ઘણા લોકો આશીર્વાદ માંગે છે, પણ બહુ ઓછા લોકોને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું શા માટે? કારણ કે જે આપનાર છે, તે તો હંમેશા આપતો જ હોય છે, પણ જે લેવાવાળો છે, તેની પ્રામાણિકતા ક્યાંક ખોવાઈ ગઈ છે. જે લોકો આશીર્વાદ આપી રહ્યા છે તેઓ ઉદારતાથી આપી રહ્યા છે, પરંતુ જે લોકો તેમને પ્રાપ્ત કરે છે તેઓએ પ્રામાણિક રહેવું જોઈએ. પ્રામાણિકતા એ આશીર્વાદ મેળવવાની લાયકાત છે. અને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ક્ષણે સાચો અને પ્રામાણિક બની શકે છે.
લોકો ફક્ત ક્યારેક જ પ્રામાણિક કેમ હોય છે?
ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે તેઓ કોઈ સાંસારિક સુખથી વંચિત રહી જશે. આનંદ અને સુખની ઇચ્છા તેમને નિષ્ઠાવાન બનાવે છે. જ્યારે તમે નિષ્ઠાવાન હોવ છો, ત્યારે તમે તૃષ્ણા રહીત દરેક સુખનો આનંદ માણી શકો છો. પ્રામાણિકતાનો અર્થ એ છે કે તમારી અંદર રહેલ ગહનતા સાથે જોડાઈ રહેવું.
જ્યારે આપણે જીવનમાં અટવાયેલા અનુભવીએ છીએ અને આગળ વધવામાં અસમર્થ હોઈએ છીએ, અથવા જ્યારે આપણે ઇચ્છાઓથી ભરેલા હોઈએ. જ્યારે જીવન શુષ્ક બની જાય, કોઈ ઉત્સાહ ના હોય, નીરસતા હોય, ત્યારે આપણે શું કરવું જોઈએ?
ઉદાર બની જાઓ – આ ક્ષણે જ, કાલે નહીં. રાજકુમારી અને ગરીબ બંને ઉદાર હોઈ શકે છે. ઉદારતા એ આત્માનો ગુણ છે. જ્યારે તમે ઉદાર બનો છો, ત્યારે તમારું જીવન દયા અને પ્રેમથી ભરેલું બની જાય છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
દસ વર્ષનો આરવ મમ્મી રશ્મિને પૂછે છે, “મમ્મી, તમે કાર કેમ નથી ચલાવતા? તમને મન નથી થતું?” રશ્મિ જવાબ આપે એ પહેલાં જ એના પિતા નીરવ બોલી ઉઠ્યાઃ “સારું છે તારી મમ્મી કાર નથી ચલાવતી, નહીંતર રોજ કાર અથડાવીને આવે. મહિલા ડ્રાઈવ કરે એટલે અંદર બેઠેલા કે આસપાસ ડ્રાઇવ કરતા લોકો સુરક્ષિત નથી રહેતા” નીરવની વાત સાંભળીને રશ્મિ ચૂપચાપ રૂમમાંથી નીકળી ગઇ, પરંતુ આરવને આ વાત ગળે ન ઉતરી.
એ ફરી મમ્મી પાસે જાય છે. રશ્મિ ધીમા સ્વરે કહે છે “હા બેટા, મને કાર ચલાવતા આવડતી નથી, પરંતુ જો તારી ઇચ્છા છે તો હું જરૂર શીખીશ. જો મહિલાઓ આખું ઘર, પરિવાર અને દેશ ચલાવવાની શક્તિ ધરાવે છે, તો એમના માટે કાર ચલાવવી એ મોટું કામ નથી… ”
હકીકતમાં રશ્મિ સાચું કહેતી હતી. આજે તો મહિલાઓ વિમાન અને રોકેટ સુધી ઉડાવે છે, તો પછી કાર ચલાવવી તો ખરેખર સહેલું જ કહેવાય. મૂળ મુદ્દો માનસિકતાનો છે.
આ મુશ્કેલી ડ્રાઈવિંગથી નહીં..
