















![]() ![]() ![]() ![]() ![]() |
નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આગમનને લઈને અહીંના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ તૈયારીઓ વચ્ચે નમસ્તે ટ્રમ્પને લઈને એક વેબસાઈટ બનાવવામાં આવી છે. આ વેબસાઈટનું નામ છે. namastepresidenttrump.in આ વેબસાઈટ પર લખ્યું છે કે, નમસ્તે પ્રેસિડેન્ટ ટ્રમ્પ. આ ઉપરાંત વેબ પોર્ટલ પર અનેક તસવીરો અને સ્લાઈડ શો સાથે લખ્યું છે કે, અમરિકાના સન્માનનીય રાષ્ટ્રપતિ 24 ફેબ્રુઆરીએ ભારત આવશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમમાં આપણે ઐતિહાસિક ઈવેન્ટના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ, સાથે જ આપણે આપણી સંસ્કૃતિ, વિવિધતા અને સૌથી પહેલા અતિથિ દેવો ભવ:ની ભાવનાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની અભૂતપૂર્વ તક મળશે. તો તમે #નમસ્તે ટ્રમ્પ કહેવા માટે તૈયાર છો?

ગુજરાત સરકારની ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા આ વેબસાઈટને તૈયાર કરવામાં આવી છે. આ વેબસાઈટને તમે ફોલો પણ કરી શકો છો. આ ઉપરાંત ‘નમસ્તે Trump’ નામથી ટ્વિટર અને ફેસબુક પેજ પણ છે. આ બંને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈવેન્ટમાં આમંત્રિત લોકો માટે વિશેષ જાણકારી આપવામાં આવી છે. વેબસાઈટ પર પાસની માહિતી, બેઠક વ્યવસ્થા, શું કરવું શું ન કરવું, મદદ અને ફોલો અસના વિકલ્પો આપવામાં આવ્યા છે.
પાસની માહિતી
બે પ્રકારના પાસ આપવામાં આવ્યા છે ગોલ્ડ અને પ્લેટિનમ. ગોલ્ડ પાસ ધારકોને મોટેરા સ્ટેડિયમ પહોંચવા માટી જીએમડીસી ગ્રાઉન્ડથી એરકન્ડિશન બસની સુવિધા મળશે જેનું એડ્રેસ પણ વેબસાઈટ પર આપવામાં આવ્યું છે. તો પ્લેટિનમ પાસ ધારકોએ મોટેરા સ્ટેડિયમમાં પ્લેટિનમ ગેર મારફતે પ્રવેશ મેળવવાનો રહેશે.
બેઠક વ્યવસ્થા
આ ઉપરાંત ગુજરાતના જૂદા જૂદા જિલ્લામાંથી નમસ્ટે ટ્રમ્પ કાર્યક્રમ માટે આવનારા લોકોની બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. દરેક જિલ્લાની ઓળખ માટે કલર કોડ આપવામાં આવ્યા છે. જેની અંગેની તમામ માહિતી વેબસાઈટ પર આપવામાં આવી છે.
નમસ્તે ટ્રમ્પમાં આવનારા લોકો માટે પણ આ વેબસાઈટ પર કેટલીક જરૂરી માહિતી આપવામાં આવી છે. જેમાં મેડિકલ સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતીની સાથે કાર્યક્રમ દરમ્યાન ઈમરજન્સી માટે ઉપલબ્ધ સુવિધાઓમાં ડોક્ટરોના નામની સાથે તેમના મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં જો કોઈ દુર્ઘટના થાય અને આગ લાગે તો કેવી રીતે સુરક્ષિત બહાર આવવું તે અંગે નક્શા સાથે માહિતી આપવામાં આવી છે.
