મુંબઈમાં ભારતીય સંસ્કૃતિના આદિપુરુષ રાજા ઋષભદેવના વૈશ્વિક પુનરુત્થાનનો મહાસંગમ

મુંબઈ: આગામી 19 થી 21 ડિસેમ્બરના રોજ ભારતની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને જ્ઞાન પરંપરાની એક ખાસ વૈશ્વિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે સભ્યતાના સ્થાપક રાજા ઋષભદેવના વારસાનું વૈશ્વિક પુનરુત્થાન વિષય પર યોજાવાની છે. લબ્ધિ વિક્રમ જન સેવા ટ્રસ્ટ (LVJST)  આ કોન્ફરન્સ અને ઇવેન્ટનું આયોજન કરી રહી છે. જેનું નામ ‘ઋષભાયન – ૨,  ભારતીય સંસ્કૃતિના પુરોધા’ છે.  ત્રણ દિવસ ચાલનારી આ વૈશ્વિક પરિષદનું ધ્યેય ભારતના પ્રાચીન વારસાને ઉજાગર કરવાનું છે. ભારતની માનવ સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાના જન્મદાતા રાજા ઋષભદેવ (આદિનાથ ભગવાન)ને ભારતની પ્રાચીન વિસરાયેલી ધારા સાથે ફરી પાછા જોડીને તેના વારસાને આજના યુવાનો સમક્ષ મૂકવી.

 કેમ ઋષભદેવ ભારતની સભ્યતાના મૂળનાયક?

ઋષભરાજા  ભારતના પ્રથમ રાજા છે, જેમણે સમાજ વ્યવસ્થા સ્થાપી. તેઓ પ્રથમ શિક્ષક છે, જેમણે માનવજાતને ૭૨ કૌશલ અને ૬૪ લલિત કલાઓ શીખવી. તેઓ પ્રથમ યોગી અને તપસ્વી છે, જેમણે  માનવ જીવનના આધ્યાત્મિક ધોરણો ઊભા કર્યા. તેઓ પ્રથમ ધાર્મિક સુધારક છે, જેમણે આદર, દયા અને આહિંસાને જીવનનો અવિભાજ્ય અંશ બનાવ્યો.

તેથી ઋષભદેવ માત્ર જૈન પરંપરા પૂરતા નથી, તેમનો પ્રભાવ શૈવ, વૈદિક, યોગિક, બૌદ્ધ અને જનજાતીય પરંપરાઓમાં આજે પણ જીવંત છે. ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ ધરોહરનો આધાર હંમેશાં જ્ઞાન અને ત્યાગ રહ્યો છે. આ પવિત્ર ભૂમિ સદીઓથી વિશ્વ માટે ચેતનાનું કેન્દ્ર બની રહી છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ સ્થિરતા (Sustainability), શાંતિ અને સંતુલિત વિકાસના મોડેલની શોધમાં છે, ત્યારે આપણને પોતાની સંસ્કૃતિ તરફ, આપણા આદિપુરુષ રાજા ઋષભદેવના આદર્શોની તરફ ફરી જવાની  જરૂરિયાત છે.

ભારતવર્ષનું નામકરણ ઋષભરાજાના પુત્ર ભરતના નામ પરથી પડ્યું હતું, આ વિષેની વિગત માત્ર જૈન ગ્રંથોમાં જ નહીં, પરંતુ વૈદિક અને પૌરાણિક સાહિત્યમાંથી પણ થાય છે. મહર્ષિ વ્યાસ દ્વારા રચિત ગણાતા 18 પુરાણોમાં, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, લિંગ પુરાણ, અગ્નિ પુરાણ અને શ્રીમદ્ભાગવતમ્ જેવા અનેક ગ્રંથો સ્પષ્ટપણે ઘોષણા કરે છે કે આ ભૂ-ભાગનું નામ ‘ભારતવર્ષ’ રાજા ઋષભદેવના પુત્ર, ચક્રવર્તી ભરતના નામ પરથી પડ્યું છે.

