સમગ્ર દેશમાં નંદલાલાના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. પોત-પોતાની સંસ્કૃતિ અને રિતી-રિવાજ મુજબ દરેક રાજ્યમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય રહ્યો છે. મહારાષ્ટ્ર દહીંહાંડી રૂપે આ તહેવાર મનાવવામાં આવે છે.
કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સમગ્ર મહારાષ્ટ્રમાં દહીંહાંડીનો તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં ‘ગોવિંદો ની ટીમો માનવ પિરામિડ બનાવીને માટલા સુધી પહોંચવાનો અને તેને તોડવાનો પ્રયાસ કરે છે. આપણે તસવીરોમાં જોઈએ મુંબઈમાં ઉજવાતી દહીંહાંડી….
(તમામ તસવીરો: દીપક ધૂરી)
