અમદાવાદઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, દીકરી ઇવાન્કા તથા જમાઈ જેરેડ કુશનર ઉપરાંત ૩૦ જેટલાં ઉચ્ચ અધિકારીઓનાં ડેલિગેશન સાથે અમદાવાદ આવી રહ્યા છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સીધા અમદાવાદ આવી ભારતયાત્રા શરૂ કરતા હોય તેવી આ પહેલી ઐતિહાસિક ઘટના બની રહેશે. ત્યારે વડાપ્રધાન મોદી પણ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. થોડા સમયમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરશે. 
વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
ગેંગસ્ટર રવિ પૂજારી પકડાયો; સેનેગલમાંથી ભારત લાવવામાં આવ્યો
મુંબઈ: 1990ના દાયકામાં મુંબઈમાંથી પોતાની અંધારી આલમની પ્રવૃત્તિઓનું સંચાલન કરનાર અન્ડરવર્લ્ડ ગેંગસ્ટર રવિ પૂજારીની આફ્રિકા ખંડના દેશ સેનેગલમાં ધરપકડ કરાયા બાદ એનું ભારતને પ્રત્યાર્પણ કરી દેવામાં આવ્યું છે અને એને ગઈ કાલે મોડી રાતે બેંગલુરુ લાવવામાં આવ્યો હતો.
કર્ણાટકના સિનિયર પોલીસ અધિકારીઓ સાથેની એક ટૂકડી એને સેનેગલમાંથી બેંગલુરુ લઈ આવી છે.
કર્ણાટક સહિત દેશના જુદા જુદા ભાગોમાં ધાકધમકીથી પૈસા પડાવવા અને હત્યા જેવા ઘણા કેસોમાં પૂજારી સંડોવાયેલો છે અને તે 15 વર્ષથી ફરાર હતો.
કર્ણાટકમાં 90 જેટલા કેસોમાં એ વોન્ટેડ હતો, આમાંના 25 કેસ મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ ખંડણીને લગતા 70 વધારે કેસ રવિ પૂજારી સામે નોંધવામાં આવ્યા છે.
પોતાની સોંપણી ભારતને કરવાના સેનેગલની નીચલી કોર્ટના આદેશને પડકારતી અરજીને સેનેગલની સુપ્રીમ કોર્ટે ગયા બુધવારે નકારી કાઢી હતી.
સેનેગલમાં પૂજારીની ધરપકડ કરાઈ ત્યારે એની પાસે બુર્કિના ફાસોનો પાસપોર્ટ હતો અને એમાં તેણે એન્થની ફર્નાન્ડિસ તરીકે પોતાનું ખોટું નામ આપ્યું હતું.
રવિ પૂજારી કુખ્યાત ગેંગસ્ટર છોટા રાજનનો સાગરિત છે. છોટા રાજન હત્યા સહિતના કેસોમાં હાલ નવી મુંબઈની એક જેલમાં આજીવન કારાવાસ ભોગવી રહ્યો છે. આ બંને જણ 2001માં છૂટા પડ્યા હતા.
2018માં, આંદોલનકારીઓ ઉમર ખાલીદ, શેહલા રશીદ અને દલિત નેતા તથા ગુજરાતના વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીને પૂજારી તરફથી હત્યાની ધમકી આપવામાં આવી હોવાનું કહેવાય છે.
રવિ પૂજારી 2009થી 2013 વચ્ચેના સમયગાળામાં બોલીવૂડની અનેક હસ્તીઓને પૈસા માટે ધમકી આપતો હોવાનું કહેવાય છે.
કેવો હોય છે અમેરિકન રાષ્ટ્રપતિનો અભેદ્ય કોન્વોય?
નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસીય ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમ્યાન તેમની સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમેરિકન સુરક્ષા એજન્સીઓની મંજૂરી વગર કોઈ ચકલુય ફરકી નહીં શકે. અમેરિકન રાષ્ટ્રપતિના કાફલામાં 13 વાહનો હશે, જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ આધુનિક ટેકનીકથી સજ્જ બીસ્ટ કારમાં સવાર થશે.

અમેરિકન રાષ્ટ્રપતિના કાફલાની ખાસ વાતો:
અમેરિકન રાષ્ટ્રપતિના કાફલમાં સૌથી આગળ 9 વાઈક સવાર પોલીસકર્મી હોય છે, જે એન્ટી હાઈજેકિંગ ડ્રાઈવિંગમાં એક્સપર્ટ હોય છે. તેની પાછળ રૂટ કાર હોય છે જે સમગ્ર કાફલાનું નેતૃત્વ કરે છે.
