અમદાવાદઃ અમદાવાદમાં 148મી રથયાત્રા યોજવામાં આવી રહી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન સામેલ એક હાથી બેકાબૂ થયો હતો. આ રથયાત્રામાં કુલ 18 હાથી સામેલ હતા અને બેકાબૂ થનારો હાથી સૌથી આગળ ચાલી રહ્યો હતો. બેકાબૂ થયા પછી હાથી રથથી આગળ નીકળી ગયો હતો. જે પછી મહાવત અને અન્ય લોકો હાથીને કાબૂમાં લેવા માટે તેની પાછળ દોડ્યા હતા. એક તરફ લોકો પણ હાથીના રસ્તામાંથી હટીને પોતાનો બચાવ કરતા નજરે પડ્યા. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. થોડા સમય બાદ વન વિભાગના કર્મચારીઓએ હાથીને કાબૂમાં લઈ લીધો હતો.
આ ઘટનાથી જોડાયેલા બે વિડિઓ પણ સામે આવ્યા છે. એક વિડિયોમાં હાથી રથયાત્રાથી અલગ થઇને દોડતો દેખાઈ રહ્યો છે. જ્યારે બીજા વિડિયોમાં હાથી બેકાબૂ થયા પછીનાં દ્રશ્યો છે. આ વિડિયોમાં અન્ય હાથી પણ થોડી અસ્વાભાવિક હરકતો કરતા જોવા મળ્યા હતા અને તેમના મહાવત તેમને શાંત પાડવાનો પ્રયાસ કરતા હતા. જોકે અન્ય હાથીઓએ કોઈ તોફાન કર્યું ન હતું, પરંતુ એક હાથી બેકાબૂ થયા પછી બીજા હાથીઓમાં પણ થોડી અસ્વાભાવિકતા જોવા મળી હતી.
રથયાત્રામાંથી ત્રણ હાથી દૂર કરાયા
અમદાબાદ રથયાત્રા દરમિયાન અવાજને કારણે બેકાબૂ થયેલા હાથીને મહાવત અને ઝૂ ઓથોરિટીના કર્મચારીઓએ હાથીને કાબૂમાં લીધો હતો. આ ઘટના પછી કુલ ત્રણ હાથીઓને રથયાત્રામાંથી દૂર કરવામાં આવ્યા હતા.
VIDEO | Gujarat: Three elephants go out of control during Jagannath Rath Yatra in Ahmedabad.
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/HYWt1hC4sX
— Press Trust of India (@PTI_News) June 27, 2025
રથયાત્રાનું મહત્વ
અહમદાબાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પુરી (ઓડિશા) બાદ દેશની બીજી સૌથી મોટી રથયાત્રા તરીકે માનવામાં આવે છે. 148મી રથયાત્રા 27 જૂન, 2025એ સવારે 7 વાગ્યે જમાલપુર સ્થિત 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરથી શરૂ થઈ અને રાત્રે 8:30 વાગ્યા સુધીમાં મંદિર પરત ફરશે. આ યાત્રાનો માર્ગ કુલ 18 કિમી લાંબો છે, જે જમાલપુરથી શરૂ થઈને રાયપુર, કાલુપુર, શાહપુર, દરિયાપુર, મોસાળ સરસપુર, પ્રેમ દરવાજા, દિલ્હી ચોકલા અને માણેક ચોક જેવા વિસ્તારોમાંથી પસાર થાય છે.
સુરક્ષાની કડક વ્યવસ્થા
આ યાત્રામાં 18 સુશોભિત હાથી, 101 ઝાંખીઓ, 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને ત્રણ બેંડ-બાજા સામેલ છે. સુરક્ષા માટે 23,884થી વધુ પોલીસ કર્મચારીઓ, 41 ડ્રોન, 130 વધારાના CCTV કેમેરા, AI આધારિત મોનિટરિંગ અને 25 વોચ ટાવર તહેનાત કરવામાં આવ્યા છે.



