અક્ષય, માનુષીએ સોમનાથ મંદિરમાં જઈ દર્શન કર્યાં

બોલીવુડ કલાકારો અક્ષય કુમાર અને માનુષી છિલ્લર તથા દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ એમની આગામી હિન્દી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની સફળતા માટે ભગવાનના આશીર્વાદ મેળવવા 31 મે, મંગળવારે ગુજરાતના પ્રભાસ પાટણસ્થિત સોમનાથ મંદિરમાં જઈ દર્શન કર્યાં હતાં અને પૂજા-અર્ચના કરી હતી.

‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મ ચૌહાણ વંશના દંતકથાસમાન રાજપૂત યોદ્ધા રાજા પૃથ્વીરાજ ચૌહાણ અને રાણી સંયોગિતા પર આધારિત છે. ફિલ્મ 3 જૂને થિયેટરોમાં રિલીઝ થવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]