મુંબઈમાં 2008ની 26 નવેમ્બરે પાકિસ્તાની ત્રાસવાદીઓએ કરેલા ભયાનક આતંકવાદી હુમલાઓની 26 નવેમ્બર, રવિવારે 9મી વરસીએ મહારાષ્ટ્રના ગવર્નર વિદ્યાસાગર રાવ તથા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તે હુમલાઓમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તે હુમલાઓમાં 18 સુરક્ષા જવાનો, 36 વિદેશી નાગરિકો સહિત 166 જણ માર્યા ગયા હતા અને બીજાં 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.