મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતું વિહાર તળાવ ભારે વરસાદને પગલે 16 જુલાઈ, સોમવારે છલકાવા માંડ્યું હતું. શહેરને પાણી પૂરું પાડતા કુલ સાત જળાશયમાંથી અત્યાર સુધીમાં ત્રણ છલકાઈ ગયા છે – તુલસી, મોડકસાગર અને વિહાર. ભાતસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા અને તાનસા તળાવો છલકાવાના બાકી છે.