Home Blog Page 4920

ભાજપનો કોંગ્રેસના કાર્યકર્તાઓ પર મારપીટનો આરોપ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઘટનાક્રમ ચાલી રહ્યો છે, જેમાં કોંગ્રેસની કમલનાથ સરકાર પર સંકટનાં વાદળો ઘેરાયાં હતા, જેથી દિગ્વિજય સિંહે પણ બેંગલોર જઈને નારાજ વિધાનસભ્યોને મળવાના પ્રયાસો કર્યા હતા. બેંગલુરુમાં કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સહિત પ્રદેશ કોંગ્રેસના પ્રધાનોને કર્ણાટક પોલીસ દ્વારા અટકાયતમાં લેવાની ઘટનાથી નારાજ થયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ અહીં ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા સાંજે એકઠા થયા હતા અને સૂત્રો પોકાર્યાં હતાં. શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગઈ કાલે સાંજે ભાજપ કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યું હતું. પોલીસે કોંગ્રેસના 58 કાર્યકર્તાઓની સામે કેસ નોંધ્યો છે. હબીબગંજ વિસ્તારમાં નગર પોલીસ અધિકારી ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે  ભાજપના જિલ્લા અધ્યક્ષ વિકાસ વીરાનીની ફરિયાદને આધારે પોલીસે રાહુલ રાઠોર સહિત આઠ લોકોની સામે અને 50 અજાણ્યા લોકોની સામે કેસ નોંધ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે આ આરોપીઓની સામે IPCની કલમ 147, 323 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા.

પ્રદેશ ભાજપે કોંગ્રેસ પર આરોપ મૂક્યો   

પ્રદેશ ભાજપના પ્રવકતા રાહુલ કોઠારીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સરકાર મધ્ય પ્રદેશમાં જવાની છે એટલે હતાશામાં તેમણે ભાજપ કાર્યાલય પર હુમલો કર્યો હતો. તેમણે પત્રકારોને કહ્યું હતું કે અમે શાંતિથી બેઠા હતા, ત્યારે અચાનક કોંગ્રેસના લોકોએ પથ્થરો અને લાકડીઓથી અમારા પર હુમલો કર્યો હતો.

પોલીસે પ્રદર્શનકારીઓની ધરપકડ કરી

ભાજપના કાર્યાલયની સામે કોંગ્રેસ કાર્યકરો વિરોધ કરવા આવ્યા ત્યારે પોલીસે આ પ્રદર્શનકારીઓમાંથી કેટલાકની ધરપકડ કરી લીધી હતી. જોકે આ ઘટનામાં કોઈને ઈજા નથી નથી. વળી કોઠારીના આરોપોનો ઇનકાર કરતાં પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ભૂપેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય શાંતિપૂર્ણ પ્રદર્શન માટે ગયા હતા, પણ વિરોધ કરતાં પહેલાં જ તેમને હિરાસતમાં લીધા હતા.

 

મધ્ય પ્રદેશ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીઃ જાણો 10 મોટી વાતો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં મધ્યપ્રદેશમાં શક્તિ પરીક્ષણ મામલાને લઈને આજે ફરીથી સુનાવણી છે. ગઈકાલે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે બાગી ધારાસભ્યો સાથે જસ્ટિસની ચેમ્બરમાં મુલાકાત કરવાની રજૂઆતને ઠુકરાવતા કહ્યું કે, વિધાનસભા જવું કે ન જવું તે ધારાસભ્યો પર નિર્ભર છે પરંતુ તેમને બંધક બનાવીને ન રાખી શકાય. જસ્ટિસ ધનંજય વાય ચન્દ્રચૂડ અને ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાની પીઠે કોંગ્રેસના 22 જેટલા બાગી ધારાસભ્યોના રાજીનામાના કારણે મધ્યપ્રદેશમાં ઉત્પન્ન રાજનૈતિક સંકટને લઈને દાખલ અરજીઓ પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી અને કહ્યું કે, તે વિધાનસભા દ્વારા આ નિર્ણય કરવા મામલે દખલ નહી કરે કોની પાસે સદનનો વિશ્વાસ છે પરંતુ તેણે એ સુનિશ્ચિત કરવાનું છે કે આ 16 ધારાસભ્યો સ્વતંત્ર રુપથી પોતાના અધિકારનો ઉપયોગ કરે. પીઠે આ ધારાસભ્યો સાથે ચેમ્બરમાં મુલાકાત કરવાની વાતને એ કહેતા ફગાવી દીધી કે આવું કરવું યોગ્ય નહી હોય.