આજકાલ મહિલાઓ કાર ચલાવે એ સામાન્ય છે, છતાં સમાજમાં એમની આવડતને શંકાની નજરે જોવામાં આવે છે. “મહિલા ડ્રાઈવ કરે એટલે અકસ્માતની શક્યતા વધારે” એવી માન્યતા એમનો આત્મવિશ્વાસ તોડી નાખે છે. હકીકતમાં આ મુશ્કેલી ડ્રાઈવિંગથી નહીં, પરંતુ સ્ત્રી પ્રત્યેના પૂર્વગ્રહોથી જન્મે છે.
આ વિશે ચિત્રલેખા.કોમસાથે વાત કરતા મૈત્રી યશ ચૌહાણ કહે છે, “રસ્તા પર જ્યારે કોઈ મહિલા ધીમે કાર ચલાવે કે પાર્કિંગમાં થોડી ગડબડ કરે, ત્યારે માત્ર પુરુષો જ નહીં, ઘણીવાર મહિલાઓ પણ ટીકા કરે છે કે આને તો બરાબર પાર્કિંગ કરતા પણ નથી આવડતું! શું જોઈને કાર લઈને નીકળી પડી છે. આવી ટિપ્પણીઓથી પૂર્વગ્રહો મજબૂત થાય છે, ડ્રાઇવિંગ કરતી મહિલાને બાહ્ય દબાણ ઉપરાંત આંતરિક સંકોચનો સામનો કરવો પડે છે. આ સમસ્યા આ પ્રકારના પૂર્વગ્રહોનું પરિણામ છે. સાચી સમાનતા ત્યારે આવશે જ્યારે સ્ત્રીઓ એકબીજાની ટીકા નહીં, પરંતુ પ્રોત્સાહન આપશે, અને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરશે.”
જાહેર ક્ષેત્રમાં હજી પણ અવરોધો છે
મહિલાઓ માટે કાર ચલાવવું માત્ર એક કુશળતા નથી, એ એક સ્વતંત્રતાનું પ્રતિક છે. સ્ટિયરિંગ પાછળ બેસતાં જ સ્ત્રી પોતાની પસંદગીનો રસ્તો પોતે નક્કી કરી શકે છે. ઘણીવાર મહિલાઓ જ્યારે એકલી લાંબી મુસાફરી કરે છે, ત્યારે આસપાસના લોકો ચકિત પણ થઈ જાય છે.
ચિત્રલેખા.કોમસાથે વાત કરતા એકાઉન્ટન્ટ શિરીન સોની કહે છે, મહિલાઓ હવે કૌટુંબિક ક્ષેત્રે કે ખાનગી ક્ષેત્રમાં આત્મવિશ્વાસ સાથે કાર ચલાવે છે અને સામાજિક ટીકાઓથી બહુ પ્રભાવિત થતી નથી. તેમની ક્ષમતા પર પણ સવાલ ઉઠતા નથી. જોકે, જાહેર પરિવહન ક્ષેત્રે આ ચિત્ર અલગ છે. મહિલાઓ બસ કે જનરલ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે ભાગ લેતી નથી, જોકે રિક્ષા ચલાવવામાં થોડીઘણી સહભાગીતા દેખાય છે. આ દર્શાવે છે કે જાહેર ક્ષેત્રમાં હજુ પણ સામાજિક પૂર્વગ્રહો અને અન્ય અવરોધો મહિલા ડ્રાઇવરોની સહભાગીતાને અસર કરે છે.
