કોરોના વાઈરસને કારણે 21-દિવસના કરાયેલા લોકડાઉનને પગલે મુંબઈમાં જનજીવન સંપૂર્ણપણે સ્થગિત થઈ ગયું છે. 26 માર્ચ, ગુરુવારના રોજ મધ્ય મુંબઈના જાણીતા વિસ્તારોની આ તસવીરો છે, જે સામાન્યપણે માનવીઓની અવરજવર અને વાહનવ્યવહારથી કાયમ ધમધમતા હોય. ઉપરની તસવીર પ્રભાદેવીના સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની છે. જે હાલ બંધ કરી દેવાતાં એકેય ભક્ત નજરે પડતા નથી. (તસવીરોઃ દીપક ધુરી)
પડોશના થાણે જિલ્લાના મિરારોડ ઉપનગરની શાકભાજી માર્કેટ - લોકો ખરીદી માટે લાઈનમાં ઊભા છે