સવર્ણોને 10 ટકા અનામત! મોદી સરકાર બંધારણ સુધારો લાવશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સવર્ણોને રીજવવા માટે મહત્વની જાહેરાત કરી છે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સવર્ણોને 10 ટકા અનામતની મંજૂરી આપવામાં આવી છે.

આર્થિક રીતે પછાત સવર્ણોને મળશે 10 ટકા અનામતનો લાભ.

આ અનામત આર્થિક રુપથી કમજોર સવર્ણોને આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે 2018 માં SC/ST એક્ટને લઈને જે પ્રકારે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના ફેસલો પલટી દીધો હતો તેનાથી સવર્ણો નારાજ હતા. માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે મોદી સરકાર સંસદમાં રજૂ કરી શકે છે. આપને જણાવી દઈએ કે મંગળવારે જ સંસદના શીતકાલીન સત્રનો અંતિમ દિવસ છે.

આપને જણાવી દઈએ કે મોદી સરકાર આ આરક્ષણ આર્થિક આધાર પર લાવી રહી છે જેની અત્યારે સંવિધાનમાં વ્યવસ્થા નથી. સંવિધાનમાં જાતિના આધાર પર આરક્ષણની વાત કરવામાં આવી છે ત્યારે આવામાં સરકાર આને લાગુ કરવા માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે. સરકારના આ નિર્ણયને લોકસભા ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

સરકાર આના માટે જલ્દી જ સંવિધાનમાં બદલાવ કરશે. આના માટે સંવિધાવનના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં બદલાવ કરવામાં આવશે. બંન્ને અનુચ્છેદમાં બદવાન કરીને આર્થિક આધાર પર આરક્ષણ આપવાનો રસ્તો સ્પષ્ટ થઈ જશે.

આ સમાચાર બહાર આવતાં જ દેશભરના તેમ જ ગુજરાતના રાજકીય વર્તુળોમાં પ્રતિક્રિયાઓનો દોર શરુ થઈ ગયો

  •  ભાજપના ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાએ કેન્દ્ર સરકારના આર્થિક અનામતના નિર્ણયને આવકાર્યો હતો.
  •  એસપીજીના લાલજી પટેલે સરકારની આ જાહેરાતને આવકારી હતી. પરંતુ સાથે જ જણાવ્યું હતું કે અમારી મુખ્ય લડાઈ અનામત માટેની છે તે અમે ચાલુ જ રાખીશું.
  • જીગ્નેશ મેવાણીએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દલિત, ઓબીસી અને આદિવાસી સમાજને બંધારણીય રીતે પ્રાપ્ત થયેલી અનામતની જોગવાઇઓમાં કોઈ છેડછાડ કે હસ્તક્ષેપ ન થાય અને અન્ય કોઈપણ સમાજને અનામત મળે તે અંગે વ્યક્તિગત રીતે મારો કોઈ જ વાંધો નથી. પ્રશ્ન એ છે કે આ બાબત બંધારણીય રીતે ટકી શકે કે કેમ ?
  • આ પ્રતિક્રિયા આપતા પાટીદાર અનામત આંદોલનનાં પ્રણેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, આ એક રાજકીય નિર્ણય છે. આ પ્રકારની અનામત સંવૈધાનિક રીતે શક્ય નથી. આ માત્ર લોલીપોપ છે. આ માત્ર લોકસભાની ચૂંટણીલક્ષી નિર્ણય છે. માટે સરકારે જે કર્યું તે અયોગ્ય છે.
  • આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ યુવા મોરચાનાં નેતા ઋત્વીજ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ ખુબ જ અભુતપુર્વ અને ઐતિહાસિક ચુકાદો છે. કોંગ્રેસ માટે આ એક મોટો તમાચો છે. તેમણે અનામતનાં નામે માત્ર રાજનીતિ જ કરી છે. જ્યારે ભાજપની સરકારે સવર્ણોનો મુદ્દો ઉઠાવ્યો અને તેમને ન્યાય પણ આપ્યો.
  • આ અંગે પ્રતિક્રિયા આપતા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે, આર્થિક અનામત સંવૈધાનિક રીતે શક્ય નથી. ત્યારે સરકારે આ નિર્ણય કઇ રીતે લીધો તે એક મોટો સવાલ છે. આ માત્ર અને માત્ર ચૂંટણી લક્ષી નિર્ણય છે. જો કદાચ ખરડો પણ લાવે તો તે પાસ થાય અને તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થાય અને ગેઝેટમાં પ્રસિદ્ધ થાય તેમાં 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે. ત્યાં સુધીમાં 2019ની લોકસભા ચૂંટણી જતી રહે અને મોદી સરકાર ફરી એકવાર સત્તામાં આવી જાય. ત્યાર બાદ આ મુદ્દાને લટકાવી દેવામાં આવશે.