મહત્વનું છે કે, જેવી રીતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ એવી જ રીતે અમદાવાદ સ્થિત મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને દેશભરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
લંડનઃ આતંક પ્રભાવિત દેશોમાં માનવીય સહાયતા માટે જે મસમોટી રકમનો દુરુપયોગ થઈ રહ્યો છે, એનું તાજું ઉદાહરણ પેલેસ્ટિન અને ગાઝા પટ્ટીમાં સામે આવ્યું છે. ત્યાંના યુવકોના શિક્ષણ માટે આપવામાં આવેલા રૂપિયાથી તેમને આતંકવાદ અને જેહાદ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ બાબતના ખુલાસા પછી આ મદદને રોકવાની માગ થઈ રહી છે.
યુવકોનું બ્રેઇન વોશ
પ્રાપ્ત વિગતો અનુસાર આ યુવકોને ગણિત શીખવાડવા માટે માર્યા ગયેલા આતંકવાદીઓની ગણતરી કરાવવામાં આવી રહી છે. ફિઝિક્સના પુસ્તકમાં ન્યૂટનનો ત્રીજો નિયમ બતાવવા માટે વિધર્મીઓ (ક્રિશ્ચિયનો અને હિન્દુઓ) એટલે કે ઇસ્લામને ન માનનારાને ગલોલ મારવાના દાખલા આપવામાં આવે છે. આનાથી એ માલૂમ પડે છે કે પેલેસ્ટિન. ગાઝા પટ્ટી અને વેસ્ટ બેન્કમાં બાળકો-યુવકોમાં અન્ય ધર્મોને માનવાવાળા વિશે કેટલું કટ્ટરવાદનું ઝેર ભરવામાં આવી રહ્યું છે.
બ્રિટનની વેબસાઇટ ડેઇલી મેલ ઓનલાઇનના જણાવ્યા પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પેલેસ્ટિન અને ગાઝાપટ્ટીને આપવામાં આવી રહેલી મદદમાં બ્રિટનના કરદાતાઓના પણ રૂપિયા લાગેલા છે. જેથી આ મદદ પર પ્રતિબંધ લગાવવાની માગ થઈ રહી છે. એના માટે અન્ય દેશોનાં ઉદાહરણ પણ આપવામાં આવી રહ્યાં છે, જેમણે પેલેસ્ટિનને માનવીય સહાયતા દેવાનો ઇનકાર કર્યો છે.
ખૂન અને બલિદાનની કવિતા
પેલેસ્ટિન, ગાઝાપટ્ટી અને વેસ્ટ બેન્કમાં આઠ વર્ષનાં બાળકો માટે એક કવિતામાં એવું લખવામાં આવ્યું છે કે જે તેના અપરિપક્વ મન પર ખરાબ છાપ પાડે. આ કવિતામાં પોતાના લોહીનું બલિદાન આપવું, પોતાના દેશ પર કબજો કરવાવાળાઓને ખતમ કરવું અને વિદેશીઓનું અસ્તિત્વ મિટાવી દેવું જેવા શબ્દપ્રયોગોનો ઉપયોગ થાય છે.
દિલ્હીની ચૂંટણીના આઘાત પ્રત્યાઘાત થોડા શમી ગયા છે, પણ તેના તરંગો જુદા જુદા રાજ્યો સુધી પહોંચી રહ્યા છે. આમ આમદી પાર્ટીને પ્રચાર માટે મદદ કરનારા પ્રશાંત કિશોરે ગયા અઠવાડિયે પત્રકાર પરિષદમાં કેટલીક વાતો કરીને અણસાર આપ્યો કે તેઓ હવે નીતિશ કુમારની સામે બિહારમાં મોરચો માંડવા માગે છે. આપના જાણકારોએ પણ દિલ્હી વિધાનસભામાં વિજય પછી અણસાર આપ્યો હતો કે હવે પછી પક્ષની નજર બિહાર પર છે. દરમિયાન બિહારથી ય થોડે આગળ પશ્ચિમ બંગાળમાં પણ દિલ્હીના પરિણામોની હલચલ દેખાઈ રહી છે. મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની એક એક ગતિવિધિ પર ઝીણી નજર રાખવામાં આવી રહી છે.

આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળમાં એક જુદી ચર્ચા ચાલી છે. આ ચર્ચા છે ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) – સીપીએમ દ્વારા થયેલા આંતરિક અહેવાલની. કોંગ્રેસની વાત આવે ત્યારે પંચમઢી ઠરાવ અને હાલના સમયમાં એ.કે. એન્ટની રિપોર્ટની ચર્ચા થતી હોય છે. તે રીતે આગામી દિવસોમાં સીપીએમના આંતરિક વિશ્લેષણ અહેવાલની ચર્ચા ચાલતી રહેશે, કેમ કે તેમાં પક્ષની નીતિને ઉંધે માથે કરી દેવાની ભલામણ થઈ છે. કોંગ્રેસના એન્ટની અહેવાલ પ્રમાણે કોંગ્રેસને હિન્દુવિરોધી છાપ નડી ગઈ હતી. કોંગ્રેસના નેતાઓની બિનસાંપ્રદાયિકતાને ફાયદો ભાજપ ઉઠાવી ગયો તેવો સાર હતો. સીપીએમના અહેવાલનો સાર પણ એવો જ છે કે ડાબેરી નેતાઓ ધાર્મિકતા દેખાડતા નથી તેનું નુકસાન થઈ રહ્યું છે.
તેના કારણે અહેવાલમાં એવી ભલામણ કરવામાં આવી છે કે ધર્મની બાબતમાં આપણે પડવું નહિ અને બીજાના ભરોસે છોડી દેવો તેનાથી નુકસાન થશે. નુકસાન થઈ ચૂક્યું છે એમ અહેવાલના લેખકો કહે છે, કેમ કે ભાજપ અને આરએસએસ મંદિરો અને ધાર્મિક સ્થળોનો ઉપયોગ પોતાના એજન્ડા અને હિન્દુત્વના પ્રચાર માટે કરે છે તેનો સામનો ડાબેરી નેતાઓ કરી શક્યા નથી. ધર્મની બાબતને આ રીતે સંઘ અને તેની સંસ્થાઓને ભરોસે છોડી દેવાનું પરવડે નહિ. આપણે પણ અગાઉ કરતાં વધારે પ્રગટપણે મંદિરોમાં અને તહેવારોમાં પુસ્તક મેળા અને આરોગ્ય મેળા યોજવા પડશે, એવું તારણ અહેવાલમાં આપવામાં આવ્યું છે.
ડાબેરી પક્ષો પશ્ચિમ બંગાળમાં સત્તા પર હતા ત્યારે ધાર્મિક મેળાવડામાં અને દુર્ગા પૂજાના મંડપોની સાથે પુસ્તક મેળા ખોલતા હતા ખરા. સાથે જ તહેવારો અને ઉત્સવોમાં લોકો એકઠા થવાના હોય ત્યારે મેડિકલ કેમ્પ ખોલતા હતા. ડાબેરી વિચારધારાને કારણે સીધી રીતે ધાર્મિક કાર્યક્રમ કરવાના બદલે તેની સાથે સેવાકીય કાર્યો કરવા માટેની કોશિશ થતી હતી, પણ સત્તા જતી રહી પછી તે કામ પણ ધીમું પડી ગયું છે.

ત્રણ દાયકા સુધી સતત સત્તામાં રહ્યા પછી કોઈ પક્ષની હાર થાય અને એક જ દાયકામાં આટલી ખરાબ હાલત થઈ જાય તેવી કલ્પના કોઈએ નહિ કરી હોય. મમતા બેનરજીને હરાવવા ડાબેરી માટે મુશ્કેલ બની ગયા છે, ત્યાંજ વળી ભાજપનો પણ ઉદય થયો છે અને હવે સીપીએમ સહિતના ડાબેરી પક્ષો ક્યાં સ્પર્ધામાં પણ રહ્યા નથી. તેથી આ મનોમંથન ચાલ્યું હતું અને અહેવાલ તૈયાર કરાયો તેમાં આ ડહાપણ તેમને સૂઝ્યું છે. અહેવાલ તૈયાર કરવાનું કામ ઘણા સમયથી ચાલતું હતું, પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જય બજરંગબલીના નારા સાથે બીજી વાર ચૂંટણીમાં જોરદાર જીત મેળવી તેના કારણે સીપીએમનો અહેવાલ વધારે ધ્યાન ખેંચનારો બની ગયો છે.