રસ્તા પર ચાલતી કારનું મૂલ્યાંકન ડ્રાઈવિંગથી થવું જોઈએ
ડ્રાઈવિંગ કરતી મહિલાઓ માટે સૌથી મોટો પડકાર ટ્રાફિક નહીં, પરંતુ લોકોની નજર હોય છે. રસ્તા પર જો કોઈ પુરુષ ટ્રાફિક નિયમ તોડે તો એને બેદરકાર ડ્રાઈવર ગણવામાં આવે છે, જ્યારે એ જ ભૂલ મહિલા કરે તો તરત જ એ તો મહિલા છે માટે આવી ભૂલ તો થવાની જ આવી ટિપ્પણી થાય છે. આ દ્વિધા દર્શાવે છે કે સમસ્યા ડ્રાઈવિંગ કૌશલ્યની નથી, પરંતુ માનસિકતાની છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર પ્રિયા વ્યાસ કહે છે કે, “કેબ ડ્રાઈવરથી લઈને રેલ ડ્રાઈવર સુધી, મહિલાઓ એ સાબિત કર્યું છે કે હિંમત અને તાલીમ હોય તો સ્ટિયરિંગ પુરુષ કે સ્ત્રી કોઈના હાથમાં પણ સુરક્ષિત છે. સમાજે હવે આ વાત સમજવી પડશે કે રસ્તા પર ચાલતી કારનું મૂલ્યાંકન એની ડ્રાઈવિંગથી થવું જોઈએ, ડ્રાઈવર સ્ત્રી છે કે પુરુષ એથી નહીં.”
સંશોધન દર્શાવે છે કે મહિલાઓ પુરુષોની તુલનામાં વધુ સલામત રીતે વાહન ચલાવે છે. પુરુષો વધુ ઝડપથી ડ્રાઇવિંગ કરે છે, નિયમોનો ભંગ વધારે કરે છે અને વ્યસન કરીને પણ ડ્રાઇવ કરવાની ઘટનાઓમાં એમનો હિસ્સો વધુ હોય છે. ભારતમાં રોડ અકસ્માતોમાં મહિલાઓનો પ્રતિશત પુરુષોની તુલનામાં બહુ ઓછો જોવા મળે છે. મહિલાઓ નિયમોનું પાલન કરે છે, સીટબેલ્ટ અને હેલમેટ વાપરવામાં આગળ રહે છે. ફ્રાન્સ જેવા દેશોમાં તો “ડ્રાઇવ લાઈક અ વુમન” જેવા અભિયાનથી પણ સાબિત થયું છે કે મહિલાઓ ગંભીર અકસ્માતોમાં ઓછો હિસ્સો ધરાવે છે.
ભારતે તેની પહેલી વિક્રમ ચિપનું અનાવરણ કર્યું. આ પ્રસંગે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. તેમણે આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશ પર આંગળી ચીંધનારાઓ સામે કર્યો. તેમણે ખાસ કરીને ટ્રમ્પના ટેરિફ અને ડેડ ઈકોનોમી પરના નિવેદન પર હુમલો કર્યો. તેમણે સેમિકન્ડક્ટર મોરચે વિશ્વમાં પોતાની પકડ બનાવવા અને ચીનના એકાધિકારને તોડવાનો પણ સંકેત આપ્યો.
Let me give you an overview of the speed of semiconductor industry in India.
In 2021, we launched ‘Semicon India’. In 2023, India’s first semiconductor plant was approved.
In 2024, a few more plants were cleared. By 2025, five additional projects received approval.
સ્પષ્ટ છે કે તેમણે સેમિકોન ઇન્ડિયા 2025 ના પ્લેટફોર્મ પરથી એક કાંકરે અનેક પક્ષીઓને માર્યા. આર્થિક મોરચે બોલતા તેમણે કહ્યું કે ટેરિફને કારણે, વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ જે રીતે કટોકટીનો સામનો કરી રહી છે અને આર્થિક વિકાસ અટકી ગયો છે. તે જ સમયે, ભારતે આ મોરચે તે દેશો કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે.
તેમણે એમ પણ કહ્યું કે વિશ્વ ભારત પર વિશ્વાસ કરે છે. વિશ્વ ભારતમાં માને છે. વિશ્વ ભારત સાથે સેમિકન્ડક્ટરનું ભવિષ્ય બનાવવા માટે તૈયાર છે. સેમિકન્ડક્ટર્સની દુનિયામાં, તેલને ઘણીવાર કાળું સોનું કહેવામાં આવે છે, જ્યારે ચિપ્સને ડિજિટલ હીરા માનવામાં આવે છે. આ વસ્તુઓના ઘણા અર્થ છે. તાજેતરમાં તેમણે જાપાનની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું ધ્યાન સેમિકન્ડક્ટર્સ પર હતું. ચાલો તમને એ પણ જણાવીએ કે તેમણે ટ્રમ્પ અને ચીનને બંને મોરચે શું સંકેતો આપ્યા છે.