ત્રીજા નંબર પર લીડ કાર એક એસયુવી હોય છે, જેમાં સુરક્ષાકર્મીઓ સવાર હોય છે. ત્યારપછી સ્પેયર કાર હોય છે, જે હુમલાખોરોને લલચાવવા માટે એકદમ રાષ્ટ્રપતિની કાર બીસ્ટ જેવી જ હોય છે. ત્યારપછી રાષ્ટ્રપતિની કાર બીસ્ટ હોય છે. એક રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિની કારમાં રાષ્ટ્રપતિની સાથે તેમનો એક ડુપ્લિકેટ પણ હાજર રહે છે.

રાષ્ટ્રપતિના કાફલામાં છઠ્ઠા નંબરની કારમાં સુરક્ષા માટે ક્લોઝ પ્રોટેક્શન ગ્રુપના જવાન હોય છે. જેની પાછળ વોટ ટાવર કાર હોય છે જેમાં રિમોટ કંટ્રોલ બોમ્બ અને હથિયારોને રોકવાની ક્ષમતા હોય છે. આઠમાં નંબરની કારમાં ન્યૂક્લિયર બટનની સાથે સેન્ય અધિકારી અને ડોક્ટર હોય છે.
નવમાં નંબરની કારમાં સિક્રેટ સર્વિસ કાઉન્ટર અસોલ્ટ ટીમના સભ્યો હોય છે. દસમાં નંબરની કારમાં અમેરિકન ન્યૂઝ સર્વિસ અને વ્હાઈટ હાઉસ મીડિયા ટીમ હોય છે. આ કાફલામાં એક કાર સેન્સર યૂનિટથી સજ્જ હોય છે, જે ન્યૂક્લિયર, બાયોલોજિકલ અને કેમિકલ હુમલા પર પ્રતિક્રિયા આપવમાં સક્ષમ હોય છે.

કાફલામાં છેલ્લી બે ગાડીઓમાં સુરક્ષાકર્મીઓની ટીમ હોય છે, જે કોઈપણ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા આધુનિક હથિયારોથી સજ્જ હોય છે. મહત્વનું છે કે, ભારત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા સાત સ્તરીય હશે, જેમાં રાષ્ટ્રપતિની નજીકનો સૌથી પ્રથમ કાફલો અમેરિકન સિક્રેટ સર્વિસનો હશે. ત્યારપછી બીજો કાફલો એસપીજી, ત્રીજો એનએસજી પછી ચેતક કમાન્ડોનું સુરક્ષા કવચ હશે.
ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ તેના ભારત પ્રવાસ માટે વોશિગ્ટનથી સીધા અમદાવાદ પહોંચશે. અહીં એરપોર્ટ પર વડાપ્રધાન મોદી તેમનું સ્વાગત કરશે. ત્યારપછી બંને નેતાઓ એક રોડશો કરતા કરતા સાબરમતી આશ્રમ પહોંચશે. ત્યારપછી મોટેરા સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે અને પછી રાષ્ટ્રપતિનો કાફલો દિલ્હી જવા રવાના થશે.
લ્યો, આ તાજ સાથે તો ટ્રમ્પને 30 વર્ષ જૂનો સંબંધ છે!!
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 તારીખે ભારતમાં આવી રહ્યા છે અને તેઓ તાજમહેલ જોવા આગરા પણ જશે. તેમના સ્વાગત માટે આખા આગ્રા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. જો કે બહુ ઓછા લોકોને ખબર હશે કે ટ્રમ્પ અને તાજનો સંબંધ તો 30 વર્ષ જૂનો છે. જો કે, આ તાજમહેલ આગ્રા વાળો નથી. હકીકતમાં જ્યારે ટ્રમ્પ બિઝનેસમેન હતા ત્યારે તેમણે અમેરિકાના અટલાન્ટા સીટીમાં તાજ હોટલ એન્ડ કસોનો ખરીદ્યો હતો, પરંતુ આના કારણે તેમને બેંકરપ્ટ (નાદાર) થવું પડ્યું હતું.
1998 માં ડોનાલ્ડ ટ્રમ્પે તાજ હોટલ એન્ડ કસીનોને 230 મિલિયન ડોલર (આશરે 1600 કરોડ) માં ખરીદ્યો હતો. તે સમયે તેમણે કહ્યું હતું કે, હું આને દુનિયાની 8મી અજાયબી બનાવીશ અને પછીના બે વર્ષમાં આના પર 1 અબજ ડોલરથી પણ તેમણે વધારે પૈસા ખર્ચ કર્યા. આના ઉદ્ઘાટનમાં માઈકલ જેક્સન જેવા પોપ સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા.
