Home Blog Page 4934

આ વર્ષે આઈપીએલ રમાવા પર આવી છે અટકળો

નવી દિલ્હીઃ કોરોના વાયરસે વિશ્વભરમાં ઉથલ-પાથલ મચાવી દીધી છે. ભારતના ક્રિકેટ ફેન્સમાં આ વાતને લઈને ઉત્સુકતા વધી રહી છે કે શું આ વખતે આઈપીએલ 2020 નું આયોજન થશે કે નહી? જો થયું તો આ લીગની 13 મી સીઝનમાં નવા બદલાવો જોવા મળશે. અત્યારસુધી આ મોટા પ્રશ્નને લઈને કંઈજ સ્પષ્ટ થઈ શક્યું નથી. આવતીકાલે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની થનારી મીટિંગ પહેલા આજે બીસીસીઆઈના અધિકારી મુંબઈમાં મળશે. ગવર્નિંગ કાઉન્સિલની આ બેઠક પહેલા તેઓ રમત-ગમત મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી પર ચર્ચા કરશે. મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ દ્વારા તમામ સ્પોર્ટ્સ એસોસિએશન્સ અને બીસીસીઆઈને કોરોના વાયરસથી બચવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.

એડવાઈઝરીમાં નિર્દેશ આપવામાં આવ્યા છે કે, કોઈપણ રમતના આયોજનમાં દર્શકો ત્યાં જોડાઈ શકશે નહી અને આવતા આદેશ સુધી તમામ મેચ બંધ દરવાજે (દર્શકો વગરના સ્ટેડિયમમાં) જ રમાશે.

આ એડવાઈઝરી બાદ, ન તો બીસીસીઆઈ અને ત તો આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ કોઈપણ નવી જાહેરાત માટે ઉતાવળા નથી. અત્યારસુધી બીસીસીઆઈ દ્વારા એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે, આપણે રાહ જોઈશું અને પરિસ્થિતિઓ પર નજર રાખીને અમે બેઠા છીએ. કોઈપણ મેચને રદ્દ કરવામાં 48 કલાક લાગે છે અને કોઈપણ મેચના આયોજનમાં ઘણા સપ્તાહોનું આયોજન હોય છે. જો રમત-ગમત મંત્રાલયે ખાલી સ્ટેડિયમમાં રમવાની વાત કરી છે તો આનાથી સ્પષ્ટ સંદેશ એ જ આવે છે કે અત્યારે આઈપીએલ પર કોઈ સંકટ નથી.

