ડ્રગ્સ-વિરોધી વિભાગે રીયા ચક્રવર્તીની છ કલાક પૂછપરછ કરી…

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભેદી સંજોગોમાં થયેલા મૃત્યુના કેસની તપાસમાં કેફી દ્રવ્યોના સેવન-સપ્લાયનો મુદ્દો પણ ચગ્યો છે. આ કેસમાં કેન્દ્રીય એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) પણ તપાસ કરી રહી છે. 6 સપ્ટેમ્બર, રવિવારે દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં આવેલા NCBના કાર્યાલયે મોકલેલા સમન્સને પગલે સુશાંતની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રીયા ચક્રવર્તી હાજર થઈ હતી. લગભગ છ કલાક સુધી એની પૂછપરછ કરવામાં આવી હતી.

NCBના અધિકારીઓ તપાસના સંદર્ભમાં રીયા ચક્રવર્તીના નિવાસસ્થાને પહોંચ્યા હતા ત્યારે મકાનની બહાર પત્રકારો-પ્રેસ ફોટોગ્રાફરો, ટીવી ચેનલ કેમેરામેનનો જમાવડો