  1. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના 9 જેટલા ધારાસભ્યો સાથે જ મધ્યપ્રદેશ કોંગ્રેસ ધારાસભ્ય દળની અરજીઓ પર સુનાવણી ગુરુવારના રોજ સવારે સાડા દસ વાગ્યા સુધી માટે સ્થગિત કરી દીધી છે. હવે આજે આ મામલે ફરીથી સુનાવણી છે.
  2. બાગી ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ મનિંદર સિંહે કોર્ટને કહ્યું હતું કે, એ વાત ખોટી છે કે ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે અને જબરદસ્તીના પણ તમામ આરોપો ખોટા છે. સિંહે કહ્યું કે, તેમણે પોતાની મરજીથી રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષને તેમના રાજીનામા સ્વીકારવા માટે નિર્દેશ આપવામાં આવ્યો.
  3. ભાજપે જોર આપતા કહ્યું કે, તે 16 બાગી કોંગ્રેસ ધારાસભ્યોને લાવી શકે છે અને ચેમ્બરમાં જસ્ટિસ ચંદ્રચૂડ અને ગુપ્તા સામે રજૂ કરી શકે છે અને જસ્ટિસ ધારાસભ્યોના વિચારો વિશે માહિતી મેળવી શકે છે.
  4. કોર્ટમાં કોંગ્રેસ દ્વારા વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે, આજે અમે એક ગજબ પ્રકારની સ્થિતિમાં છીએ. રાજ્યની જનતાએ કોંગ્રેસ પર વિશ્વાસ કર્યો છે. સૌથી મોટી પાર્ટી વિશ્વાસ મત એ દિવસે જીત્યો હતો. 18 મહિલા સ્થિર સરકાર કામ કરી રહી હતી.
  5. કોંગ્રેસે આગળ કહ્યું કે, સ્પીકરને એ દર્શાવવાનું રહેશે કે રાજીનામા સ્વૈચ્છિક છે કે નહી. દવેએ કહ્યું કે, ધારાસભ્યોને કીડનેપ કરવામાં આવ્યા છે. રાજ્યપાલે ફ્લોર ટેસ્ટનો જે આદેશ મોકલ્યો છે તે પૂર્ણ રીતે અસંવૈધાનિક છે.
  6. કોંગ્રેસે ગવર્નર પર સવાલ ઉઠાવતા તેમના પત્રનો હવાલો આપ્યો અને કહ્યું કે, ગવર્નર એવું કેવી રીતે કહી શકે છે અમારી પાસે બહુમત નથી જ્યારે બહુમત પરીક્ષણ પણ થયું નથી. કોઈપણ વિશ્વાસમત 16 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં થવો જોઈએ.
  7. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, જ્યારે સ્પીકરે 6 રાજીનામાનો સ્વીકાર કર્યો તો શું તેમણે તમામ 22 ધારાસભ્યો પર પોતાના વિવેકનો ઉપયોગ કર્યો. આ મામલે દવેએ કહ્યું કે, આજે સૌથી મૂળભૂત મુદ્દો એ છે કે રાજ્યપાલ એક ફ્લોર ટેસ્ટ માટે કેવી રીતે નિર્દેશિત કરી શકે છે? તેઓ આ નક્કી ન કરી શકે. રાજીનામા પર નિર્ણય લેવા માટે રાજ્યપાલની કોઈ ભૂમિકા નથી.
  8. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા મુકુલ રોહતગીએ તમામ બાગી ધારાસભ્યોને જસ્ટિસની ચેમ્બરમાં રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો જેનો કોર્ટે અસ્વિકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, વૈકલ્પિક ઉપાય અંતર્ગત કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ આજે આ બાગી ધારાસભ્યો સાથે મુલાકાત કરી શકે છે અને તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે.
  9. મુકુલ રોહતગીએ કહ્યું કે, કોંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામાં, જેમાંથી 6 રાજીનામાનો સ્વિકાર કરવામાં આવ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકારને એક દિવસ પણ સત્તામાં ન રહેવા દેવી જોઈએ. રોહતગીએ આરોપ લગાવ્યો કે 1975માં ઈમરજન્સી લગાવીને લોકતંત્રની હત્યા કરનારી પાર્ટી હવે આંબેડકરના ઉચ્ચ સિદ્ધાંતોના ઉદાહરણો આપી રહી છે.
  10. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી આવાસ પર મુખ્યમંત્રી કમલનાથની અધ્યક્ષતામાં ગઈકાલે રાત્રે કોંગ્રેસ ધારાસભ્યોના દળની બેઠક થઈ હતી. આ બેઠકમાં બેંગ્લોર ભાજપ દ્વારા બંધક બનાવવામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુલાકાત કરવા ગયેલા કોંગ્રેસના નેતાઓને કર્ણાટક પોલીસ દ્વારા તેમને મળતા રોકવામાં આવ્યા, અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો અને બળપૂર્વક એરેસ્ટ કરવામાં આવ્યાને લઈને સર્વસંમતિથી નિંદા પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. ચીનમાંથી જન્મેલા આ વાયરસે અમેરિકા, ઈટલી, યૂરોપ સહિતના અનેક દેશોમાં હાંહાકાર મચાવ્યો છે.  ભારતમાં કોરોના વાયરસની અસર થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી માર્ચના રોજ એટલે કે આજે રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધિત કરવા જઇ રહ્યા છે. તેની સાથે જ અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી શું ખાસ જાહેરાત કરી શકે છે? શું સંદેશો આપી શકે છે? મહત્વનું છે કે અત્યારે દેશ કોરોનાના સ્ટેજ-2માંથી પસાર થઇ રહ્યો છે. પહેલું સ્ટેજ એ હોય છે જ્યાં વાયરસનું સંક્રમણ શરૂ થાય છે. બીજા સ્ટેજમાં ત્યાંથી સંક્રમિત વ્યક્તિ પોતાના ઘર/દેશમાં આવે છે. ત્રીજા સ્ટેજમાં સ્થાનિક સ્તર પર એકથી બીજામાં તેનો પ્રસાર થાય છે અને ચોથા સ્ટેજમાં આ મહામારીનું રૂપ ધારણ કરી લે છે. ઇટલી અને ચીન જેવા દેશ ચોથા સ્ટેજમાં છે.