મેચ સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દા અને શક્યતાઓ

  • અત્યારે આ આયોજન રદ્દ કરવામાં નથી આવ્યું અને આયોજકો દ્વારા નક્કી તારીખોમાં જ મેચનું આયોજન કરવાની વાત કહેવામાં આવી છે. જો કે શક્યતા છે કે આ ટૂર્નામેન્ટને સ્થગિત કરવામાં આવી શકે છે અથવા તો આના ફોર્મેટમાં કેટલાક બદલાવ કરવામાં આવી શકે છે, જેનાથી આનું સ્વરુપ નાનું કરવામાં આવી શકે છે જેથી બંધ દરવાજે મેચ રમી શકાય.
  • મેચ રદ્દ થવાની શક્યતા વર્તમાન સમયમાં તો નથી પરંતુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીના આધાર પર બીસીસીઆઈ આ ટૂર્નામેન્ટ કરાવવા પર વિચાર કરી શકે છે. બીસીસીઆઈ પોતાના પ્લાન-B પર કામ કરી રહ્યું છે. તો શક્યતા છે કે આવનારા દિવસોમાં જો આ વાયરસની સ્થિતિ વધારે ભયાનક થશે તો પછી મેચ રદ્દ પણ થઈ શકે છે. અત્યારે ટુર્નામેન્ટ શરુ થવામાં 17 દિવસ બાકી છે.
  • અત્યારે પ્રથમ વિકલ્પ તો એ જ છે કે ખાલી સ્ટેડિયમમાં મેચનું આયોજન શક્ય છે. ફ્રેન્ચાઈઝીઓ અને પ્રસારણકર્તાઓને સરકારની એડવાઈઝરીનું પાલન કરવું પડશે. ત્યારે આ ટૂર્નામેન્ટના સીમિત સ્થાનોમાં જ આયોજન કરવા પર વિચાર થઈ શકે છે. શક્યતાઓ છે કે બીજો વિકલ્પ જરુર પડવા પર વર્તમાન ફોર્મેટમાં બદલાવનો છે. 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી શકે છે જેવું 2011 ની સીઝનમાં થયું હતું. બાદમાં ટૂર્નામેન્ટમાં 20 થી 25 મેચમાં જ ફાઈનલ સુધીનો રોડ માપ તૈયાર કરી લેવામાં આવશે અને એક મહીનામાં આ ટૂર્નામેન્ટને પૂરી કરી દેવામાં આવશે.
  • ઓસ્ટ્રેલિયાઈ ઓપનર ડેવિડ વોર્નરના વીઝાની અરજી ફગાવી દેવામાં આવી છે. જો કે જે લોકોને આની જાણકારી છે તેમનું કહેવું છે કે, અરજી રદ્દ થવા પાછળ તેમની એપ્લિકેશનમાં ટેક્નિકલી ક્ષતીનું કારણ હતું અન્ય કંઈ જ નહી. શક્યતાઓ છે કે પ્લેયર્સની વિઝા પ્રક્રિયા માટે ફ્રેન્ચાઈઝીઓને સરકાર સાથે ચર્ચા કરવી પડશે, જો સરકારને બંધ દરવાજે મેચ રમાય તેના આયોજનમાં કોઈ સમસ્યા ન હોય, ત્યારે પ્લેયર્સને અપવાદ શ્રેણીના રુપમાં વિઝા મળી શકે છે.

સિંધિયાના પિતરાઈ ભાઈએ કહ્યુંઃ ભાજપ સાથે જોડાવું તે નિર્ણય ખોટો છે

નવી દિલ્હીઃ ત્રિપુરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને માણિક્ય શાહી પરિવારથી આવતા પ્રદ્યોત દેવબર્મને કહ્યું કે, તેમના પિતરાઈ ભાઈ જ્યોતિરાદિત્ય સિંધિયાનો ભાજપ સાથે જોડાવાનો નિર્ણય યોગ્ય વિકલ્પ નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતૃત્વ યુવા નેતાઓને તક આપવા માટે તૈયાર નથી. દેવબર્મને ગત વર્ષે ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. દેવબર્મને જણાવ્યું કે, મારું માનવું છે કે આપણે બધાએ સાથે બેસવું જોઈએ અને એ મામલે વિચારવું જોઈએ કારણ કે અમે તમામ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છીએ.

દેવબર્મને કહ્યું કે, ભાજપની સવારી કરવી તે યોગ્ય વિકલ્પ નથી. આપણે બધાએ સાથે બેસવું જોઈએ અને આ પરિસ્થિતિમાં જ્યારે કોંગ્રેસ નેતૃત્વ યુવાનોને આગળ લાવવા માટે તૈયાર નથી, દેશ માટે કેવી રીતે યોગદાન કરી શકીએ તેની પદ્ધતી શોધવી જોઈએ. તેમણે કહ્યું કે, કોંગ્રેસના તમામ યુવા નેતાઓએ એક સાથે કામ કર્યું અને આ સમય છે કે આપણે એક સમાધાન રજૂ કરીએ કારણ કે દેશને પ્રભાવશાળી વિપક્ષની જરુર છે.

દેવબર્મને કહ્યું કે, મારું માનવું છે કે સચિન પાયલટ, અજય કુમાર અને ઘણા અન્ય નેતાઓમાં ખૂબ ક્ષમતા છે. પૂર્વ આઈપીએસ અધિકારી અને ઝારખંડ કોંગ્રેસના પ્રમુખ અજય કુમારે ગત વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસ છોડી દીધી હતી અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા હતા.

