પૌષ્ટિક અને ત્વરિત બનતો ઘઉંના લોટનો ઉપમા એ વિદર્ભની વાનગી છે. બનાવી જુઓ!
સામગ્રીઃ
- ઘઉંનો લોટ 2 વાટકી
- તેલ 1 વાટકી
- કળી પત્તાના પાન 8-10
- આમલીનો પલ્પ અથવા દહીં 3 ટે.સ્પૂન
- લીલા મરચાં 2-3
- રાઈ ½ ટી.સ્પૂન
- જીરૂ ½ ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
- કોથમીર ધોઈને સમારેલી 1 કપ
- શીંગદાણા 2 ટે.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
- સાકર 1 ટી.સ્પૂન
રીતઃ એક વાસણમાં 3 કપ પાણી મધ્યમ આંચે ગરમ કરી રાખો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં શીંગદાણા તળીને એક ડીશમાં કાઢી લેવા. એ જ તેલમાં રાઈનો વઘાર કરી, રાઈ તતડે એટલે જીરૂ વઘારીને લીમડો તેમજ સમારેલાં લીલા મરચાં ઉમેરવા. હવે ગેસ ધીમો કરીને હીંગ, લાલ મરચાં પાઉડર, હળદર મેળવીને તરત જ ઘઉંનો લોટ ઉમેરીને તવેથા વડે મેળવીને 2 મિનિટ સુધી શેકી લો.
હવે તેમાં સાકર તથા મીઠું સ્વાદ મુજબ મેળવીને આમલીનો પલ્પ અથવા દહીં નાખીને તવેથા વડે સરખું મિક્સ કરીને અડધી કોથમીર મેળવી દો. 2 મિનિટ ધીમા તાપે શેકી લીધા બાદ તેમાં ગરમ પાણી 1 કપ મેળવો અને કઢાઈ ઢાંકીને 2-3 મિનિટ થવા દો. ફરીથી તેમાં 1-2 કપ પાણી મેળવીને ઢાંકીને 2-3 મિનિટ બાદ તેમાં તળેલા શીંગદાણા તેમજ બાકી રહેલી કોથમીર મેળવીને ગેસ બંધ કરીને દો. 1-2 મિનટ બાદ આ ઉપમા દહીં તેમજ કેરીના અથાણાં સાથે પીરસો.
