ખીલાના જોરે વાછરડું કૂદે

 

ખીલાના જોરે વાછરડું કૂદે

 

 

કોઈ પણ વ્યક્તિ જ્યારે પીઠબળ મોટું હોય ત્યારે એ પોતે ભલે વાછરડા જેવો નાનો કે નિર્બળ હોય પણ એ કૂદકા મારે છે, એટલે કે આક્રમક બને છે.

પોતાની પાછળ કોઈ મોટી મદદ કરનાર અથવા રક્ષણ આપનાર હોય ત્યારે પોતે નબળો દેખાતો હોય તેવો માણસ પણ બીજા સામે લડવા-ઝગડવા અથવા બળિયા સાથે બાથ ભીડવા તૈયાર થાય છે.

આમ ખીલો એટલે કે પીઠબળ અને ખીલાના જોરે કૂદવું એટલે કોઈકની હૂંફે અથવા કોઈના બળના સહારે વર્તન કરવું કે આક્રમક બનવું એવો અર્થ નીકળી શકે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)