છ દરવાજાનો અભદ્ય કિલ્લો ધરાવતું આ નગર..

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવલું ઐતિહાસિક નગર એટલે વડનગર. અહીં હિંદુ, બૌધ્ધ, જૈન ધર્મના ઐતિહાસક ખોદકામ દરમ્યાન મળી આવ્યા છે.

સંસ્કૃતિ જ્યાં ધરબાયેલી છે એ વડનગરમાં એક સમયે છ દરવાજાની કિલ્લેબંધી હતી, જેમાં ઉત્તર દિશામાં અર્જુનબારી અને નદીઓળ દરવાજા, પશ્ચિમ દિશામાં અમતોળ દરવાજા, દક્ષિણમાં ઘાસકોળ અને પિઠોરી દરવાજો, જ્યારે પૂર્વ દિશામાં અમરથોળ દરવાજાનો સમાવેશ થાય છે. વડનગરના અર્જુનબારી દરવાજામાં જોવા મળતા લેખ મુજબ નગરની ફરતે ઇ.સ 12મી સદી દરમિયાન સોલંકી રાજાનો સમય હતો એ સમયે કુમારપાળે છ દરવાજા સાથે વડનગરની ચારે બાજુ કિલ્લો બાંધીને નગરને અભેદ્ય સુરક્ષા પુરી પાડી હતી. અર્જુનબારી દરવાજા પાસે શિલાલેખ જોવા મળે છે, જેમાં એક ચાલુક્ય વંશનાં રાજા કુમારપાળનો 1152ની સાલનો છે એમાં કિલ્લેબંધી દીવાલ બનાવ્યાનો ઉલ્લેખ છે. બીજો શિલાલેખ ઇ.સ1633નો છે, જેમાં કિલ્લાની દીવાલનો સમારકામનો ઉલ્લેખ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)