`આ પોસ્ટર દરવાજા પર શા માટે ચોંટાડ્યું છે?’ મારો પ્રશ્ન. `અરે મૉમ તે એક ગેમ છે, લેટ્સ પ્લે.’ હેતાએ મને ઉત્તર આપીને આય માસ્ક લઈ આવી. સારાને સામે ઊભી કરી, તેના હાથમાં સ્ટિકર આપ્યું. આંખો પર આય માસ્ક બાંધ્યો. તેને ગોળ-ગોળ ફેરવી અને કહ્યું, `જા હવે સામેના પોસ્ટર પર અચૂક ઠેકાણે પોસ્ટર ચોંટાડ.’ ગોળ-ગોળ ફેરવવાથી સારા મૂંઝાઈ ગઈ હતી. ચોક્કસ કઈ દિશામાં જવું તે અવઢવમાં હતી, પણ અમારા અવાજને આધારે તે દિશાનો અંદાજ લગાવતી હતી અને ધીમે-ધીમે મંજિલ દર મંજિલ કરીને તે પોસ્ટર સુધી પહોંચી અને ખાસ્સું નજીક તેણે પોસ્ટર ચોંટાડ્યું. તે પછી ઘરના દરેકની આંખો પર આ પટ્ટી બાંધવામાં આવી અને તેને લઈ એટલી ધમ્માલ આવી અને હાસ્યનું હુલ્લડ ફાટી નીકળ્યું કે પૂછો જ નહીં. મારી આંખો પર પટ્ટી બાંધવામાં આવી ત્યારે તો હદ થઈ ગઈ.
હવે બાકીનાઓનું હસવાનું ગડગડાટ સ્વરૂપ ધારણ કરવા લાગ્યું. `નીલ, ચાલો ગાદલા નાખીએ, તેને પોસ્ટર સુધી પહોંચવામાં સવાર થઈ જશે,’ એવો એક અવાજ આવ્યો. `અરે વીણા, તને અમારા અવાજની દિશા વગેરે સમજાય છે કે નહીં?’, `અરેરે, તું આટલી સેન્સલેસ હશે એવું લાગ્યું નહોતું,’ `અરે આ તો ટોટલ મંદ છે,’ `વીણા આજે તારી ઈમેજને તેં ધૂળધાણી કરી નાખી, `અરે યાર, આ વિશે મેં ક્યા સોચા થા ઔર યે ક્યા નિકલી,’ એકંદરે મારા કેલ્ક્યુલેશનના બાર વાગી ગયા હતા અને આત્મવિશ્વાસના ધજાગરા ઊડી ગયા હતા. અભિમાનની જગ્યા અસહાયતાએ લીધી અને મેં કહ્યું, `માનું છું કે હું મંદ છું, બટ નાઉ ગિવ મી અ ક્લુ.’ મેં હાર માન્યા પછી અને મદદ માગ્યા પછી જો કે તે હસતા મોઢા અને શાબ્દિક ચપરાક બંધ થયા. `વીણા ડાબા હાથે વળી જા, બે પગલું આગળ જા, લેફ્ટ લેફ્ટ, થોડું રાઈટ, હવે સામે, યુ આર ઓલ્મોસ્ટ ધેર, આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’… કહીને મને આખરે તે પોસ્ટર સુધી પહોંચાડી, હમણાં સુધી મારી હોશિયારીની ઐસી-તૈસી થવાથી ત્યાં પણ મેં લોચા માર્યા. કાનની જગ્યાએ નાક લગાવીને રુઆબથી મેદાનમાં ઊતરેલી હું નાસીપાસ થઈ ગઈ હતી. આ નાની રમતને કારણે આંખો ખુલ્લી હોય ત્યારની દુનિયા અને આંખો પર પટ્ટી લગાવ્યા પછીની દુનિયા વચ્ચેનું અંતર એકાદ સત્ય સામે આવીને ઊભું રહ્યું. આ રમતમાં વધુ મજાની વાત એ હતી કે થોડા ફરકથી દરેકની અવસ્થા મારા જેવી જ હતી. `શું મૂરખપણું ચાલી રહ્યું છે, હવે હું જુઓ કઈ રીતે મસ્ત સ્ટિકર લગાવું છું’ એવું કહીને દરેક જણ મેદાનમાં ઊતરતા હતા અને `લાગ્યું હતું તેટલું ઝડપથી ફાવ્યું નહીં, ઈટ્સ નૉટ ધૅટ ઈઝી’ એવું મનમાં ને મનમાં કહેતા હતા અને આંખો પરથી પટ્ટી કાઢવામાં આવતી ત્યારે ચહેરા પર તો તેવું દેખાતું હતું. `મને તે તુરંત ફાવવાનું હતું, પરંતુ તમને હસાવવા માટે મેં સમય પસાર કર્યો,’ એવી પોતાની નિષ્ફળતા પર કરેલો ઢાંકપિછોડો પણ જોવા મળ્યો. જો કે એકંદરે તે એટલું આસાન નહોતું એ દરેકને સમજાઈ ગયું હતું. આ ગેમ અમે `પિન ધ નોઝ’ તરીકે રમ્યાં હતાં.