19 એકર જેટલી જગ્યામાં ફેલાયેલી ટ્રમ્પની તાજ હોટલ અને કસીનોમાં 1200 થી વધારે રુમ હતા, જેમાં 242 સ્વીટ હતા. આ હોટલની ઉપર એક હેલીપેડ પણ બનાવવામાં આવ્યું હતું. તાજ હોટલને ગુગલ આર્કિટેક્સના હિસાબથી કલર અને પેઈન્ટ કરવામાં આવી હતી. મોટાભાગની જગ્યાઓ પર સફેદ અને ગોલ્ડ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાજની જેમ આમાં મિનારાઓ અને ઘુંમટ પણ હતા.
એક વર્ષની અંદર જ ટ્રમ્પનો તાજ કસીને બિઝનેસને લગતી સમસ્યાઓથી ઘેરાઈ ગયો અને આખરે તેઓ મુશ્કેલીમાં મુકાયા. બાદમાં ટ્રમ્પે આ બિઝનેસમાં 50 ટકા ભાગીદારી વેચી દીધી. 1995 માં એકવાર ફરીથી તેમણે ટ્રમ્પ હોટલ્સ એન્ડ કસીનો રિસોર્ટની શરુઆત કરી અને આ કંપનીએ 1996માં તાજ કસીનો ખરીદી લીધો. 13 વર્ષ બાદ આ કંપની ફરીથી દેવાદાર બની અને બાદમાં એવન્યૂ કેપિટલ મેનેજમેન્ટે ટ્રમ્પના આ બિઝનેસને ખરીદી લીધો.
ભારતની મુલાકાત લેનારા અમેરિકી પ્રમુખોમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાતમા
નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવવાના છે. સામાન્યપણે કોઈ પણ દેશના રાષ્ટ્રપતિના પ્રવાસની શરૂઆત દેશની રાજધાની દિલ્હીમાંથી થતી હોય છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરનારા પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બનશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરવાનું હોવાથી તેઓ અમદાવાદથી શરૂઆત કરવાના છે. તેમનું મોટેરા સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. દેશ આઝાદ થયા બાદ અત્યાર સુધી છ રાષ્ટ્રપ્રમુખો ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત લેનારા સાતમા રાષ્ટ્રપતિ બનશે.
1959માં ભારતની મુલાકાત લેનારા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડી આઇઝનહોવર

1959માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડી. આઇઝનહોવરે ભારતની મુલાકાત 24 ડિસેમ્બરે લીધી હતી. તેમણે એ વખતે દિલ્હીના રામલીલા મેદાનમાં નેહરુની હાજરીમાં જનસભાને સંબોધી હતી.
1969માં અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસને ભારત મુલાકાત 1969માં લીધી
1969માં અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસને ભારતની મુલાકાતે આવેલા બીજા રાષ્ટ્રપ્રમુખ હતા. તેઓ 31, જુલાઈએ 1969એ ભારત આવ્યા હતા. જોકે નિકસનની ભારત મુલાકાત માત્ર 22 કલાકની જ હતી.
1978માં જિમી કાર્ટર ભારતની મુલાકાત લેનારા ત્રીજા રાષ્ટ્રપતિ
એકથી ત્રણ જાન્યુઆરી, 1978એ અમેરિકી રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે ભારતની મુલાકાત લીધી હતી. તેઓ એ વખતે ભારતના રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીને અને વડા પ્રધાન મોરારજી દેસાઈને મળ્યા હતા. તેમણે એ વખતે સંસદને સંબોધી હતી. તેમણે એ વખતે નવી દિલ્હી દૌલતપુર નસીરાબાદની મુલાકાત લીધી હતી.
2000માં બિલ ક્લિન્ટન ભારતની મુલાકાત લેનારા ચોથા રાષ્ટ્રપતિ
19થી 25 માર્ચ, 2000 દરમ્યાન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ત્યારે નવી દિલ્હી, આગ્રા, જયપુર, હૈદરાબાદ અને મુંબઈની મુલાકાત લીધી હતી. તેમણે ત્યારે રાષટ્રપતિ કે. આર. નારાયણને મળ્યા હતા. તેમણે એ વખતે સંસદને સંબોધી હતી.
