મૃત્યુના ભય થી કેવી રીતે બચી શકાય?

જે અવિનાશી સત્તા આત્માના મનન ચિંતનમાં રહે છે તે પોતાને અવિનાશી સમજી દરેક પરિસ્થિતિમાં ખુશીનો ખોરાક ખાતો રહે છે. પ્રસિદ્ધ વક્તા ડોક્ટર દીપક ચોપડાને આબુમાં ચાલી રહેલ તેમના પ્રવચન દરમિયાન કોઈએ પૂછ્યું કે મૃત્યુના ભય થી કેવી રીતે બચી શકાય? ઉત્તરમાં તેઓએ જણાવ્યું કે નાશ પામવા વાળા શરીરના ભાન તથા અભિમાનમાં રહીશું તો મૃત્યુનો ભય તો લાગશે જ. અવિનાશી આત્માની સ્મૃતિમાં રહેશો તો મૃત્યુનો ભય નહીં લાગે. બીજું યાદ રાખો કે દરેક ચીજ હંમેશા મરતી રહે છે. જેવી રીતે સાંજના સમયે સવાર મરી ગઈ તથા જ્યારે આપણે યુવાન થયા ત્યારે બાળપણ મરી ગયું. એવી જ રીતે નવું જીવન મળ્યું તો પહેલાનું જીવન મરી ગયું.

જે ચીજ મળે છે તેનું ચિંતન કરો, નાશ પામવા વાળી ચીજનું નહીં. જ્યારે કોઈ વ્યક્તિએ પેરેલ કપડા ટાઈટ (શરીરને ચોટેલા) હોય છે તો તેને ઉતારવામાં વાર લાગે છે તથા દુઃખનો અનુભવ થાય છે. એવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિને શરીર રૂપી વસ્ત્ર પ્રત્યે ખૂબ લગાવ હોય છે તો તે વ્યક્તિ સહજ રીતે શરીરથી અલગ નથી થઈ શકતો. શરીરના મોહમાં જકડાયેલ વ્યક્તિ અંતિમ સમયે પણ શરીર થી અલગ થવા માટે ખૂબ કષ્ટ અનુભવ કરે છે.

આત્માનો સાથ આપવા માટે અસમર્થ બીમાર, રોગી તથા વૃદ્ધ શરીર હોવા છતાં પણ અંત સમયે મોહના કારણે આત્મા ન તો સુખથી જીવી શકે છે કે ન તો મૃત્યુ બાદ પ્રાપ્ત નવા જીવનને માણી શકે છે. માટે જ જીવિત અવસ્થામાં શરીર રૂપી વસ્ત્રને યોગ અભ્યાસ દ્વારા એટલુ ઢીલું છોડી દેવું જોઈએ કે આત્મા જ્યારે ઈચ્છે ત્યારે તેમાં પ્રવેશ કરી શકે અને જ્યારે ઈચ્છે ત્યારે તેને છોડી શકે. એકવાર એક સત્સંગમાં એક વૃદ્ધે કહ્યું કે મને એ વાતનો ડર ખૂબ લાગે છે કે બધા લોકો સ્મશાનમાં મને એકલો છોડીને પાછા જતા રહેશે અને ત્યાં જંગલી જાનવરોની વચ્ચે હું કેવી રીતે રહી શકીશ? આ સાંભળીને તેમના પ્રત્યે રહમની લાગણી ઉત્પન્ન થઈ. તેમને જણાવ્યું કે તમે ત્યાં હશો જ નહીં, તમે તો ભગવાનના શરણમાં હશો.

સ્મશાનમાં તો ફક્ત નાશવંત શરીર હશે. માટે જ પોતાને આત્મા સમજો અને શરીરના ભાનનો ત્યાગ કરો તો આ ભય નીકળી જશે. મૃત્યુના સંબંધમાં બે ખુબ મહાન વ્યક્તિઓના અનુભવ જાણીયે. એક તો ગાંધીજીના જીવનની ઘટના છે. તેમની નજર સામે જ્યારે તેમના પત્ની કસ્તુરબા એ શરીર છોડ્યું ત્યારે તેઓ એકદમ શાંત ઊભા હતા. ચિતાની પાસે ઉભેલ પંડિતજીએ કહ્યું કે મહાત્માજી, અંતિમ દર્શન કરી લો. આ “અંતિમ દર્શન” શબ્દ તેમને ઘા કરી ગયો. જ્યારે કફનને તેમણે પકડ્યું તો તેમના દિલથી અવાજ આવી કે કસ્તુરબા, શું હું તમારા અંતિમ દર્શન કરી રહેલ છું? હું તમને રાખ થતા નહીં જોઈ શકું. તેમની સંભાળવા મુશ્કેલ બની ગયા. એક સમાચાર પત્ર એ લખ્યું – આજે હિમાલયનું હૃદય ભરાઈ આવ્યું. તેઓ ખૂબ રડ્યા. મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરનાર તથા અડગ રહેવા વાળા ગાંધીજી પણ તે સમયે હલી ગયા.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)