નવું સંસદભવન કેવું છે વાસ્તુની દ્રષ્ટિએ?

આપણું નવું સંસદ ભવન જે શિવલિંગ આકારનું છે તે અતિ સુંદર અને મોહક વાસ્તુકળાનું પ્રતિક છે. આ ત્રિકોણાત્મક સંસદ ભવનનું માળખું કોઈ એક વ્યક્તિ વિશેષ માટે નથી અને માટે જ તે વધુ પ્રભાવશાળી બની રહ્યું છે. આપણે ત્યાં જે પણ યંત્ર હોય છે તે ત્રિકોણાકાર જરૂર હોય છે, જેનું એક અલગ જ મહત્વ હોય છે. પરંતુ અહીં ધ્યાન આપવા બાબત એ છે કે, આ ભવનમાં બે ખૂણા એટલે કે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ નથી, જે સ્થિરતા અને શાંતિ માટે જરૂરી હોય છે. આનો અર્થ એ થાય કે, ભવિષ્યમાં શાસક પક્ષ બહુ મોટા અને અઘરા નિર્ણયો લેશે, જે સમજાવટથી નહીં પરંતુ દબાણપૂર્વક જ અમલમાં મૂકવું શક્ય બનશે, એક કુદરતી સંઘર્ષ કાયમ થતો રહેશે.

એટલે શાસક પક્ષનું સહુથી મોટું દાયિત્વ એ હોવું જોઈએ કે તેની સંખ્યા બહુમતમાં હોય. શાંતિ ભંગ અવારનવાર રહેશે. નામના મેળવાશે, પણ પરિશ્રમ પણ અથાગ રહેશે. દક્ષિણ-પશ્ચિમ (SW) અને ઉત્તર-પશ્ચિમનો (NW) ખૂણો એકદમ બરાબર છે એટલે વર્ચસ્વ જળવાઈ રહેશે.

આનું નિદાન કોઈ ખાસ પ્રકારના છોડના રોપા લગાડવાથી અને અરીસાને અમુક જરૂરી એન્ગલમાં લગાડવામાં આવે તો થઈ શકે છે. આવું જ એક સ્ટ્રક્ચર મેં ICICI VENTURE BENGALURU માં બેલેન્સ કર્યું હતું.

Glimpses of the new Parliament Building, in New Delhi

અહીં નવા ભવનમાં આધ્યાત્મિક માર્ગદર્શન તેમજ સકારાત્મક ઉર્જાના સ્ત્રોતમાં કમી રહેશે. કારણ કે, NE (ઉત્તર-પૂર્વ) શિવનું સ્થાન માનવામાં આવે છે, શિવ દરેક નકારાત્મક ઉર્જાને ખત્મ કરે છે. SE (દક્ષિણ-પૂર્વ) શુક્ર અને વાસ્તુ દેવતાનું સ્થાન છે, જે અગ્નિ દેવતાને શાંત રાખવાની શક્તિ ધરાવે છે. આથી આ વાસ્તુદોષનું નિવારણ થવું ખૂબ જ જરૂરી છે. NE મંત્ર માટે જરૂરી છે, જ્યારે SE તંત્ર માટે. અહીં બંને ખૂણાની ગેરહાજરીને લીધે સંસદનું કાર્ય સરળતાથી ચલાવવું મુશ્કેલ જણાય છે. આપણે ત્યાં મોટાં ગજાના સાધુ-સંતો બિરાજમાન છે. હું આશા રાખું છું કે, એમનું પણ આ વિષય પર ધ્યાન ગયું જ હશે અને જરૂરી જગ્યાએ યોગ્ય નિવારણ કરવાથી જો પ્રભાવ વધી જતો હોય તો શા માટે યોગ્ય પગલાં ન લેવા?

(નીતા સિન્હા, મુંબઇ)

(લેખિકા નીતા સિન્હા મુંબઇસ્થિત જાણીતા એસ્ટ્રો-આર્કિટેક્ટ છે. એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષવિદ્યા અને આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્યકલાનો સમન્વય કરીને ઘરની ડિઝાઇન-સજાવટ કવાની એક નવી જ વિદ્યાશાખા એમણે વિકસાવી છે. આ ક્ષેત્રમાં પ્રેક્ટીસ કરનાર એ સૌ પ્રથમ અને એકમાત્ર ભારતીય છે.)