जितना कम पेपरवर्क होगा… वेफर वर्क उतना जल्दी शुरु हो पाएगा।
इसी अप्रोच भाव के साथ हमारी सरकार काम कर रही है।
हमने National Single Window System लागू किया है।
इससे केंद्र और राज्यों के सारे अप्रूवल एक ही प्लेटफार्म पर मिल रहे हैं।
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મૃત અર્થતંત્રના કટાક્ષને પરોક્ષ રીતે નકારી કાઢ્યો અને કહ્યું કે ભારતીય અર્થતંત્ર પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકાના દરે વધ્યું છે અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને આર્થિક સ્વાર્થથી પ્રેરિત પડકારો વચ્ચે તમામ અંદાજોને વટાવી ગયું છે. સેમિકોન ઇન્ડિયા 2025 કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે એપ્રિલ-જૂનમાં GDP વૃદ્ધિ દરેક અપેક્ષા, આશા અને અંદાજ કરતાં સારી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને આર્થિક સ્વાર્થથી ઉદ્ભવતા પડકારો વચ્ચે ભારતે આ આર્થિક પ્રદર્શન કર્યું છે. મોદીએ કહ્યું કે ફરી એકવાર, ભારતે દરેક અપેક્ષા, દરેક અંદાજ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે વિશ્વભરના અર્થતંત્રો આર્થિક સ્વાર્થથી પ્રેરિત ચિંતાઓ અને પડકારોનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ભારતે 7.8 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે.
અમેરિકા અને ચીનથી ઘણો આગળ
વડાપ્રધાન મોદીએ ભાર મૂક્યો કે આ વૃદ્ધિ તમામ ક્ષેત્રોમાં દેખાય છે – ઉત્પાદન, સેવા, કૃષિ અને બાંધકામ. ઉત્સાહ દરેક જગ્યાએ સ્પષ્ટપણે દેખાય છે. તેમણે કહ્યું કે ભારતનો ઝડપી વિકાસ તમામ ઉદ્યોગો અને દરેક નાગરિકમાં નવી ઉર્જાનો સંચાર કરી રહ્યો છે. મોદીએ ભાર મૂક્યો કે વિકાસની આ ગતિ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ ધપાવી રહી છે.
વડા પ્રધાને પડકારો વિશે સ્પષ્ટપણે કંઈ કહ્યું ન હતું, પરંતુ તેમનું નિવેદન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન તેલ ખરીદવાને કારણે ભારતીય માલ પર વધારાની 25 ટકા ડ્યુટી લાદ્યાના થોડા દિવસો પછી આવ્યું છે. આનાથી ભારત પર કુલ ડ્યુટી 50 ટકા થઈ ગઈ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ડ્યુટી લાદતા પહેલા ટ્રમ્પે ભારતની અર્થવ્યવસ્થાને મૃત જાહેર કરી હતી.
ભારત પ્રથમ (એપ્રિલ-જૂન) ક્વાર્ટરમાં તેમજ 2024-25 (નાણાકીય વર્ષ એપ્રિલ 2024 થી માર્ચ 2025) અને ત્યારબાદના વર્ષોમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા રહી છે, જે ચીનને ઘણું પાછળ છોડી દે છે. એપ્રિલ-જૂનમાં યુએસ અર્થતંત્ર 3.3 ટકાના દરે વધ્યું. યુએસ અધિકારીઓએ તાજેતરના સમયમાં રશિયન તેલની સતત ખરીદી અંગે ભારતની ટીકા કરવા માટે બિનજરૂરી કઠોર શબ્દોનો ઉપયોગ કર્યો છે.