આપના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે દિલ્હીમાં છેલ્લે અઠવાડિયે ભાજપ અને સંઘના માણસો મહોલ્લે મહોલ્લે નીકળી પડ્યા હતા. તેમના આક્ષેપ પ્રમાણે લોકોનું બ્રેઇનવૉશ કરવાની કોશિશ થઈ હતી. 200 યુનીટ વીજળી માટે અને મફત પાણી માટે શું તમે હિન્દુત્વ જતું કરશો એવો પ્રચારનો મારો ચલાવ્યો હતો, પણ તોય ચાલ્યો નહોતો. મતદાનના દિવસે ભાજપ-સંઘના કાર્યકરો શેરીઓમાં ટોળે વળ્યા હતા અને હિન્દુત્વ માટે વૉટ આપજો એવું જોરથી બોલતા હતા જેથી મતદાન કરવા જનારાના કાન ચમકે. આપનો આક્ષેપ છે કે આ કાર્યકરો જયશ્રી રામના નારા પણ લગાવવા લાગ્યા હતા. જોકે આપના કાર્યકરો પણ એટલા જ ચાલાક નીવડ્યા અને સામે જય બજરંગ બલીના નારા લગાવ્યા હતા.
આ ચર્ચા પરિણામો પછી બહુ થઈ હતી અને તેના કારણે બીજા રાજ્યોના, બીજા પક્ષોના નેતાઓના કાન સરવા થયા છે. વાત નવી નથી કે વિશ્લેષણ નવું નથી. આ વાત તો રામમંદિર આંદોલન શરૂ થયું ત્યારની છે અને મંડલ પંચ સામે કમંડલનું રાજકારણ શરૂ થયું ત્યારની છે. પરંતુ કોંગ્રેસ કે પ્રાદેશિક પક્ષોએ બહુ પરવા કરી નહોતી. કોંગ્રેસની 2014માં જબરદસ્ત હાર થઈ ત્યાર પછી એન્ટની સમિતિ બેઠી હતી. તે સમિતિએ પણ તારણ કાઢ્યું તે આ જ હતું કે કોંગ્રેસને બિનસાંપ્રદાયિકતા નડી ગઈ છે. હિન્દુવિરોધી છાપ ભૂંસવી પડશે એવું તારણ હતું અને તે પ્રમાણે રાજ્યોની ચૂંટણીમાં, ખાસ કરીને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીથી કોંગ્રેસે સોફ્ટ-હિન્દુત્વનો પ્રયોગ પણ કર્યો હતો.
જોકે રાજ્યોના પરિણામો જુદા જુદા પરિબળોને કારણે આવ્યા એટલે કોંગ્રેસને આ પ્રયાસો કેટલા ફળ્યા અને બીજા પરિબળો કેટલા ફળ્યા તેનું આકલન કરવું મુશ્કેલ છે. લોકસભાની ચૂંટણીમાં મામલો ધર્મનો નહિ પણ રાષ્ટ્રવાદનો હતો. પુલવામા અને તે પછી દોકલામમાં એર સ્ટ્રાઇક જ મુખ્ય મુદ્દો હતો તે કદાચ કોંગ્રેસ સમજી નહિ કે સમજવા માગતી નહોતી. સમજ્યા પછી તેનો સામનો કરવાની રીત કદાચ શોધી શકી નહોતી. ભાજપના હિન્દુત્વ સામે સોફ્ટ હિન્દુત્વનું સ્વરૂપ પણ કેવું હોય તે કોંગ્રેસ નક્કી કરી શકી નહોતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટી તે કરી શકી, કેમ કે તે નવો રાજકીય પક્ષ છે અને તેની પીઠ પર ઐતિહાસિક વિચારસરણીનો બોજ નથી. કોંગ્રેસ માટે દાયકાથી ચાલી આવતી પરંપરા રાતોરાત છોડી દેવી અને યુ ટર્ન લેવો મુશ્કેલ પણ હશે.