ઋષભદેવ માત્ર જૈન પરંપરા પૂરતા નથી, તેમનો પ્રભાવ શૈવ, વૈદિક, યોગિક, બૌદ્ધ અને જનજાતીય પરંપરાઓમાં આજે પણ જીવંત છે. ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ ધરોહરનો આધાર હંમેશાં જ્ઞાન અને ત્યાગ રહ્યો છે. આ પવિત્ર ભૂમિ સદીઓથી વિશ્વ માટે ચેતનાનું કેન્દ્ર બની રહી છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ સ્થિરતા (Sustainability), શાંતિ અને સંતુલિત વિકાસના મોડેલની શોધમાં છે, ત્યારે આપણને પોતાની સંસ્કૃતિ તરફ, આપણા આદિપુરુષ રાજા ઋષભદેવના આદર્શોની તરફ ફરી જવાની જરૂરિયાત છે.

આ કોન્ફરન્સની વિશેષતા :

1. ભારતીય એકતાનું પ્રદર્શન – અનેક ભારતીય સંતોની ઉપસ્થિતિ અને તેમની હાજરીમાં ગ્રંથોના સંદર્ભ સાથે પેનલ ડિસ્કશન, વક્તવ્ય અને ચર્ચા કરવામાં આવશે. આ કોઈ પણ ધર્મનો કાર્યક્રમ નથી પરંતુ ભારતીય પરંપરા અને તેના મૂળને સમજવાનો કાર્યક્રમ છે.

2. ૧,૧૧૧ ગ્રંથો : વિશ્વમાં પ્રથમવાર એક સમૃદ્ધ સંસ્કૃતિનું દસ્તાવેજીકરણ થશે. ઋષભાયન – 2માં સૌથી મહત્ત્વનું આકર્ષણ છે, ૧,૧૧૧ દુર્લભ ગ્રંથો અને હસ્તપ્રતોની લાઇબ્રેરીનું વિશાળ લોકાર્પણ.

આ સંગ્રહમાં સામેલ છે:

  • રાજા ઋષભદેવના અસ્તિત્વ અંગેના પુરાવા
  • શિલાલેખો અને શાસ્ત્રીય ઉલ્લેખો
  • પ્રાચીન ઇતિહાસ, તત્વજ્ઞાન અને સંસ્કૃતિના ગ્રંથો
  • સમાજ, ધર્મ, કલા અને રાજધર્મના પુષ્ટિગ્રંથો
  • આદિવાસી અને લોકકથાઓના દસ્તાવેજો

આ સંગ્રહ વૈશ્વિક સંશોધકો માટે પ્રથમવાર એક જ જગ્યા એ ઉપલબ્ધ થશે જેથી સંશોધન કાર્યને વેગ મળશે. આને નામ આપ્યું છે, Research Corner’ – A Living Digital Heritage.

LVJSTની વેબસાઇટ પર આ લાઇબ્રેરી એક ડિજિટલ જ્ઞાનકોશરૂપે વિશ્વ માટે ખુલ્લી રહેશે.

3. આ પરિષદની વિશેષતા છે કે  જ્યાં પરંપરા અને ટેકનોલોજી સાથે મળે છે

વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી જેમાં વિશ્વભરના વિદ્વાનો નીચેના વિષયો પર સંશોધન રજૂ કરશે:

  • Indian Knowledge System
  • પ્રાચીન ટેક્નોલોજી અને કૌશલ્ય
  • ભારતીય સાંસ્કૃતિક મનોવિજ્ઞાન
  • મહાભારત પહેલાંની સાંસ્કૃતિક શાખાઓ
  • શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય
  • સામાજિક વ્યવસ્થાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ

સમગ્ર દેશમાંથી અધ્યાપકો, વિદ્ધાનો અને આંતર-રાષ્ટ્રીય વિદ્ધાનો પણ પોતાના પેપરો પ્રસ્તુત કરશે, આ સમગ્ર કાર્યક્રમ બે મોટા હોલમાં ચાલશે.

