Home Blog Page 537

યશસ્વી જયસ્વાલ અને બ્રાયન લારાનો મજેદાર વીડિયો આવ્યો સામે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે મેચની શ્રેણીની બીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે ભારે તબાહી મચાવી હતી. તેણે ભારતની પહેલી ઇનિંગમાં શાનદાર ૧૭૫ રન બનાવ્યા હતા. તેની ૨૫૮ રનની ઇનિંગમાં ૨૨ ચોગ્ગાનો સમાવેશ થાય છે. બીજા દિવસની રમત પૂરી થયા પછી, જ્યારે તે મેદાન પર BCCI.TV સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે તે મહાન બ્રાયન લારાને મળ્યો. મેચ દરમિયાન, લારા બંનેએ તેને ચીડવ્યો અને તેની પ્રશંસા કરી. લારાએ યશસ્વીને કહ્યું કે કૃપા કરીને વેસ્ટ ઈન્ડિઝના બોલરોને આટલો જોરથી મારવાનું બંધ કરો.

 

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)

યશસ્વી અને લારાની મુલાકાત

જ્યારે યશસ્વી મેદાન પર ઊભો હતો, ત્યારે લારા અકસ્માતે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. યશસ્વીએ તેને જોયો અને તેની પાસે દોડી ગયો. પછી તેણે પૂછ્યું, “કેમ છો, સાહેબ?” લારાએ જવાબ આપ્યો, “હું ઠીક છું. અમારા બોલરોને આટલો જોરથી મારશો નહીં.” આ સાંભળીને યશસ્વી હસવા લાગ્યો. તેણે કહ્યું, “હું ફક્ત પ્રયાસ કરી રહ્યો છું.” ત્યારબાદ યશસ્વી બીસીસીઆઈ સાથે વાત કરતા જોવા મળ્યા. તેણે કહ્યું, “હું હંમેશા ટીમને પ્રથમ રાખું છું. હું હંમેશા ટીમમાં શક્ય તેટલું યોગદાન આપવાનું વિચારું છું. હું તે સમયે ટીમ માટે શું મહત્વપૂર્ણ છે તેના આધારે રમું છું. હું આ રીતે વિચારું છું, અને તે મને જવાબો આપે છે. ઇનિંગ્સ દરમિયાન, હું વિચારું છું કે હું કેવી રીતે રમી શકું છું, હું કયા શોટ રમી શકું છું અને વિકેટ કેવી રીતે રમી રહી છે.”

દિવાળીમાં ઓછા ખર્ચે ક્યાં જઇ શકાય?

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, આ સમયગાળો આનંદ, ઉમંગ અને પરિવાર સાથે યાદગાર પળો વીતાવવાનો છે. સાથે જ રજાઓની મજાનો પણ સમય છે. રજાઓના આ સમયમાં, વિદેશ યાત્રાનું આયોજન કરવું એક ઉત્તમ વિચાર છે, પરંતુ જો બજેટની ચિંતા હોય, તો નિરાશ થવાની જરૂર નથી!

કારણે કે એવા અનેક દેશ છે, જે બજેટ ફ્રેન્ડલીની સાથે સાંસ્કૃતિક વૈવિધ્ય, પ્રાકૃતિક સૌંદર્ય સાથે સંપૂર્ણ સંગમ આપે છે.

 તો, આ દિવાળીએ રોશનીની જેમ તમારા પ્રવાસને પણ ઝળહળતો બનાવો! આ દેશોના મુસાફર બનીને, જ્યાં તમે તમારા ખિસ્સા પર વધુ ભાર આવવા દીધા વિના દુનિયાને માણી શકશો….

ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયાનું બાલી હિન્દુ સંસ્કૃતિ અને દિવાળીની ઉજવણી માટે જાણીતું છે. ઉલુવાતુ મંદિર, તનાહ લોટ અને બાલીના દરિયાકિનારા તમને મંત્રમુગ્ધ કરશે. અહીંની પરંપરાગત વાનગીઓ, જેમ કે નાસી ગોરેંગ, અને નાઇટલાઇફ તમારી સફરને રોમાંચક બનાવશે. દિવાળીના સમયે અહીં અનેક વિધિઓ અને પરંપરાગત તહેવારો ઉજવવામાં આવે છે. અહીં ઘણા મંદિરો પણ છે જ્યાં મુલાકાત લઈ શકો છો. દિવાળી દરમિયાન અંદાજિત ખર્ચ રૂપિયા પ્રતિ વ્યક્તિ 35 હજારથી 60 હજાર થશે.