એ જ સ્થિતિ પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોની થઈ શકે છે. ડાબેરી પક્ષો પોતાના ખભે સદી જૂના માર્ક્સવાદને ઊંચકીને ફરે છે. માર્ક્સવાદનો પ્રયોગ કરીને રશિયા અને ચીન જેવા દેશો તેમાંથી બહાર પણ આવી ગયા છે. ચીનમાં લોકશાહી નથી આવી, પરંતુ માર્ક્સવાદની જગ્યાએ પૂરેપૂરો મૂડીવાદ આવી ગયો છે. રશિયામાં માર્ક્સવાદની સાથે પોતાનો આગવા પ્રકારનો રાષ્ટ્રવાદ હતો અને સોવિયેટ સંઘની રચના કરીને દુનિયામાં મહાસત્તા બનવાની મહત્ત્વાકાંક્ષા પણ હતી. ભારતમાં આવેલો માર્ક્સવાદ પુસ્તકોના થોથાથી વધુ નક્કર જગ્યા પ્રાપ્ત કરી શક્યો નહોતો. ભારતની ભૂમિમાં દરેક પ્રકારનો વિચાર વારંવાર થઈ ચૂક્યો છે અને વારંવાર વિચારોને નવા વાઘા પહેરાવાતા રહે છે. તેથી કોઈ પણ વિચાર અહીં બંધિયાર રહી શકતો નથી. આટલી સરળ વાત પણ ડાબેરી દિમાગમાં ઉતરી નહિ, કેમ કે તેમના મગજ બંધિયાર થઈ ગયા હતા.
સીપીએમનું વાર્ષિક અધિવેશન યોજાઈ ગયું અને તેમાંય આની લાંબી લાંબી ચર્ચાઓ થઈ હતી. તે પછી સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીને પક્ષની બધી શાખાઓને મોકલી દેવાયો છે. અધિવેશનમાં થયેલી ચર્ચા પ્રમાણે અમલ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. સૂચનાઓ એવી છે કે મંદિરો અને ધર્મનો મામલો સૌ માટે અંગત મામલો છે અને તેમાં રાજકીય પક્ષ તરીકે આપણે પડવું નહિ તે સ્થિતિ છોડવી પડશે. ધર્મની બાબત સંઘ અને તેની સંસ્થાઓ ભલે સંભાળતી તેવી ઉદાસિનતા છોડવી પડશે. મંદિર અને ધાર્મિક તહેવારોમાં ડાબેરી નેતાગીરીએ અને કાર્યકરોએ સક્રીય થવું તેવી ભલામણ કરાઈ છે. ધાર્મિક સ્થળે હવે કાયમી પુસ્તક મેળા, આરોગ્ય મેળા, પીવાના પાણીની સુવિધા વગેરે ઊભી કરવી અને કાર્યકરોએ ધાર્મિક તહેવારો અને ઉત્સવોમાં હાજરી આપવી તેવી ભલામણ કરાઈ છે. આ રીતે લોકસંપર્કમાં રહેવું પડશે એવું કાર્યકરોને સમજાવાયું છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં પણ બીજી વિચારસરણીનું પ્રભુત્વ વધી ગયું છે, તેથી ત્યાં પણ ધ્યાન આપવું અને આદિવાસી વિસ્તારમાં શિક્ષણ સંસ્થાઓ દ્વારા આદિવાસીમાં ધાર્મિકતા વધારવા કોશિશ થાય છે ત્યાં પણ ડાબેરી કાર્યકરોએ સક્રિય થવું તેમ જણાવાયું છે. સ્વાભાવિક રીતે જ વિપક્ષના નેતાઓએ આ અહેવાલની વિગતો જાહેર થયા પછી સીપીએમની મજાક ઉડાવી છે. કોંગ્રેસ અને ટીએમસીએ પણ મજાક ઉડાવી છે કે ડાબેરીઓનું કોઈ વજૂદ રહ્યું નથી ત્યારે આવા કોઈ પ્રયાસો ફળવાના નથી. લોકસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસના અધિર