વીસ વાસા મોસાળના આવે

 

વીસ વાસા મોસાળના આવે

 

 

અગાઉના સમયમાં રિવાજ હતો કે ગર્ભવતી સ્ત્રી પોતાના પિયરમાં સુવાવડ માટે જતી. એ જમાનામાં બહુ હોસ્પિટલો હતી નહીં એટલે બાળકનો જન્મ એના મોસાળમાં થતો અને એના જીવનના શરૂઆતના દિવસો નાના-નાની, મામા-મામી અને મોસાળના વાતાવરણ વચ્ચે વિતતા. કુમળી વયે બાળકની ગ્રહણશક્તિ અદ્ભુત હોય.

આ કારણથી એનામાં પોતાના પિતૃપક્ષના લોહીના ગુણ તો આવે જ પણ મોસાળમાં જનમ્યું માટે ૨૦ દિવસ (જે બાદ તેનો ઉછેર મોટા ભાગનો સમય પિતૃગૃહમાં રહીને થાય છે) સોબતની અસર એ ન્યાયે બાળક પર પણ આવે એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)