ઉન્નાવ રેપ કેસઃ પીડિતાના પિતાની હત્યા મામલે કુલદીપ સેંગરને 10 વર્ષની સજા

નવી દિલ્હી: દિલ્હીની એક કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના મોતના મામલે કુલદીપસિંહ સેંગર સહિત 7 દોષિતોને 10-10 વર્ષની સજા સંભળાવી છે. આ સાથે જ આરોપીઓ પર 10-10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ અગાઉ ગુરુવારે કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના મોતના મામલે સજા સંભળાવવા મુદ્દે પોતાનો ચુકાદો 13 માર્ચ પર અનામત રાખ્યો હતો. ગુરુવારે કાર્યવાહી દરમિયાન સીબીઆઈએ સાતેય દોષિતો માટે વધુમાં વધુ સજાની માગણી કરી હતી.

સરકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે તેમને વધુ સજા મળવી જોઈએ  કારણ કે એક નિર્દોષ વ્યક્તિને ખુબ માર મારીને મારી નાખવામાં આવ્યો. તેમણે એક જઘન્ય અપરાધ કર્યો. આ બાજુ દોષિતોના વકીલે સજા ઓછી કરવાની ભલામણ કરી હતી.

આ મામલો 9 એપ્રિલ 2018ના રોજ દુષ્કર્મ પીડિતાના પિતાના મોત સંબંધે છે. જેમાં સેંગર અને તેના ભાઈ સહિત 7 લોકો દોષિત ઠર્યા હતાં. સેંગરે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 2017માં મૃતકની પુત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું.

Chitralekha Marathi – March 23, 2020

E-Magazine – Desktop Version PDF Version
This post is only available to members.

Chitralekha Gujarati – March 23, 2020

E-Magazine – Desktop Version PDF Version

રાશિ ભવિષ્ય 13/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

પંચાંગ તા. 13/03/2020

સિંધિયા ઇફેક્ટઃ કોંગ્રેસમાં દેખાય છે એટલી શાંતિ છે નહીં…

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના મહામંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્ય પ્રદેશમાં જે બળવાનું રણશિંગું ફૂંકીને રાજીનામું આપી દીધું એ પછી કોંગ્રેસ પક્ષમાં  ટોચની નેતાગીરી સામે વિરોધી ગણણાટ થવા લાગ્યો છે. એ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે હવે કોંગ્રેસ પક્ષ ક્યાં ઊભો છે અને એનું ભાવિ કેવું છે. મધ્ય પ્રદેશમાં એક અહેવાલ એવો છે કે કમલનાથે તેમના પુત્રમોહમાં સિંધિયાને કોરાણે મૂક્યા હતા. આ સિવાય પણ કોંગ્રેસમાં અસંતોષનો ચરુ ઊકળી રહ્યો છે. કોંગ્રેસમાં જૂના નેતાઓ વિરુદ્ધ વરિષ્ઠ નેતાઓ વચ્ચે ઠંડું યુદ્ધ ચાલી રહ્યું છે.

બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સિંધિયા પર અનેક પ્રકારના આરોપ લગાવ્યા છે, પણ પક્ષમાં એક કરતાં વધુ વિરોધી સૂર ઊઠવા લાગ્યા છે. શું કોંગ્રેસ હવે આ વિરોધી મતને કેવી રીતે હેન્ડલ કરશે?

સચિન પાઇલટનું ટ્વીટ

દેશની સૌથી જૂની પાર્ટીમાં દેશભરમાંથી કોંગ્રેસમાં વિરોધી સૂર ઊઠવા લાગ્યા છે. આમાં રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ સૌથી આગળ છે તેમણે ટ્વીટ કરીને લખ્યું કે હું ઇચ્છું છું કે પાર્ટીમાં આંતરિક બાબતોને સહયોગથી ઉકેલી શકાઈ હોત.

નગમાનું ટ્વીટ અને પાઇટલટનું વળતું ટ્વીટ

 

કોંગ્રેસના એક યુવા નેતા, અભિનેત્રી કમ રાજકારણી નગમાએ પાઇલટના નિવેદનને આગળ ધપાવતાં કહે છે કે આપણામાંના ઘણા કોંગ્રેસીઓમાં અસંતોષ છે, પરંતુ પક્ષ તેને જોવા માટે કોંગ્રેસની ટોચની નેતાગીરી નિષ્ફળ ગઈ છે. તેમણે આક્ષેપ પણ કર્યો હતો કે નેતાઓના વિરોધી સૂરને દબાવી દેવામાં આવે છે અથવા તેમના અવાજોને નજરઅંદાજ કરાય છે. નગ્માએ વધુમાં કહ્યું હતું કે યુવા અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે સંતુલન હોવું જોઈએ.

ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુસ્મિતા દેવે ટ્વીટ

આ  ચર્ચાને આગળ ધપાવતાં ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુસ્મિતા દેવે ટ્વીટના જવાબમાં કહ્યું કે પક્ષમાં યુવાન નેતા વિરુદ્ધ વરિષ્ઠ નેતા કહેવું ખોટું નહીં હોય.

 

લખનઉમાં ખાલી સ્ટેડિયમમાં ભારત-SA બીજી વન-ડે મેચ રમાશે

મુંબઈઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ આજે ધરમશાલામાં વરસાદને કારણે એકેય બોલ નખાયા વિના પડતી મૂકી દેવી પડી હતી.

3-મેચોની સિરીઝની બાકીની બે મેચ લખનઉ અને કોલકાતામાં રમાશે.

15 માર્ચે લખનઉના વાજપેયી સ્ટેડિયમમાં રમાનાર બીજી વન-ડે મેચ કોરોના વાઈરસના ફેલાવાના જોખમને કારણે ખાલી સ્ટેડિયમમાં રમાશે. તે પછી 18 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાંની ત્રીજી અને શ્રેણીની આખરી મેચ પણ એ જ રીતે ખાલી સ્ટેડિયમમાં રમાય એવી ધારણા છે.

કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રાલયે આપેલી સૂચનાને પગલે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ આજે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના અધિકારીઓ સાથે ચર્ચા યોજી હતી અને તેમણે એવો નિર્ણય લીધો હતો કે 15મીની મેચ ખાલી સ્ટેડિયમમાં જ રમાડવી.

દરમિયાન, ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલના એક સૂત્રએ જણાવ્યું કે 18 માર્ચે ઈડન ગાર્ડન્સમાંની ત્રીજી વન-ડે મેચ પણ ખાલી સ્ટેડિયમમાં જ રમાડવામાં આવશે. અમારે કેન્દ્રીય મંત્રાલયની સૂચનાનું પાલન કરવાનું છે. હાલના સંજોગો અનિવાર્ય છે. અમારું એસોસિએશન આ વિશે સત્તાવાર નિવેદન બહાર પાડશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રાલયે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, તમામ રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશનો અને બીસીસીઆઈને સૂચના આપી હતી કે એમણે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલી સૂચનાનું પાલન કરવાનું રહેશે.

કોરોના વાઈરસે ભારતમાં અત્યાર સુધીમાં 70 જણને ઝપટમાં લીધા છે અને એનો ફેલાવો વધે નહીં એટલા માટે કેન્દ્ર સરકારે રાજદ્વારી તથા રોજગારની કેટેગરીને બાદ કરતાં બીજી તમામ કેટેગરીઓ માટે વિઝા આપવાનું સસ્પેન્ડ કરી દીધું છે.

અમદાવાદઃ સાઈબર ક્રાઈમના ડીસીપીને ઈ-રક્ષા એવોર્ડ

અમદાવાદઃ શહેરના સાઇબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના ડીસીપી ડૉ.રાજદીપસિંહ ઝાલાને દિલ્હી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા ઇ-રક્ષા અવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ (સીસીટીએનએસ) હેકાથોન અને સાઇબર ક્રાઇમ ચેલેન્જ – ૨૦૨૦ અંતર્ગત સીસીટીએનએસ આઇડિયાથોન અને ઇ-રક્ષા અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇ-રક્ષા અવોર્ડમાં અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના ડીસીપી ડૉ.રાજદીપસિંહ ઝાલાને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ અવોર્ડ તેમને તેમના ઇન્કમ ટેક્સ ફ્રોડ અને આઇઆરયુ ઉપરના કાર્યો માટે આપવામાં આવ્યો છે. દિલ્હી ખાતે ૧૨ માર્ચના રોજ યોજાયેલા નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો ૩૫માં સ્થાપના દિવસે આયોજિત કાર્યક્રમમાં ડીસીપી ડૉ.રાજદીપસિંહ ઝાલાને ઇ-રક્ષા અવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.