વડ પડ્યાં તો કે વડોદરું પડ્યું… |
કેટલીક વ્યક્તિઓને અતિશયોક્તિ કરવાની ટેવ હોય છે. વડોદરા નામ વટોદર એટલે કે જેના ઉદરમાં વડ ઉગેલાં છે તે કારણથી પડ્યું છે.
આમાંનો એકાદ વડ કદાચ તૂટી જાય કે વાવાઝોડામાં ઉથલી પડે તો એનાથી આખું વડોદરા નથી ઉથલી પડતું. વડોદરામાં એટલા બધાં વડ છે કે એક વડ ઉથલી પડવાની ઘટના સાવ નગણ્ય છે.
ત્યારે આ ઘટનાને એવડી મોટી કહી બતાવવી કે જાણે કે વડ નહીં આખું વડોદરું જ ઉથલી પડ્યું હોય તેવા અતિશયોક્તિભર્યા વર્ણન માટે આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