નવી દિલ્હીઃ હાઈકોર્ટે મંગળવારે 2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો સાથે જોડાયેલા લાર્જર કોન્સ્પિરસી (મોટું કાવતરા) મામલામાં આરોપી કાર્યકર ઉમર ખાલિદ, શરજિલ ઇમામ અને અન્યને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અન્ય સાત આરોપીઓ—ગુલફિશા ફાતિમા, યુનાઇટેડ અગેન્સ્ટ હેટ (UAH)ના સ્થાપક ખાલિદ સૈફી, અતર ખાન, મહંમદ સલીમ, શિફા-ઉર-રહમાન, મીરાન હૈદર અને શદાબ અહમદ—ની જામીન અરજીઓ પણ ફગાવી દીધી હતી.
જસ્ટિસ નવીન ચાવલા અને શાલિન્દર કૌરની ડિવિઝન બેન્ચે ચુકાદો આપતાં કહ્યું હતું કે બધી અપીલો ફગાવી દેવામાં આવે છે. કોર્ટે આ અરજીઓ પર પોતાનો આદેશ નવ જુલાઈએ સુરક્ષિત રાખ્યો હતો. એ દરમ્યાન બીજી એક બેન્ચ જેમાં ન્યાયમૂર્તિ સુબ્રમોનિયમ પ્રસાદ અને હરીશ વૈદ્યનાથન શંકર સામેલ હતા, તેમણે સહ-આરોપી તસ્લીમ અહમદની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 23 ફેબ્રુઆરી 2020એ નાગરિકતા સુધારો કાયદો (CAA)ને લઈને હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે થયેલી અથડામણો ભીષણ રમખાણોમાં ફેરવાઈ હતી. આ તોફાનોમાં 53 લોકોનાં મોત થયાં હતાં અને સેકડો લોકો ઘાયલ થયા હતા.
આ મામલાના આરોપીઓએ નીચલી કોર્ટમાંથી જામીન અરજી ફગાવવામાં આવ્યા પછી દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમનું કહેવું હતું કે તેઓ પહેલેથી જ ચાર વર્ષથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને ટ્રાયલની ધીમી ગતિને કારણે તેમને અનિશ્ચિત સમય સુધી જેલમાં રાખવા યોગ્ય નથી. તેમણે એ પણ દલીલ કરી હતી કે તેમને પણ એ જ આધાર પર જામીન મળવા જોઈએ જેમ કે સહ-આરોપી નતાશા નરવાલ, દેવાંગના કલિતા અને આસિફ ઇકબાલ તનહાને 2021માં હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા.
બીજી તરફ દિલ્હી પોલીસ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને ખાસ લોક અભિયોજક અમિત પ્રસાદે જામીનનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે 2020નાં રમખાણો અચાનક ભડક્યાં નહોતાં, પરંતુ આ એક સંગઠિત અને યોજનાબદ્ધ કાવતરું હતું.
પટના: બિહારમાં મતદાર અધિકાર યાત્રા પૂર્ણ થતાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સભ્ય દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીનો “હાઈડ્રોજન બોમ્બ” RJDના માથા પર જ ફોડ્યો છે. બિહારમાં ઈન્ડિયા ગઠબંધનમાં CMના ચહેરાને લઈને દિગ્વિજય સિંહે કહ્યું હતું કે CM એ પાર્ટીનો બનશે, જેને બહુમતી મળશે. “કોણ CM બનશે, જો અમે નક્કી કરી લઈએ તો તમે શું કરશો? તેથી રાહ જુઓ, એમ તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે રાહ જુઓ હાઈડ્રોજન બોમ્બનો.
વાસ્તવમાં યાત્રા પૂર્ણ થયા પછી મહાગઠબંધનની અંદર ફરીથી સીટ વહેચણીને લઈને ઘમસાણ સર્જાયું છે. જોકે મતદાર અધિકાર યાત્રાને સફળ બનાવવા માટે RJD નેતા તેજસ્વી યાદવે પોતાની પૂરી શક્તિ લગાવી દીધી હતી, પરંતુ આખું શ્રેય કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી લઈ ગયા.