રંજને પણ કહ્યું કે સીપીએમને હવે રહી રહીને ધાર્મિકતા યાદ આવી, કેમ કે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ છે. ટીએમસીના સૌગત રાયે કહ્યું કે સીપીએમ પોતાને રાષ્ટ્રીય પક્ષ ગણાવે છે, પણ તે હવે પ્રાદેશિક પક્ષ પણ રહ્યો નથી. તેથી પોતાનું અસ્તિત્વ બચાવવા ગતડકાં કરે છે. રાયે આક્ષેપ કર્યો કે સીપીએમનો આ દંભ છે, કેમ કે ભૂતકાળમાં સીપીએમે ધાર્મિક તહેવારોનો ઉપયોગ રાજકીય પ્રચાર માટે કર્યો જ હતો. ભાજપના નેતા દિલીપ ઘોષને પણ બહુ ચિંતા નથી, કેમ કે તેઓ માને છે કે સીપીએમ રાતોરાત વેશપલટો કરે તેનાથી કંઈ લોકો માની જવાના નથી. જનતામાં તેમનો કોઈ આધાર જ રહ્યો નથી.
નવી નીતિ સામે સીપીએમમાં પણ આંતરિક વિખવાદ છે. પોતાની પાયાની નીતિને રાતોરાત છોડી દેવી મુશ્કેલ હોય છે. કોંગ્રેસ મોટો પક્ષ છે તેથી તેના માટે પદ્ધતિ બદલવી સહેલી નથી હોતી. આપે દિલ્હીમાં થોડા નેતાઓ અને પ્રવક્તાને જ સમજાવવાના હોય છે. કોંગ્રેસમાં દરેક રાજ્યમાં નેતાઓ છે અને તેઓ પરંપરાથી આવતી વિચારસરણીને તાત્કાલિક છોડી શકે નહિ. માર્કેટિંગ અને બ્રાન્ડિંગની આવડત કેળવવી પણ જૂની પેઢીના નેતાઓ માટે મુશ્કેલ હોય છે. સીપીએમના નેતાઓ વિચારસરણીની બાબતમાં વધારે ચુસ્તી દાખવતા આવતા રહ્યા છે ત્યારે તેમના માટેય મૂડીવાદી પ્રકારનું ધર્મનું માર્કેટિંગ અને બ્રાન્ડિંગ મુશ્કેલ સાબિત થશે તેમ મોટા ભાગના લોકો માને છે. પશ્ચિમ બંગાળમાં સીપીએમની આ ચાલથી બહુ ફરક નહિ પડે તેમ લાગે છે. દિલ્હીમાં આપે જય બજરંગબલીના નારા પ્રબળપણે ચલાવ્યા તેના કારણે આ અહેવાલ પર થોડું ધ્યાન ગયું છે. અન્યથા તેની ચર્ચા પણ ના થઈ હોત, કેમ કે હજીય સ્પર્ધા ભાજપ અને મમતા બેનરજીના ટીએમસી વચ્ચે જ છે.
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.
આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.યોગ્ય છે
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.
આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર, ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.
અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ આગામી 24 તારીખે ભારતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પ 24 તારીખે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી રોડ-શો કરીને મોટેરા સ્ટેડિયમ પહોંચશે. ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને ભારત સહિત અમદાવાદીઓમાં ઉત્સાહ છે. ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 