બધાનું અંગ્રેજીકરણ થયું છે, પરંતુ તેનો હવે કોઈ ઈલાજ નથી. ઘરમાં અથવા શક્ય હોય ત્યાં આપણી માતૃભાષા બોલવાની અને આગળ લઈ જવાની. આ રમતને આપણે સ્કૂલમાં `ગધેડાને પૂંછ લગાવવી’ એવું કહેતાં હતાં. હમણાં પણ આંખો સામે ગામની શાળામાંનો તે ક્લાસ યાદ આવ્યો. સામે મોટું કાળું બોર્ડ, તેની પર ચોકથી સરે અથવા શિક્ષિકાએ અથવા ક્લાસમાં એક ઊભરતા ચિત્રકારે દોરેલું ગધેડાનું મોટ્ટું ચિત્ર. અને એક-એક કરીને આપણે આંખો પર પટ્ટી બાંધીને તે ગધેડાને પૂંછ લગાવવા માટે આગળ વધતાં. ક્લાસ તે એક કલાક જાણે લાફ્ટર ક્લબમાં ફેરવાઈ જતો. દેખાડા માટે હસવાનું નહીં પણ રીતસર પેટ પકડાવીને હસાવીને આંખોમાંથી પાણી લાવનારું અસલ હાસ્ય. આપણે આવી જ એક અન્ય રમત રમતાં, આંધળી કોથમીર. તેમાં પણ આવી જ મજા આવતી, જેની પર રાજ્ય રહેતું તેને અને રમતા હોય તેને પણ.`ઉઘડા ડોળે બધા નીટ’ (ખોલો આંખો જુઓ બરોબર) આ એક ટીવી ચેનલની ટેગલાઈન છે. સૌપ્રથમ તે આવી ત્યારે `અરે આવી તે કેવી આ લાઈન’ એવું લાગતું પણ ધીમે ધીમે તેમાંનો અર્થ સમજાવા લાગ્યો અને પછી તે લાઈન બોલ્ડ અને બ્યુટિફુલ બની ગઈ. આ જ લાઈન મને આ `પિન ધ નોઝ’ ગેમ પછી `આંખો બંધ કરો અને ખ્યાલને જગાવો’ એવી કરવાનું મન થાય છે. એટલે કે, મારા માટે તે મેં બદલી પણ નાખી. આમ પણ અજાણતા આપણે આવું કરતા હોઈએ છીએ.
