ઊમરો મૂકી ડુંગરો પૂજવો

 

ઊમરો મૂકી ડુંગરો પૂજવો

 

અંગ્રેજીમાં કહેવત છે – Charity begans at Home. માણસે હંમેશાં જે પોતાના છે તેને યોગ્ય તે સન્માન આપવાની વૃત્તિ રાખવી જોઈએ, નહીં તો ‘ઘરકા જોગી જોગડા ઔર ગાવકા પીર’ જેવું થાય.

જ્યારે પાસે હોય તેને અવગણીને અને જે પોતાનું છે એને વ્યાજબી માન પણ નહીં આપીને પારકાને અથવા દૂરનાને સ્વીકૃતિ અથવા માન આપવાની વૃત્તિ રાખવામાં આવે ત્યારે ‘ઊમરો મૂકી ડુંગરો પૂજવો’ કહેવત વપરાય છે.

આવી જ સમાનાર્થી કહેવત ‘માને મૂકીને માસીને ધાવવા જવું’ છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)