રાજ્યમાંથી 1000 બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહના નિર્દેશ પછી રાજ્યમાંથી ગઈ કાલે સુરત અને અમદાવાદમાં ઓપરેશન હાથ ધરીને રાજ્યમાં ગેરકાયદે વસતા કુલ 1000થી વધુ બાંગ્લાદેશીની પોલીસે અટકાયત કરી છે. ગઈ કાલે રાત્રે મોટું ઓપરેશન હાથ ધરીને અમદાવાદમાં એક જ રાતમાં 900થી વધુ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીની અટકાયત કરી છે, જેમાંથી અમદાવાદમાં 436 પુરુષ, 240 મહિલા, 214 બાળકો છે. તેમને તેમના વતનમાં મોકલી અપાશે.

જ્યારે સુરતમાંથી 132  ગેરકાયદે ઝડપાયા છે, જેમાં 88 પુરુષો અને 44 મહિલાઓનો સમાવેશ થાય છે.  સુરતના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરામાં સુરત પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ગેરકાયદે વસેલા બાંગ્લાદેશી પુરુષોને ડિપોર્ટ કરવા અને મહિલાઓ, બાળકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવા અંગે વિચારણા ચાલી રહી છે. અમદવાદમાં ગઈ કાલે રાત્રે પોલીસે ચંડોળા તળાવ આસપાસની ઝૂંપડપટ્ટીમાં ઓપરેશન હાથ ધર્યું હતું,ક જેમાં 900થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા છે. ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ઇઓડબ્લ્યુ તેમ જ ઝોન ૬ તથા હેડ ક્વાટરની ટીમો દ્વારા આ સંયુકત ઓપરેશન હાથ ધર્યું હતું. 

પહલગામમાં પ્રવાસી પર આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા સખત પગલાં લેવામાં આવી રહ્યાં છે. ભારત આવેલા પાકિસ્તાનીઓને પરત મોકલવા સહિત બાંગ્લાદેશી સામે પણ સ્ટ્રાઇક તેજ થઈ છે. અમદાવાદ અને સુરતમાંથી કુલ 1000 બાંગ્લાદેશીની અટકાયત કરવામાં આવી છે. કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ત્યાર બાદ ભારત સરકાર દ્વારા પણ કડક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત છોડી દેવા માટે આદેશ આપી દીધો છે.