વિયેતનામ

છેલ્લા થોડા સમયથી વિયેતનામ ગુજરાતીઓ માટે વિદેશ પ્રવાસનું ફેવરીટ  સ્પોટ બની ગયું છે.  વિયેતનામ એ એક ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર દેશ છે. એની રાજધાની હનોઈ એના સ્ટ્રીટ ફૂડ, નહેરો અને રંગબેરંગી શેરીઓ માટે જાણીતી છે. હા લોંગ બેનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ અને હો ચી મિન્હ સિટીની ઐતિહાસિક ઇમારતો પ્રવાસીઓને આકર્ષે છે. અહીંના આકર્ષણો માત્ર ઈતિહાસ અને પ્રકૃતિ સુધી મર્યાદિત નથી, પરંતુ મનોરંજન અને મસ્તી માટે પણ ઘણા વિકલ્પો પ્રદાન કરે છે. જો દિવાળી દરમિયાન અંદાજિત ખર્ચની વાત કરીએ તો રૂપિયા 30,000થી 50,000 થઈ શકે છે.

થાઈલેન્ડ

થાઈલેન્ડ ભારતીય પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. બેંગકોકના વોટ અરુણ, ફૂકેટના દરિયાકિનારા અને ચિયાંગ માઈના મંદિરો દિવાળીને વધુ રંગીન બનાવે છે. થાઈ ભોજન અને બજારોનો અનુભવ અહીંની ખાસિયત છે. સામાન્ય દિવસ કરતા દિવાળી દરમિયાન ખર્ચ થોડો વધુ થાય છે. અંદાજિત ખર્ચની વાત કરીએ તો રૂપિયા 25 હજારથી લઈને 45 હજાર થઈ શકે.

કંબોડિયા

કંબોડિયા એ દક્ષિણપૂર્વ એશિયાનો એક સુંદર દેશ છે. નોમ પેન્હ એની રાજધાની છે, જે એના ઐતિહાસિક સ્મારકો, સંસ્કૃતિક વારસો અને આધુનિક શહેરી વિકાસથી ઓળખાય છે. અંગકોર વાટ, વિશ્વવિખ્યાત હિન્દૂ મંદિર કોમ્પ્લેક્સ, સિયેમ રીપ શહેરના નજીક આવેલા છે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્ય છે. અહીં આવતા પ્રવાસી આકર્ષણોની યાદી ઘણો લાંબી છે, જેમાં કોહ રોંગ જેવા આઈલેન્ડ બીચ, અંગકોર વાટના પ્રાચીન મંદિરો અને ફ્લોટેંગ વિલેજનાઅનોખા અનુભવો સમાવેશ થાય છે. કંબોડિયા વિશ્વભરનાં પ્રવાસીઓને આકર્ષે છે. અંદાજિત 30થી 50 હજાર રૂપિયામાં દિવાળી દરમિયાન આ દેશની મુલાકાત લઈ શકાય છે.

દુબઈ

દુબઈ એટલું મોંઘું નથી જેટલું એ વૈભવી લાગે છે. હા, દિવાળીની રજાઓમાં દુબઈ ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. દુબઈના વર્લ્ડ ક્લાસ મોલ્સ, બુર્જ ખલીફા અને રણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આખા વર્ષ દરમિયાન અહીં પ્રવાસીઓનો સતત પ્રવાહ રહે છે. દિવાળી દરમિયાન અહીં ભારતીય સમુદાય દ્વારા ખાસ ઉજવણીઓ થાય છે. કુલ અંદાજિત ખર્ચ રૂપિયા 40 હજારથી 70 હજાર થઈ શકે.

