અમદાવાદ: અમિત શાહના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં 1600થી વધુ વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે ત્યારે સૌપ્રથમ કાર્યક્રમ અમદાવાદની સોલા સાયન્સ સીટી ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકાનું મહાસંમેલન યોજાયું હતું જેમાં ગૃહપ્રધાન ઉપસ્થિત રહ્યા. તેમજ બપોરે મહેસાણાના સાદરા અને ગોજારીયા ખાતે વિવિધ લોકાર્પણ કરાયા. ત્યારે ગૃહપ્રધાને ગુજરાતની જનતાને શું મેસેજ આપ્યો છે જાણીએ.

સહકાર યુનિવર્સિટી માટે ગુજરાતે લીડ લેવાની જરૂર: અમિત શાહ

અમિત શાહે સવારે સાયન્સ સીટી ખાતે સહકારી મહાસંમેલન આગેવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે સહકારી માળખાને મજબૂત કરવાની ખૂબ જરૂર છે. સરકારી સહકાર કરવામાં આવે દરેક સભાસદ મંડળીઓ અને સંસ્થાઓનું બેન્ક એકાઉન્ટ ડીસ્ટ્રીક ઓપરેટિવ બેન્કમાં હોવું જોઈએ. સહકાર યુનિવર્સિટી માટે ગુજરાતે લીડ લેવાની જરૂર છે. ડેરી માટે જોઈતા દરેક સાધનો કો-ઓપરેટીવ સંસ્થાઓ મારફતે કરવામાં આવશે. આ સાથે સહકારી મંડળીના તમામ સભાસદોને મહા સંમેલનમાં ભાગ લેવા બદલ પાણીના જગ ભેટ આપવામાં આવ્યા હતા.

આજે દરેક નાગરિક પાસે 5 લાખ રૂપિયાનું આરોગ્ય કાર્ડ છે

આજે બપોરે મહેસાણાના ગોજારીયા ખાતે જૂની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોનો રીનોવેશન કરતી વખતે ગૃહપ્રધાને જણાવ્યું હતું કે આજે હું 39મી હોસ્પિટલમાં આવ્યો છું જેને એક કરોડ રૂપિયા આયુષ્યમાન યોજનાથી મળે છે આવી હોસ્પિટલોને આયુષ્યમાન કાર્ડ યોજના સંલગ્ન હોસ્પિટલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એક સમય હતો જ્યારે સરકારી હોસ્પિટલો ખૂબ ઓછી હતી એ વખતે દેશભરની આરોગ્ય સેવા ખાસ કરીને ગામડાની આરોગ્ય સેવા સખાવતી હોસ્પિટલો પર નિર્ભર હતી. દાનના આધારે લોકોના આરોગ્યની સાર સંભાળ લેવામાં આવતી હતી. જોકે બધી હોસ્પિટલ ધીરે ધીરે ક્ષીણ થઈ ગઈ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક યોજના લઈને આવ્યા આયુષ્યમાન ભારત યોજના, આ યોજના આવ્યા પછી દરેક નાગરિક પાસે ₹5,00,000નું એક કાર્ડ છે જેના કારણે તમામ હોસ્પિટલો ફરી ધમધમતી થઈ અને રાજ્યના નાગરિકોને સરકારની સેવાનો બહોળો લાભ મળ્યો છે. આ કાર્યક્રમ બાદ અમિત શાહે ગોઝારીયાથી કે પટેલ નર્સિંગ કોલેજનું ઉદઘાટન પણ કર્યું હતું.

વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

મહેસાણા બાદ સાંજે 5 વાગે અમિત શાહ વિવિધ વિકાસ કામનું લોકાર્પણ કર્યું જેમાં નારણપુરા પલ્લવ બ્રિજ, જોધપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, ચાંદલોડિયા ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, RTO પાસે પિંક ટોયલેટ, વેજલપુરમાં બુટ ભવાની મંદિર પાસે કડિયા નાકુ, બોપલ ડ્રેનેજ પંપીંગ સ્ટેશન, થલતેજમાં સિનિયર સિટીઝન પાર્ક, મકરબા થલતેજ ઘાટલોડીયા ચાંદલોડિયામાં આંગણવાડીઓ, ઑક્સીજન પાર્ક, વેજલપુરમાં નવું હેલ્થ અર્બન સેન્ટર અને ફિઝિયોથેરાપી સેન્ટરનો સમાવેશ થાય છે.