4. પ્રથમવાર બોરીવલી, મુંબઈની ભૂમિ પર ઋષભદેવની ૭૨ કૌશલ અને ૬૪ લલિત કલાઓનું  મનમોહક પ્રદર્શન થશે. જેનું કેન્દ્ર બળ આપણા યુવાનો છે. યુવાનોને રસ પડે તેવી રીતે પ્રાચીનથી લઈને આજ સુધીમાં આ કળામાં આવેલા પરિવર્તનોને પ્રસ્તુત કરાશે

  1.  સૌથી આકર્ષક એટલે યુવા ફિલ્મ ફેસ્ટિવલ અને સ્પર્ધા.

યુવાનો પ્રાચીન ભારતની વિચારધારા પર પોતાની સર્જનાત્મક ફિલ્મ પ્રસ્તુત કરશે. આ સ્પર્ધામાં રૂપિયા ૪ લાખના ઇનામો અપાશે. ફિલ્મના વિષયોમાં ચરિત્રની પહેચાન, અપની જડો કી તરફ લૌટના, ધરતી બચાવશો તો કાલ બચશે, હર જીવ જરૂરી છે, આવા પર્યાવરણલક્ષી, સંસ્કૃતિ અને ચરિત્રલક્ષી વિષયો અને મોદ્રણ ટેકનોલોજીનો સંગમ અહી સધાશે. આ બધી જ ફિલ્મો ત્રણેય દિવસ દરમ્યાન પ્રસ્તુત થશે.

  1. ભારતીય સંસ્કૃતિ બજાર અંતર્ગત ૨૦૦ જેટલા સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમાં રસપ્રદ અને જ્ઞાનવર્ધક ઉપરાંત રોજગારીલક્ષી સ્ટોલ પણ હશે. આ

૭. આ ઉપરાંત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું વિશેષ આયોજન કરાયું છે, જે સૌથી રસપ્રદ બનશે કારણ કે વિદ્યાર્થીઓ મોડલ બનાવશે અને તેનું પ્રદર્શન પણ યોજાશે. આજના વિદ્યાર્થીઓને પ્રભુની કળા સાથે જોડવાનો આ અનોખો અવસર છે.

૮. અષ્ટાપદ – અષ્ટાપદ તીર્થ જૈન ધર્મના સૌથી પ્રાચીન અને પાવન તીર્થોમાંનું એક છે. અષ્ટાપદ પર્વત હિમાલય પાસે આવેલો છે અને અહીં ભગવાન આદિનાથ (પ્રથમ તીર્થંકર)નું નિર્વાણ થયું હતું. તેથી, એ જૈનો માટે અત્યંત પવિત્ર સ્થળ માનવામાં આવે છે. હાલના સમયમાં અષ્ટાપદનું ચોક્કસ સ્થાન સિદ્ધ નથી, પણ માન્યતા પ્રમાણે તે કૈલાસ પર્વત નજીક છે.

૯. બાળકો માટે રમતગમત અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિ અને તે અંગેના પુસ્તકો પણ મૂકવામાં આવશે.

આ કાર્યક્રમમાં એક લાખ લોકો જોડાવાના છે, જેમાં અનેક રાજકીય, ફિલ્મ કલાકારો, બાળ કલાકારો, સંગીત જગતની વ્યક્તિઓ આવશે. ઉપરાંત મુંબઈની અનેક કોલેજો, યુનિવર્સિટીઓ, જે જે સ્કુલ ઓફ આર્ટસ આદિ સંસ્થાઓએ પોતાના સ્લોટ નોંધાવ્યા છે અને તેઓ પોતાના વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહેવાના છે. આ એક અલૌકિક અને યાદગાર કાર્યક્રમ છે.

શુક્રવાર અને શનિવારે બંને દિવસ રાતના સાંસ્કૃતિક કાર્યક્રમ અર્થાત સંગીત અને નાટક રહેશે. જેના માટે મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતના લોકોને પોતાના દેશ, સંસ્કૃતિ અને મૂલ્યો પ્રત્યે કેટલો લગાવ છે તેનો આ એક જીવંત નમૂનો છે.

(સેજલ શાહ- મુંબઈ)