શ્રીલંકા

શ્રીલંકા એના મનમોહક દરિયાકિનારા, વન્યજીવન અને ઐતિહાસિક સ્થળો માટે પ્રખ્યાત છે. કેન્ડીનું શ્રી દલદા મલિગાવા (ટૂથ ટેમ્પલ), સિગિરીયાનું લાયન રોક અને દમ્બુલ્લા ગુફા મંદિરો પ્રવાસીઓને આકર્ષે છે. ભારતથી શ્રીલંકા માટે સસ્તી ફ્લાઇટ્સ પણ ઉપલબ્ધ છે, જે બજેટમાં સરળતાથી ફિટ થઈ શકે છે. દિવાળીની રજાઓમાં અહીંની શાંતિ અને સૌંદર્ય સફરને યાદગાર બનાવશે. દિવાળી દરમિયાન શ્રીલંકાની ટૂરનો અંદાજિત ખર્ચ રૂપિયા 25થી 45 હજાર થઈ શકે છે.

નેપાળ

ભારતનો પડોશી દેશ નેપાળ દિવાળીની ઉજવણીમાં ભારત જેવો જ ઉત્સાહ ધરાવે છે. કાઠમંડુના પશુપતિનાથ મંદિર, બૌદ્ધનાથ સ્ટૂપ અને દરબાર સ્ક્વેર જેવા સ્થળો આધ્યાત્મિક અને ઐતિહાસિક અનુભવ આપે છે. નેપાળની યાત્રા માટે બજેટ ફ્રેન્ડલી ફ્લાઇટ્સ અથવા મૈત્રી એક્સપ્રેસ ટ્રેનનો વિકલ્પ પસંદ કરી શકાય. સ્થાનિક નેપાળી ભોજન અને બજારો તમારી સફરને વધુ રોમાંચક બનાવશે. દિવાળીમાં નેપાળની યાત્રા અંદાજિત 18થી 35 હજારમાં કરી શકાય છે.

હેતલ રાવ

મહેસાણામાં પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં 1200થી વધુ MoU થયા

મહેસાણામાં પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સમાપન થયું હતું. જેમાં 1200થી વધારે એમઓયુ થયા હતા. આ એમઓયુ થકી અંદાજિત 3 લાખ 24 હજાર કરોડનું રોકાણ ઉત્તર ગુજરાતમાં આવનારા દિવસોમાં આવશે. આ ઉપરાંત 29000 થી વધુ સહભાગીઓ નોંધાયા હતા. તેમજ 70થી વધુ દેશોની સહભાગિતા સાથે 440થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.

રિજિયોનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ની થીમ પર યોજાયેલ આ બે દિવસીય કોન્ફરન્સ ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગારીની નવી તકો ઉભી કરશે. આ ઉપરાંત, આ રિજનલ કોન્ફરન્સ ઈનોવેશન, સસ્ટેનેબિલિટી અને સર્વસમાવેશક વિકાસ માટેના રોલ મોડેલ તરીકે રાજ્યને સ્થાપિત કરવામાં નોંધપાત્ર સાબિત થઈ હતી.

મહેસાણા ખાતે આયોજિત પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સફળતા અંગે વાત કરતા ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં અંદાજિત 30 હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો અને 72 જેટલા દેશોના લોકો આ સમિટમાં જોડાયા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ રિજનલ કોન્ફરન્સ દરમિયાન 1212 જેટલા એમઓયુ થયા હતા.

રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વનો નિર્ણય

રાજ્યની ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તા. 20 ઓક્ટોબરના રોજ હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે માટે ઑક્ટોબર-2025 માસના પગાર-ભથ્થા અને પેન્સનની ચુકવણી વહેલી કરાશે.

સામાન્ય રીતે રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર જે માસના ચૂકવવાપાત્ર હોય તેના પછીના માસના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન સ્ટેગરીંગ પ્રથા અનુસાર ચૂકવવામાં આવે છે. જોકે, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ જૂના ઠરાવમાં છૂટછાટ આપવામાં આવી છે.

