ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ મત આપી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હીરાબા 97 વર્ષની વયના હોવા છતાં સવારમાં જ મતદાન મથકે પહોંચી ગયા હતાં અને મત આપ્યો હતો. અને ભગવાન ગુજરાતનું ભલું કરે તેવો શુભ આશય વ્યક્ત કર્યો હતો.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)