UP, બંગાળ બાદ દિલ્હીમાં બકરી ઈદે ખુલ્લામાં કુરબાની પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ બાદ હવે દિલ્હીની ભાજપ સરકારે પણ બકરી ઈદને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. દિલ્હીમાં પણ રસ્તાઓ અને ગલીઓમાં કુરબાની કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કુરબાની માત્ર માન્ય અને નિર્ધારિત સ્થળોએ જ કરી શકાશે. ઉપરાંત બકરી ઈદ દરમિયાન ગૌવંશ, ગાય, વાછરડું, ઊંટ અને અન્ય પ્રતિબંધિત પ્રાણીઓની કુરબાની કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હી સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ બકરી ઈદને લઈને સરકારની માર્ગદર્શિકા જાહેર કરી. તેમણે જણાવ્યું હતું કે બકરી ઈદ દરમિયાન ગૌવંશ, ગાય, વાછરડું, ઊંટ અને અન્ય પ્રતિબંધિત પ્રાણીઓની કુરબાની સંપૂર્ણપણે ગેરકાયદે છે અને આવું કરનારાઓ સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે જાહેર સ્થળો, ગલીઓ અને રસ્તાઓ પર કુરબાની કરવાની મંજૂરી નથી અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પણ કાનૂની કાર્યવાહી થશે.

બકરી ઈદના તહેવાર માટે દિલ્હી સરકારની માર્ગદર્શિકા

ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ બાદ દિલ્હીની ભાજપ સરકારે પણ બકરી ઈદ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. દિલ્હીમાં રસ્તાઓ અને ગલીઓમાં કુરબાની કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કુરબાની માત્ર કાયદેસર અને મંજૂર સ્થળોએ જ થઈ શકશે.

પશુઓની ગેરકાયદે કુરબાની સામે કાર્યવાહી થશે

દિલ્હી સરકારે બકરી ઈદને ધ્યાનમાં રાખીને અધિકારીઓને રાજધાનીમાં ગેરકાયદે પશુવધ, અનધિકૃત પશુ વેપાર અને પશુઓ પ્રત્યેની ક્રૂરતા સામે કાર્યવાહી વધુ કડક બનાવવાનો નિર્દેશ આપ્યો છે. વિકાસ મંત્રી કપિલ મિશ્રાએ સમીક્ષા બેઠક દરમિયાન જણાવ્યું હતું કે પશુઓના ગેરકાયદે પરિવહન, ગેરકાયદે વધ અને પશુઓ પ્રત્યેની ક્રૂરતા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે “ઈદ-ઉલ-અઝહા દરમિયાન પશુ કલ્યાણ અને જાહેર સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે કુરબાની માત્ર અધિકૃત અને નિર્ધારિત સ્થળોએ જ કરવાની મંજૂરી હોવી જોઈએ.

આ એડવાઇઝરીની નકલ જિલ્લા કલેક્ટરો (DM), પોલીસ ઉપઆયુક્તો (DCP), મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) અને અન્ય સંબંધિત વિભાગોને મોકલવામાં આવી છે, જેથી બકરી ઈદ દરમિયાન કાયદાનું કડક પાલન સુનિશ્ચિત થઈ શકે.