સિરામિક કુકવેર શા માટે સારાં છે?

કહેવાય છે, દરેક ઘરનું હૃદય રસોડું હોય છે. કારણ કે, રસોડું આપણા રોજીંદા જીવન સાથે સંકડાયેલું છે! આથી જ રસોડું અને તેની સાથે જોડાયેલી દરેકે દરેક વસ્તુ મહત્વ રાખે છે. જેમાં રસોઈ કરવા માટે વપરાતાં વાસણનું પણ બહુ જ અગત્યનું સ્થાન છે. વાસણને જ કારણે રસોઈ બનાવવી સરળ રહે છે. તેમાં જરૂર પ્રમાણેના વાસણ ખરેખર, રસોઈને બહુ જ સહેલી બનાવે છે. તમે વિચારી જુઓ રાંધતી વખતે જોઈએ તે પ્રમાણેના વાસણ ઉપલબ્ધ ના હોય તો રસોઈ કરવામાં કેટલી ઝંઝટ થઈ જાય છે. કંટાળી જવાય છે ને?

આ જ બાબતને લઈને રસોઈ કરવા માટે વધુ ને વધુ સગવડ થાય તેવા ટકાઉ વાસણ જે આરોગ્યને કોઈ નુકસાન ન કરે તે માટે સંશોધનો થતાં રહે છે. જેમાં આધુનિક સિરામિક કુકવેર આવી ગયા છે. જે દેખાવમાં આકર્ષક હોવાને કારણે રસોડાંની શોભા વધારી દે છે. આ કુકવેરમાં મેટલ બેઝ સામાન્ય રીતે સ્ટેનલેસ સ્ટીલ અથવા એલ્યુમિનિયમના વાસણોની સપાટી પર સિરામિક કોટિંગના અનેક સ્તરોનું રહે છે. કોટીંગનું આ સ્તર આ કુકવેરની કાર્યક્ષમતા અને ટકાઉપણું વધારે છે. ઉપરાંત આધુનિક રસોડાની શોભામાં મૂલ્યવાન વધારો કરે છે.

સિરામિક કુકવેર વાપરવાના ફાયદા પણ જાણી લઈએ:

  • એકંદર આરોગ્ય માટે સલામત: સિરામિક કોટિંગ બિન-ઝેરી છે અને PFOA અને PFAS જેવા હાનિકારક રસાયણોથી મુક્ત છે. વધુમાં, સિરામિક કુકવેર બિન-પ્રતિક્રિયાશીલ છે, જે ખોરાક સાથે કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયા થતી અટકાવે છે.
  • સિરામિક કુકવેર ટકાઉ છેઃ અદ્યતન સિરામિક કોટિંગ્સ દૈનિક ઉપયોગ કર્યા બાદ પણ સ્ક્રેચ-પ્રતિરોધક બની રહે છે. જેથી એમાં કરેલો ખર્ચ લાંબા ગાળા માટે ફાયદાકારક બની રહે છે.
  • ખોરાક તવા પર ચોંટતો નથીઃ સિરામિક કુકવેરની નોન-સ્ટીક સપાટીને કારણે રસોઈ બનાવવામાં ઓછા તેલની જરૂર પડે છે. જે તંદુરસ્તી માટે ફાયદાકારક છે. વધુમાં, ખોરાકના કણો તવા પર ચોંટતા નથી, જે કારણે સફાઈ ઝડપી અને સરળ રહે છે.
  • દરેક પ્રકારની રસોઈ તેમજ સ્ટોવ ટોપ્સ માટે અનુકૂળઃ સિરામિક કુકવેર દરેક પ્રકારના ગેસ સ્ટવ પર બંધબેસે છે. આ વાસણો દરેક પ્રકારની રસોઈ માટે ઉપર્યુક્ત છે. તેના પર ક્રિસ્પી ડોસાથી લઈને વિવિધ પ્રકારના શાક તેમજ કરી બની શકે છે.

સિરામિક કુકવેર નિયમિત કુકવેરથી કઈ રીતે અલગ છે

પરંપરાગત વાસણોમાં ઘણીવાર એવી ધાતુના વાસણ પણ હોય છે. જેમાં કાટ લાગી શકે છે અથવા ઓક્સિડાઇઝ થવાના શક્યતા રહે છે. તેમાં  PFOA અને PFAS જેવા હાનિકારક રસાયણો પણ હોઈ શકે છે. જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે સિરામિક કુકવેર બિન-ઝેરી, બિન-પ્રતિક્રિયાશીલ છે. તેમજ સ્ક્રેચ અને ડાઘનો પ્રતિકાર કરવા માટે બનાવવામાં આવેલ છે. જેથી તે તંદુરસ્ત અને ટકાઉ પણ છે. ઉપરાંત રસોડાની સુંદરતામાં વધારો પણ કરે છે.