|
સાપની કાંચળીની જેમ ઉતારી નાખવું. |
સાપ એની આખીને આખી ચામડી ઉતારી નાખે છે. આ ચામડીને કાંચળી કહે છે. પોતાના શરીરનો અંતર્ગત ભાગ હોવા છતાં એ ઘરડી એટલે કે જૂની થાય એટલે એનો ત્યાગ કરે છે, પણ એ પહેલાં નવી ચામડી વિકસાવી લે છે.
આમ, કોઈ પણ પ્રકારની વસ્તુ જરાય મોહ વગર ત્યાગ કરી દેવાય ત્યારે એ સાપની કાંચળીની જેમ ઉતારી બાજુ પર મૂકી દીધું એમ કહેવાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