આ નિર્ણય અનુસાર, ઑક્ટોબર-2025ના સરકારી કર્મચારીઓ/પેન્શનરોના પગાર-ભથ્થાં/પેન્શનની ચુકવણી તબક્કાવાર રીતે 14, 15 અને 16 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. આ પહેલાં 8 ઓક્ટોબર, 2025ના રોજ રાજ્ય સરકારે છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા. 1 જુલાઈ 2025થી આપવાનો નિર્ણય કર્યો હતો.

આ નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

ગુલકંદ – ૧૨ ઑક્ટોબર ૨૦૨૫

૧૨ ઑક્ટોબર ૨૦૨૫

અહંકારને હાંકી કાઢો…દૂર દૂર

અહંકાર માનવજીવન અને નેતૃત્વ બંને માટે વિનાશનું બીજ છે, અને મહાભારતના દ્રૌણપર્વમાં અશ્વત્થામાનું ઉદાહરણ એ વાતને ચેતવણીરૂપે  પ્રગટ કરે છે; અશ્વત્થામા મહાન યોદ્ધા હતા, પણ ગુરુપુત્ર હોવાનો અહંકાર, પોતાના પરાક્રમનો ગર્વ અને બદલો લેવાની અંધ લાલસા તેને વિનાશના માર્ગે દોરી ગઈ, અહંકારના કારણે જ તેણે પાંડવોના શિબિરમાં નિર્દોષ સૂતાં પાંડવ એટલે કે દ્રૌપદીના સંતાનોનો સંહાર કર્યો અને અંતે શાપગ્રસ્ત બનીને અનંત દુઃખ ભોગવ્યું. આ પ્રસંગ દર્શાવે છે કે અહંકાર ક્ષણિક વિજય આપતો હોય છે પણ અંતે શાશ્વત હાર અપાવે છે.

નેતૃત્વના સંદર્ભમાં જોવામાં આવે તો અહંકાર નેતાને અંધ બનાવે છે. તેના નિર્ણયો ખોટા પડે છે અને સંગઠન કે સમાજને મોટું નુકસાન થાય છે. ઇતિહાસમાં અનેક ઉદાહરણો છે જ્યાં અહંકાર વિનાશનું કારણ બન્યો. રાવણ પાસે અસીમિત શક્તિ, જ્ઞાન અને સમૃદ્ધિ હતી, પરંતુ પોતાના બળ તેમજ સામર્થ્યનો અહંકાર તેને લંકાના વિનાશ તરફ દોરી ગયો. તાજેતરના ઇતિહાસમાં જોઈએ તો જર્મનીના હિટલરનો અહંકાર વિશ્વયુદ્ધનું કારણ બન્યો, લાખો નિર્દોષોના મૃત્યુનું કારણ બન્યો અને અંતે પોતે પણ વિનાશ પામ્યો.

આધુનિક વ્યવસાય જગતમાં પણ આવા ઉદાહરણો જોવા મળે છે – એક સમયે વિશ્વની સૌથી મોટી મોબાઇલ કંપની નોકિયાએ બજારમાં પોતાની મજબૂત પકડને લીધે અહંકાર કર્યો, બદલાતા સમયમાં નવું શીખવાનું, નવી ટેક્નોલોજી સ્વીકારવાનું ટાળ્યું, અને પરિણામે બજારમાંથી લગભગ ગાયબ થઈ ગઈ; જ્યારે એપલ અને સેમસંગ જેવી કંપનીઓ નમ્રતા સાથે બજારની માંગણીઓ સમજતી રહી અને નવીનતા અપનાવીને સફળ રહી.

રાજકારણમાં પણ અહંકાર નેતાઓને પતન તરફ દોરી જાય છે. ક્રિકેટના મેદાન પર પણ સચિન તેંડુલકરનું જીવન નમ્રતાનું ઉદાહરણ છે; વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન હોવા છતાં તેઓ ક્યારેય અહંકારમાં ન રહ્યા, તેથી જ તેમનાં લાંબા કારકિર્દીમાં સતત સફળતા મળી. અહંકાર વ્યક્તિને પોતાની ક્ષમતાથી વધુ મોટો દેખાડવાનો ભ્રમ પેદા કરે છે, પરંતુ નમ્રતા વ્યક્તિને પોતાની મર્યાદા સમજાવી તેને સતત વિકાસશીલ રાખે છે. તેથી સંગઠન હોય કે સમાજ, નેતૃત્વમાં અહંકાર ટાળવો જરૂરી છે, કારણ કે તે સંબંધો તોડે છે, નિર્ણયોમાં ભૂલો કરાવે છે અને આખરે વિનાશ તરફ દોરી જાય છે; જ્યારે નમ્રતા, શિખવાની ભાવના અને સહકારનો સ્વભાવ વ્યક્તિ અને સંસ્થા બંનેને લાંબા ગાળે સફળતા અપાવે છે.