કોંગ્રેસી કાર્યકર્તાઓ આને ફક્ત રાહુલ ગાંધીની જ યાત્રા ગણાવી રહ્યા છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ યાત્રાની સફળતાથી ખુશીથી ઊછળી રહ્યા છે. આવા સંજોગોમાં કોંગ્રેસનો આ આત્મવિશ્વાસ RJDપ્રમુખ લાલુ યાદવ અને તેજસ્વી યાદવને ભારે પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પાર્ટી હવે RJD પાસેથી બરાબરીની સીટ માગે છે. તે ઓછામાં ઓછી 90 સીટ પર ચૂંટણી લડવાનો વિચાર કરી રહી છે.
Patna, Bihar: On declaration of CM face of the INDI Alliance, Congress leader Digvijaya Singh says, “The Chief Minister will be from the party that gets the majority. This tradition exists in some places, and in some places, it doesn’t. So, if we decide in advance who will become… pic.twitter.com/yQvPB7qcNJ
કોંગ્રેસના વ્યૂહરચનાકારો હવે બિહારમાં પોતાની માટે 90 સીટ માગે છે. કોંગ્રેસના કેટલાક રાષ્ટ્રીય નેતાઓએ પટનાની એક હોટેલમાં અનૌપચારિક બેઠક કરી હતી, જેમાં આ પ્રકારની ચર્ચા થઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સ્તરના કેટલાક નેતાઓએ હવે 70ની જગ્યાએ 90 સીટ પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રાદેશિક નેતૃત્વે પણ આને ટેકો આપ્યો છે.
ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ આજે મંગળવારે એક અણધાર્યો નિર્ણય લીધો અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર વિધાન પરિષદ સભ્ય (MLC) કે. કવિતાને BRSમાંથી સસ્પેન્ડ કરી દીધી. કવિતાના પિતા અને BRS વડા કે. ચંદ્રશેખર રાવે કવિતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
પાર્ટીના મહાસચિવ ટી. રવિન્દર રાવ અને અન્ય મહાસચિવ (શિસ્ત બાબતોના પ્રભારી) સોમા ભરત કુમારે એક સંદેશમાં મીડિયાને જણાવ્યું હતું કે કવિતાના પિતા અને BRS વડા કે. ચંદ્રશેખર રાવે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કવિતાના તાજેતરના વર્તન અને તેમની પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ BRSને નુકસાન પહોંચાડી રહી છે. પક્ષના નેતૃત્વએ તેને ગંભીરતાથી લીધું છે.
નવી દિલ્હીઃ બિહાર ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દરભંગામાં અપશબ્દ કહેવામાં આવ્યા હતા. હવે મંગળવારે PM મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે જે ગાળો તેમની માતાને આપવામાં આવી છે, એ હકીકતમાં દેશની દરેક માતાનું અપમાન છે. આ બધું બોલતા સમયે PM મોદી બહુ ભાવુક થયા હતા. તેમની આંખો ભીની દેખાઈ રહી હતી. PM મોદીએ એટલું પણ કહ્યું કે તેમની માતાએ ઘણી ગરીબીમાં તેમને ઉછેર્યા છે, અનેક બલિદાન આપ્યાં છે.
તેમણે કહ્યું હતું કે અમારી સરકાર માટે માતાની ગરિમા, તેનું સન્માન, તેનો સ્વાભિમાન બહુ મોટી પ્રાથમિકતા છે। માતા જ તો આપણો સંસાર છે, માતા જ આપણું સ્વાભિમાન છે. ત્યાર બાદ પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે મને આ જોઈને ખુશી થાય છે કે જીવિકા નિધિની વ્યવસ્થા સંપૂર્ણપણે ડિજિટલ છે. હું બિહારની માતાઓ-બહેનોને ખૂબ અભિનંદન આપું છું અને આ અદભુત પહેલ માટે હું નીતીશકુમાર અને બિહારની NDA સરકારનું પણ અભિનંદન કરું છું.