અચાનક ઉદભવેલી એકાદ મુશ્કેલીનો સામનો કરતી વખતે ઘણી વાર આપણે ઘરમાં અથવા કાર્યાલયમાં એકાદ શાંત જગ્યાએ એકલાં બેસીએ છીએ, આંખો બંધ કરીએ છીએ, શાંત થઈએ છીએ, વિચાર કરીએ છીએ. મુશ્કેલી અથવા સંકટ આપણા લીધે આવ્યા હોય અથવા આપણી પર આવ્યા હોય તો તે બદલી શકાય નહીં. આથી `વ્હોટ્સ નેક્સ્ટ?’ આ પ્રશ્ન પર મનમાં મને મનમાં `આ કે તે?’ `કિંતુ પરંતુ’નો ઊહાપોહ કરીએ છીએ અને નિશ્ચિત રીતે ક્યાંક નિર્ણય પર પહોંચીએ છીએ. આંખ બંધ કર્યા પછી જ ખરેખર મહત્ત્વની બાબત દેખાવા લાગે છે. દિવસમાં થોડો સમય આપણે આ આંખ બંધ કરવા માટે આપવો જોઈએ. ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આવશે.ખુલ્લી આંખ, બંધ આંખ, ચશ્માં લગાવેલી આંખો, સતત સામે જોનારી આંખો, સામે અને આસપાસ જોનારી આંખો, પાછળ વળીને જોનારી આંખો, ભૂતકાળના ચિત્રમાં રમતી આંખો, ભવિષ્યનું કાલ્પનિક ચિત્ર કુતૂહલથી જોઈને તેમાં દેહભાન ભુલાવનારી આંખો… બાપ રે બાપ! કેટલા પ્રકારની છે આ આંખો? આપણી આંખો કેવા પ્રકારની છે તે આપણે જ તપાસી લેવી જોઈએ. આ આંખોમાં હવે ઉમેરાઈ છે કેમેરાની આંખો. ટુર્સ પર અમને તેનો પરિચય થાય છે.
ક્યારેક-ક્યારેક કોઈક પર્યટક પોતાની ખુલ્લી આંખે એકાદ પર્યટન સ્થળના સૌંદર્યનો મન મૂકીને આનંદ લઈ શકતો નથી. સતત આપણી આંખોને કેમેરા, ફોટો મહત્ત્વના છે જ, તે ખુશીની યાદો છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ ફોટોમાં અને કેમેરામાં જ જો તે પર્યટનસ્થળ જોવાનું હોય તો પછી આટલા પૈસા ખર્ચ કરીને આવવું જ શા માટે આટલા દૂર. પર્યટનસ્થળના મસ્ત-મસ્ત ફોટોઝ અને વિડિયોઝે તો સોશિયલ મિડિયા અને ચિત્રપટ ભરેલા છે. મને અહીં ચિત્રકાર શામ જોશીની યાદ આવી. તેઓ એકાદ ટુર પર હતા. તેમણે મને પૂછ્યું, `શામકાકા તમારી પાસે કેમેરા નથી?’ તેમણે કહ્યું, `વીણા, હું આ સ્થળો ખુલ્લી આંખો જોઉં છું. તેનો આનંદ લઉં છું, મનમાં તેનાં ચિત્રો દોરું છું અને ઘરે ગયા પછી કેન્વાસ પર તે ચીતરું છું.’ તેમના તે શબ્દો આજે પણ જેમના તેમ યાદ છે. હું પણ ટુર પર ક્યારેક ફોનને વશ થઈ જાઉં છું, દે ધનાધન ફોટોઝ ખેંચવાનું શરૂ કરું છું, પરંતુ પછી એકદમ શામકાકાના શબ્દ યાદ આવે છે અને ભાનમાં આવું છું, મેં કેમેરા બંધ કરીને શાંતિથી ખુલ્લી આંખોથી તે પર્યટનસ્થળનો આનંદ લેવાનો પ્રયાસ કરું છું. હા, પ્રયાસ જ કહેવું જોઈએ, કારણ કે હાથ અજાણતા જ તે મોબાઈલ પાસે ખેંચાતો હોય છે. ગધેડાને પૂંછ લગાવવાની હોય કે આંધળી કોથમીરની રમત હોય, મને આ પોતાની અંદર ભાન જાગૃત કરનારી રમત લાગે છે. `ઈટ્સ નૉટ ઈઝી ઓલ્વેઝ’ આ વાસ્તવિકતાનું ભાન કરાવે છે. ખુલ્લી આંખો અને આંખો પર પટ્ટી આ બંને બાબતોમાં રહેલા જમીન-આસમાનના ફરકનું તે આપણને ભાન કરાવે છે. આંખોનું મહત્ત્વશું છે તે મનાવી આપે છે અને આ એક જ બાબત આપણને ભગવાન સામે નતમસ્તક થવાની ફરજ પાડે છે. ગધેડાને પૂંછ લગાવવી કે પછી`પિન ધ નોઝ’ હોય, કોઈ પણ ભાષામાં રમત હોય, તે ક્યારેક વચ્ચે વચ્ચે રમવી જોઈએ. આપણને ઈઝીલી મળેલી આંખોનું મહત્ત્વ આપણને સમજાવવું જોઈએ. જ્યારે પણ તે થશે ત્યારે પછી આપણી આંખો કોઈકની આંખ બની શકશે. પછી આઈ ડોનેશન માટે હોય કે ઓર્ગન ડોનેશન માટે, સરકારને કેમ્પેઈન કરવાની જરૂર પડશે નહીં.


