મુંબઈ: આ સોસાયટી કૃત્રિમ તળાવમાં જ કરે છે બાપ્પાનું વિસર્જન

મુંબઈ: બાપ્પાનો તહેવાર આવે ને દરેક લોકોમાં અનેરો ઉત્સાહ જાગે છે. ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવે છે અને બાદમાં ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે. આ અવિરત પ્રક્રિયા ઠેર ઠેર જોવા મળે છે. અંધેરીમાં ભાગ્ય એપાર્ટમેન્ટમાં ગણેશજીના સ્થાપના કરવામાં આવી હતી અને પછી આનંદ-ઉલ્લાસ સાથે તેમનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

સોસાયટીના મિતેશ શાહે ચિત્રલેખા ડૉટ કૉમને જણાવ્યું હતું કે અમે 2017થી સોસાયટીમાં ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ. અમે બાપ્પાને 5 દિવસ માટે સ્થાપિત કરીએ છીએ અને તે પણ ફક્ત eco- friendly જ હોય છે જેનું વિસર્જન અમારી સોસાયટી ની બાજુમાં બનાવેલા કૃત્રિમ તળાવ માંજ કરીએ છીએ.નોંધનીય છે કે ધારાસભ્ય અમીત સાટમ પણ દર વર્ષે અહીં લોકો સાથે જોડાય છે અને બાપ્પાના આર્શીવાદ લે છે.