PM મોદીએ કહ્યું હતું કે બિહારમાં થોડા દિવસો પહેલાં જે થયું, એની મેં કલ્પના પણ કરી ન હતી. બિહારમાં RJD-કોંગ્રેસના મંચ પરથી મારી માતાને ગાળીઓ આપવામાં આવી. આ ગાળીઓ માત્ર મારી માતાનું અપમાન નથી-આ દેશની માતા-બહેન-બેટીનું અપમાન છે. મને ખબર છે કે આ જોઈને અને સાંભળી તમને પણ કેટલું ખરાબ લાગ્યું છે.
बिहार में कुछ दिनों पहले जो हुआ, उसकी मैंने कल्पना भी नहीं की थी, बिहार में आरजेडी-कांग्रेस के मंच से मेरी मां को गालियां दी गईं.. ये गालियां सिर्फ़ मेरी मां का अपमान नहीं है,ये देश की मां-बहन-बेटी का अपमान है: प्रधानमंत्री @narendramodi#Bihar#JeevikaNidhi@PMOIndia… pic.twitter.com/XQByCLzKMc
તેમણે કહ્યું હતું કે મને ખબર છે કે જેટલી પીડા મારા દિલમાં છે, એટલી જ તકલીફ મારા બિહારના લોકોને પણ છે, તેથી આજે જ્યારે બિહારની લાખો માતાઓ-બહેનોના દર્શન હું કરી રહ્યો છું તો આજે મારું મન થાય છે કે હું મારું દુઃખ આપ સૌ સાથે વહેંચું. જેથી માતાઓ-બહેનોના આશીર્વાદથી હું આ સહન કરી શકું.
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત ભાજપને મત ચોરીના મુદ્દે ઘેરી રહ્યા છે. ત્યારે હવે ભાજપે કોંગ્રેસના નેતા પવન ખેડા પર બે મતદાર ઓળખપત્ર (વોટર ID કાર્ડ) રાખવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ ચૂંટણી પંચને વિનંતી કરી છે કે તે તપાસ કરે કે ખેડાએ ઘણી વખત મતદાન કર્યું હતું કે નહીં.
અમિત માલવિયાએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી લખ્યું છે કે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડા- જે ગાંધી પરિવાર સાથે પોતાની નજીક બતાવવાની કોઈ તક ચૂકી જતા નથી, તેમના પાસે બે EPIC નંબર છે. એક તો તેમની પાસે પૂર્વ દિલ્હીના જંગપુરા વિસ્તારમાં છે અને બીજું નવી દિલ્હીમાં છે.
Rahul Gandhi screamed “Vote Chori” from the rooftops. But just like he forgot to mention that his mother, Sonia Gandhi, enlisted herself in India’s voter list even before becoming an Indian citizen, it has now emerged that Pawan Khera, Congress spokesperson—who never misses a… pic.twitter.com/IkGFlUhuWk
ભાજપના નેતાએ આગળ કહ્યું હતું કે હવે ચૂંટણી પંચે તપાસ કરવી પડશે કે પવન ખેડા પાસે બે EPIC નંબર કેવી રીતે છે અને શું તેમણે ઘણી વખત મતદાન કર્યું, જે ચૂંટણી કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પવન ખેડા મતદારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, અસહમતી પેદા કરી રહ્યા છે અને ભારતમાં મજબૂત ચૂંટણી પ્રક્રિયાને નબળી પાડી રહ્યા છે.
સચ્ચાઈ એ છે કે કોંગ્રેસ જ સાચી મત ચોર છે. તેઓ બધાને પોતાની જેવા બદનામ કરવા માગે છે. લાંબા સમય સુધી તેમણે ગેરકાયદે ઘૂસણખોરો અને બિનભારતીયોને કાયદેસર બનાવીને અમારી ચૂંટણી વ્યવસ્થાને નુકસાન પહોંચાડ્યું અને જનમેન્ડેટ ચોરી લીધો. હવે તેમને ડર છે કે ચૂંટણી પંચની ખાસ ગહન સુધારણા પ્રક્રિયા તેમની સચ્ચાઈ બહાર લાવી દેશે. હવે સમય આવી ગયો છે કે ભારત સમજે કે રાહુલ ગાંધી અમારા લોકશાહી માટે જોખમી છે, એમ તેમણે કહ્યું હતું.