અશ્વત્થામાના અહંકારમાંથી આપણે એ પાઠ શીખવો જોઈએ કે ક્ષણિક અહંકાર માટે લીધેલા નિર્ણયો જીવનભરના પસ્તાવાનું કારણ બની શકે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

 

પંચાંગ 12/10/2025

અભિનેતા રામ ચરણે PM મોદી સાથે કરી મુલાકાત, મળી ખાસ ભેટ

તેલુગુ સ્ટાર રામ ચરણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. અભિનેતાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર પીએમ સાથેની મુલાકાતની ઘણી તસવીરો શેર કરી છે.

અભિનેતા રામ ચરણ અને પીએમ મોદીએ તીરંદાજી પ્રીમિયર લીગના સંદર્ભમાં મુલાકાત કરી હતી. પીએમ મોદીએ અભિનેતાને ભગવાનની પ્રતિમા પણ ભેટ આપી હતી.

અભિનેતાએ કેપ્શનમાં એક લાંબી નોંધ લખી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, “અનિલ કામિનેની ગરુના નેતૃત્વ હેઠળ વિશ્વની પ્રથમ તીરંદાજી પ્રીમિયર લીગની સફળતા પર આપણા વડા પ્રધાન શ્રી @narendramodi જીને મળવાથી સન્માનિત અનુભવું છું. પીએમ જીનું માર્ગદર્શન અને રમતગમત પ્રત્યેનો જુસ્સો આપણને વિશ્વભરમાં તીરંદાજીના વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે”.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે,“બધા ખેલાડીઓને અભિનંદન, અમને આશા છે કે વધુ ઘણા લોકો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે આ અદ્ભુત રમતમાં જોડાશે #ArcheryPremierLeague #ArcheryInIndia #RiseOfArchery”.

આર્ચરી પ્રીમિયર લીગએ ભારતની પ્રથમ ફ્રેન્ચાઇઝ-આધારિત તીરંદાજી ટુર્નામેન્ટ છે, જે 2025 માં તીરંદાજી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમાં 6 ટીમો, પૃથ્વીરાજ યોદ્ધા, માઇટી મરાઠા, કાકટિયા નાઈટ્સ, રાજપૂતાના રોયલ્સ, ચેરો આર્ચર્સ અને ચોલા ચીફ્સનો સમાવેશ થાય છે, દરેક ટીમમાં આઠ આર્ચર્સ (4 પુરુષો, 4 મહિલાઓ) હોય છે, જેમાં રિકર્વ અને કમ્પાઉન્ડ નિષ્ણાતો બંનેનો સમાવેશ થાય છે.

કુલ 36 ભારતીય તીરંદાજો અને 12 આંતરરાષ્ટ્રીય સ્પર્ધકોને ટીમોમાં સ્થાન આપવામાં આવ્યું હતું. યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં મેચો ચાલી રહી છે અને ત્યારબાદ નોકઆઉટ થશે. રાજપૂતાના રોયલ્સ અને માઇટી મરાઠાસ બંને ટીમો સીઝનના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હોવાથી સામસામે ટકરાશે.

