મોદીએ અગરતલા એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 4 ડિસેમ્બર, મંગળવારે ત્રિપુરાના પાટનગર અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. એ પ્રસંગે કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લવ કુમાર દેબ ઉપસ્થિત રહ્યા હતા. નવું ટર્મિનલ બિલ્ડિંગ ખુલ્લું મૂકાતાં આ એરપોર્ટ હવે દર વર્ષે 30 લાખ જેટલા પ્રવાસીઓને સેવા પ્રદાન કરશે. (તસવીર સૌજન્યઃ પીઆઈબી)