલ્હીની ફ્લાઈટ રદ કરવામાં આવી છે.
STORY | Air India cancels 8 flights, 4 of them international services
READ: https://t.co/uzIbSWKeZv pic.twitter.com/MuNLPtmqBF
— Press Trust of India (@PTI_News) June 20, 2025
ચાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ કેન્સલ
- AI906 દુબઈથી ચેન્નઈ
- AI308 દિલ્હીથી મેલબર્ન
- AI309 મેલબર્નથી દિલ્હી
- AI2204 દુબઈથી હૈદરાબાદ
ચાર ડોમેસ્ટિક ફ્લાઈટ કેન્સલ
- AI878 પુણેથી દિલ્હી
- AI456 અમદાવાદથી દિલ્હી
- AI571 ચેન્નઈથી મુંબઈ
- AI2872 હૈદરાબાદથી મુંબઈ
અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટ પણ કેન્સલ
એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા મેઇનટેનન્સ ઓપરેશનલ કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઈન કંપનીએ જણાવ્યું હતું કે જે લોકોની મુસાફરી પ્રભાવિત થઈ છે, તેમને સંપૂર્ણ રિફંડ અને રિશિડ્યુલિંગની સુવિધા મળશે તેમ જ વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ અસુવિધા બદલ ખેદ છે. અમારો સ્ટાફ વૈકલ્પિક હવાઈ મુસાફરીની સુવિધા આપવા માટે તત્પર છે.