અકસ્માતમાં 274થી વધુનાં મોત નીપજ્યાં, માત્ર એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ થયો. આ ઘટનાના પિસ્તાળીસ દિવસ થયે ઘટના મગજમાંથી ખસતી નથી. જીવનની ક્ષણભંગુરતા વિશે વિચારતાં હું લેપટોપ સામે બેઠો છું ત્યારે વિમાનદુર્ઘટના પર બનેલી કેટલીક હોલિવૂડની ફિલ્મ યાદ આવી જાય છે. લિસ્ટ તો લાંબું છે, પણ તત્ક્ષણ સાંભરે છે ‘મેનિફેસ્ટ’ અને ક્લિન્ટ ઈસ્ટવૂડ દિગ્દર્શિત સત્ય ઘટના આધારિત ‘સલી’. 15 જાન્યુઆરી, 2009ના રોજ યુએસ ઍરવેઝની ફ્લાઈટ 1549 ન્યૂ યૉર્કના લગ્વાડિયા ઍરપૉર્ટ પરથી ઉડાન ભરે રહે છે, પણ પક્ષીઓ એન્જિનમાં ઘૂસી જતાં વિમાન ગોથાં ખાવા માંડે છે. પાઈલટ સુલેનબર્ગર તત્કાળ નિર્ણય લઈને પ્લેનને હડસન નદીમાં (જેમાં વિશ્વવિખ્યાત મશાલ ઝાલીને ઊભેલી સ્વાતંત્ર્યની મૂર્તિ છે તેમાં) ઉતારે છે, બધા પ્રવાસી બચી જાય છે. આ ઘટનાની ઈન્ક્વાયરીમાં પાઈલટને પૂછવામાં આવે છે કે ‘વિમાનને ઍરપૉર્ટ પર લૅન્ડ કરવાના ચાન્સ હતા કે નહીં? શું નદીમાં ખાબકવું જરૂરી હતું?’ ફિલ્મમાં પાઈલટ સુલેનબર્ગરની ભૂમિકા ટૉમ હેન્ક્સે ભજવેલી. આ પ્રેરણાદાયી કથા એવિયેશન ઈન્ડસ્ટ્રીમાં સુરક્ષાના નિયમો, બેદરકારીને પણ પ્રકાશમાં લાવે છે. સર્જક જાણે પૂછવા માગે છે કે પાઈલટ સુલેનબર્ગર નાયક હતા ખલનાયક? 


પણ ખબર નથી હોતી કે એ બીમાર છે. સતત ભ્રમણામાં રહેતા લોકો પોતાને કોઈ મહાન વ્યક્તિની જગ્યાએ કે કોઈ મોટી પ્રતિષ્ઠિત જગ્યાએ વિચારે છે. અને પછી પોતાની આસપાસના લોકોને એ માનવા મજબુર કરે છે. આજના દેખાડાના જમાનામાં લોકો એવું માની પણ લે છે કે એ વ્યક્તિઓ સાચું બોલે છે. મોટા માણસોના કાર્યક્રમોમાં સ્ટેજની નીચે ઉભા રહીને સેલ્ફી લઈને માની લેવું કે એ વ્યક્તિ પોતાને ઓળખે છે. એ પણ બીમારી જ ગણાય. આવા લોકોને સન્માન નહિ પણ સારવારની જરૂર હોય છે.

લઈ શકાય?