2006માં જ્યોર્જ ડબ્લ્યુ. બુશ ભારતની મુલાકાત લેનારા પાંચમા રાષ્ટ્રપતિ

જ્યોર્જ ડબ્લ્યુ બુશે ભારતની મુલાકાત કેમના કાર્યકાળમાં બે વાર લીધી હતી. તેમણે એકથી ત્રણ માર્ચ, 2006 દરમ્યાન નવી દિલ્હી અને હૈદરાબાદની મુલાકાત લીધી હતી. તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને ભારત-અમેરિકા વચ્ચે સિવિલ ન્યુક્લિયર કરાર કર્યા હતા. ત્યાર બાદ છઠ્ઠીથી નવ નવેમ્બર, 2010માં તેમણે ભારતની બીજી વાર મુલાકાત લીધી હતી. તેમણે એ દરમ્યાન મુંબઈ અને નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. તેઓ એ વખતે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને અને વડા પ્રધાન મનમોહન સિંહને મળ્યા હતા. તેમણે એ વખતે સંસદને સંબોધી હતી. એ વખતે તેમણે રાજઘાટની મુલાકાત લીધી હતી.
2015માં બરાક ઓબામા ભારતની મુલાકાત લેનારા છઠ્ઠા રાષ્ટ્રપતિ
25થી 27 જાન્યુઆરી, 2015એ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારત મુલાકાત લીધી હતી. ત્યારે તેઓ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેઓ ભારતીય પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનારા સૌપ્રથમ અમેરિકી પ્રમુખ હતા. તેમણે એ વખતે અમેરિકા-ભારતની બિઝનેસ કાઉન્સિલને પણ સંબોધી હતી.
2020માં ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત લેનારા સાતમા રાષ્ટ્રપતિ
24-25 ફેબ્રુઆરી, 2020એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવતા સાતમા અમેરિકી રાષ્ટ્રપતિ છે. તેઓ ભારતની મુલાકાત દરમ્યાન ગુજરાત ખાતે આવનારા સૌપ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ છે. તેઓ અહીં લાંબો રોડ શો કરવાના છે. અહીંથી તેઓ નવી દિલ્હી અને આગ્રાની મુલાકાતે જવાના છે.
ન્યૂઝીલેન્ડે ભારતને પહેલી ટેસ્ટમાં 10-વિકેટથી હરાવ્યું; સાઉથી ‘MoM’
વેલિંગ્ટન – ફાસ્ટ બોલર ટીમ સાઉથીની ઝંઝાવાતી બોલિંગ સામે ભારતના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા અને એ સાથે જ ભારત અહીં બેસિન રિઝર્વ મેદાન પર આજે ચોથા દિવસની રમતમાં પહેલી ટેસ્ટ મેચ 10-વિકેટથી હારી ગયું છે.
બે-ટેસ્ટ મેચની સિરીઝમાં ન્યૂઝીલેન્ડે આમ 1-0ની સરસાઈ મેળવી છે.
ભારત પર પહેલા દાવની 183 રનની તોતિંગ સરસાઈ મેળવ્યા બાદ ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં ભારતને 191 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને બાદમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 9 રન કરીને મેચ જીતી લીધી.
ભારતના પહેલા દાવના 165 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડે પહેલા દાવમાં 348 રન કર્યા હતા.
ટીમ સાઉથીએ પહેલા દાવમાં 4 અને બીજા દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી અને એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.
બંને ટીમ વચ્ચે બીજી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચ આવતા શનિવારથી ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.
ભારતના બીજા દાવમાં ટોપ સ્કોરર રહ્યો હતો, ઓપનર મયંક અગ્રવાલ – 58 રન કરીને. કેપ્ટન વિરાટ કોહલી બીજા દાવમાં નિષ્ફળ ગયો હતો. પહેલા દાવમાં માત્ર 2 રન કર્યા બાદ બીજા દાવમાં એ 19 રન કરી શક્યો હતો.
ગઈ કાલના અધૂરા દાવને અજિંક્ય રહાણે અને હનુમા વિહારીએ આજે આગળ ધપાવ્યો હતો, પણ રહાણે 29 રન કરીને અને વિહારી 15 રન કરીને આઉટ થયો હતો.
ટીમ સાઉથીએ 61 રનમાં પાંચ વિકેટ લીધી હતી, અન્ય ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે 39 રનમાં 4 વિકેટ લીધી હતી. કોલીન ડી ગ્રેન્ડહોમે બાકીની એક વિકેટ લીધી હતી.
અંતિમ સ્કોરઃ
ભારત 165 અને 191 (મયંક અગ્રવાલ 58, ટીમ સાઉથી 61 રનમાં પાંચ વિકેટ)
ન્યૂઝીલેન્ડ 348 અને 9-0.
રાશિ ભવિષ્ય 24/02/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બને તેવું બની શકે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે
આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ થાય
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બને.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

