નવી દિલ્હીઃ સુદાનના વિદ્રોહી જૂથે જણાવ્યું છે કે દારફુરમાં થયેલા વિનાશકારી ભૂસ્ખલને આખું ગામ ખતમ કરી નાખ્યું છે, જેમાં ઓછામાં ઓછા 1000 લોકોનાં મોત થયાં છે. આ આફ્રિકી દેશમાં ભયાનક કુદરતી આપત્તિઓમાંની એક છે. સુદાન લિબરેશન મુવમેન્ટ-આર્મીએ એક નિવેદનમાં કહ્યું કે આ દુર્ઘટના ઓગસ્ટના અંતે અનેક દિવસોની ભારે વરસાદ પછી મધ્ય દારફુરના મર્રાહ પર્વતોમાં આવેલા તરાસિન ગામમાં રવિવારે થઈ હતી.
ગામના બધા લોકોનાં મોત
પ્રાથમિક માહિતી અનુસાર ગામના બધા રહેવાસીઓનાં મોત થયાં છે, જેમની સંખ્યા 1000થી વધુ હોવાનું માનવામાં આવે છે. માત્ર એક વ્યક્તિ જ બચી શકી છે. જૂથે જણાવ્યું કે ગામ પૂરેપૂરું જમીનદોસ્ત થઈ ગયું છે અને લાશોને બહાર કાઢવા માટે સંયુક્ત રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય સહાયતા જૂથોને મદદ માટે અપીલ કરવામાં આવી છે.
વિદ્રોહી જૂથે જણાવ્યું કે ગામ પૂરેપૂરું દટાઈ ગયું છે અને મૃતદેહોને બહાર કાઢવામાં સહાયતા માટે સંયુક્ત રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય સહાયતા સંગઠનોને અપીલ કરી છે. મર્રાહ પર્વત સમાચાર એજન્સી દ્વારા જારી કરેલા ફોટાઓમાં પર્વતમાળાઓ વચ્ચેનો સમતળ વિસ્તાર દેખાઈ રહ્યો છે, જ્યાં લોકોનો એક સમૂહ શોધખોળ કરી રહ્યો છે. આ દુર્ઘટના એવા સમયે થઈ છે જ્યારે સુદાનમાં વિનાશકારી ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. દેશની સેના અને અર્ધસૈનિક- રેપિડ સપોર્ટ ફોર્સિઝ (RSF) વચ્ચે એપ્રિલ, 2023થી રાજધાની ખાર્ટૂમ અને અન્ય વિસ્તારોમાં ખુલ્લી લડાઈ ચાલી રહી છે.
મર્રાહ પર્વત સહિત દારફુર વિસ્તાર દુર્ગમ
મર્રાહ પર્વત સહિત દારફુર વિસ્તારનો મોટો ભાગ સેના અને RSF વચ્ચેની લડાઈ અને પ્રતિબંધોને કારણે સંયુક્ત રાષ્ટ્ર તથા સહાયતા જૂથો માટે લગભગ પ્રતિબંધ લાગી ગયો હતો. મર્રાહ પર્વત વિસ્તારમાં આવેલા સુદાન લિબરેશન મુવમેન્ટ-આર્મી, દારફુર અને કોર્ડોફાન વિસ્તારોમાં સક્રિય અનેક વિદ્રોહી જૂથોમાંનું એક છે. આ જૂથે યુદ્ધમાં કોઈ પક્ષ લીધો નથી. મર્રાહ પર્વત એક ઊબડખાબડ જ્વાળામુખીની શ્રેણી છે જે એલ-ફશરથી 160 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ સુધી ફેલાઈ છે, જે સેના અને આરએસએફ વચ્ચેની લડાઈનું કેન્દ્ર છે. આ વિસ્તાર એલ-ફશર અને તેની આજુબાજુની લડાઈમાંથી ભાગી આવેલા વિસ્થાપિત પરિવારોનું કેન્દ્ર બની ગયો છે.