આ અગાઉ, રામ ચરણે રાષ્ટ્રીય રાજધાનીના બાલાજી રામલીલા મેદાનમાં રાવણ દહનમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન અભિનેતાએ હિન્દીમાં ભાષણ આપ્યું હતું અને ‘RRR’માં અલ્લુરી સીતારામરાજુના તેમના પાત્રને યાદ કર્યું હતું. તેમણે આ કાર્યક્રમમાં આમંત્રણ આપવા બદલ ઉત્તર ભારતના લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

કુમાર સાનુએ AI દ્વારા અવાજ અને ચહેરો બનાવવા મામલે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો

ગાયક કુમાર સાનુએ હવે પોતાના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવા માટે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અગાઉ ઐશ્વર્યા રાય બચ્ચન અને સુનીલ શેટ્ટી આવું કરી ચૂક્યા છે.

બોલીવુડના દિગ્ગજ ગાયક કુમાર સાનુએ પોતાની ઓળખ, અવાજ અને ગાયન શૈલીના દુરુપયોગ સામે એક મોટું પગલું ભર્યું છે. તેમણે પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમનો દાવો છે કે તેમના અવાજ, ગાયન શૈલી, હસ્તાક્ષર, ફોટોગ્રાફ્સ અને તેમના ચહેરાનો પણ AI દ્વારા નકલ અને દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે.

AI નો ઉપયોગ કરીને નકલી વીડિયો બનાવવામાં આવી રહ્યા છે. કુમાર સાનુએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ઘણા લોકો AI નો ઉપયોગ કરીને તેમના અવાજનું ક્લોન બનાવી રહ્યા છે. કેટલાક વીડિયો અને ઓડિયો ક્લિપ્સ તેમના અવાજ, શૈલી અને રીતભાતની નકલ કરે છે અને તેને મજાક અથવા મીમ્સમાં ફેરવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ તેમની છબીને કલંકિત કરી રહ્યું છે અને તેમની કલાનું વ્યાપારી શોષણ કરી રહ્યું છે.

કુમાર સાનુએ વધુમાં કહ્યું કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ આ નકલી વિડિઓઝમાંથી કમાણી કરી રહ્યા છે. આ વિડિઓઝ તેણીને અભદ્ર રમૂજનો શિકાર બનાવે છે, જે તેની મહેનત અને પ્રતિષ્ઠા પર હુમલો છે.

ન્યાયાધીશ મનિત પ્રીતમ સિંહ અરોરા 13 ઓક્ટોબરે કુમાર સાનુની અરજી પર સુનાવણી કરશે. અરજીમાં જણાવાયું છે કે કોઈને પણ પરવાનગી વિના તેમના અવાજ, શૈલી, ફોટો અથવા હસ્તાક્ષરનો ઉપયોગ કરવાનો અધિકાર નથી. તેમણે એમ પણ કહ્યું કે આવી ક્રિયાઓને “ખોટા સમર્થન” અથવા ખોટા બ્રાન્ડ પ્રમોશન ગણી શકાય.

તેમણે વિનંતી કરી છે કે કોર્ટ તૃતીય પક્ષોને તેમના નામ, અવાજ અથવા છબીનો અનધિકૃત વ્યાપારી ઉપયોગ કરતા અટકાવવા અને તેમના નૈતિક અધિકારોનું ઉલ્લંઘન કરતી કોઈપણ સામગ્રીને તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપે.

કૉપિરાઇટ કાયદા હેઠળ ન્યાયની માંગણી

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કૉપિરાઇટ કાયદા હેઠળ, કલાકારને તેમના પ્રદર્શન પર “નૈતિક અધિકારો” હોય છે, અને જ્યારે તેમના કાર્યને ખોટી અથવા અયોગ્ય રીતે દર્શાવવામાં આવે છે ત્યારે આ અધિકારોનું ઉલ્લંઘન થાય છે. કુમાર સાનુ દલીલ કરે છે કે તેમની કલાનું અનુકરણ કરવા માટે AI નો ઉપયોગ આ અધિકારનું ઉલ્લંઘન કરે છે.

સુનિલ શેટ્ટી અને ઐશ્વર્યા રાયે પણ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો

અગાઉ, સુનિલ શેટ્ટીએ પણ તેમના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવા માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ પહેલા, અભિનેત્રીઓ ઐશ્વર્યા રાય બચ્ચન અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ આવી જ રીતે તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે કોર્ટનો સંપર્ક કરી ચૂક્યા છે.