અમદાવાદઃ ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભા

બીજી ઓકટોબર, સોમવારે મહાત્મા ગાંધીજીની 148મી જન્મજયંતી નિમિત્તે ગાંધીજીના સંસ્મરણોના ભાગ રૂપે અમદાવાદના સાબરમતી આશ્રમ (ગાંધી આશ્રમ)માં પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. જેમાં શહેરના અગ્રણીઓ અને આશ્રમના ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં સામેલ થયા હતા. (તસવીરો: પ્રજ્ઞેશ વ્યાસ)ગાંધી આશ્રમમાં ભુલકાઓએ મહાત્મા ગાંધીજીને પુષ્પમાળા અને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી, અને ગાંધીજીનો પાઠ ભણ્યા હતા.