ભારત હજુ બીજા સ્ટેજમાં છે. તેના પરથી અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે તેને સ્ટેજ-3મા જતો રોકવા માટે પીએમ મોદી મોટી જાહેરાત કરી શકે છે. ચર્ચા એવી છે કે પીએમ મોદી આખા દેશને લૉકડાઉન કરવાની જાહેરાત કરી શકે છે. કોરોનાની સૌથી ડરામણી તસવીર તો યુરોપના ઇટાલીની છે. આ સ્થિતિમાં ઉત્તરી ઇટલી, ફ્રાન્સની સંપૂર્ણ ગતિવિધિઓને ધીમી કરતા બધાને ઘરોમાં રહેવાની સલાહ આપી છે. ઓફિસના કામકાજને સંપૂર્ણપણે વર્ક ફ્રોમ હોમમાં ફેરવી દેવામાં આવે.

તેની સાથે જ વડાપ્રધાન મોદી ઝડપથી બદલાતા તાજા ઘટનાક્રમ અને તેને ઉકેલવા માટે સરકારની તરફથી ઉઠાવામાં આવેલા જરૂરી પગલાની માહિતી આપી શકે છે. કોરોના વાયરસના સંક્રમણના મામલામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 151 કેસ સામે આવી ચૂકયા છે.

વડાપ્રધાને આની પહેલાં બુધવારના રોજ એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી, જેમાં કોરોના વાયરસને ઉકેલવા અને આ બાબતની તૈયારીઓને મજબૂત કરવા પર ચર્ચા કરી. તેમાં તપાસની સુવિધા અંગે પણ વિસ્તારથી વાત કરાઇ.

ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના વધતા કેસને રોકવા માટે યુદ્ધસ્તરે તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દરરોજ તેની સમીક્ષા કરી રહ્યું છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ખતરા સામે લડવા માટે તંત્રને એલર્ટ રહેવા પર જોર આપ્યું છે. તેમણે અધિકારીઓ અને તકનીકી નિષ્ણાતોને આગળનું પગલું ભરવાને લઇ વિચાર કરવાનું પણ કહ્યું છે.

વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસનો મુકાબલો કરવામાં લાગેલી રાજ્ય સરકારો, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ, સેના અને અર્ધસૈનિક બળોની સાથે પણ અન્ય તમામનો આભાર માન્યો છે.

જેઠી મધનું સેવન કોરોના જેવા રોગોને રાખે દૂર

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં અત્યારો કોરોના વાઈરસની ચર્ચા છે. બદલાતા હવામાન અને કોરોના વાઈરસ સામે લડવા માટે તમારી બોડીને મજબૂત બનાવવી છે તો તમારી રોજિંદી લાઈફમાં જેઠી મધ(મુલેઠી)નો સમાવેશ કરી લો. મધની સાથે મુલેઠી અથવા કેન્ડીની જેમ જેઠી મધને ચુસવું તમને જાહેર સ્થળ પર કોઈપણ પ્રકારના ચેપથી બચાવી શકે છે.

બદલાતા મોસમમાં મોટાભાગના લોકોનો રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આનું મુખ્ય કારણ સતત વધતુ-ઘટતુ તાપમાન હોય છે, જેની સાથે આપણા શરીરને સંતુલન જાળવવામાં મુશ્કેલી આવે છે. આ સ્થિતિમાં, શરીરને એક્સ્ટ્રા સપોર્ટની જરૂર હોય છે, જે તેને વધુ એનર્જી આપી શકે. જેઠી મધ એક એવી આયુર્વેદિક દવા છે, જે આપણા શરીરમાં પાવર બૂસ્ટરની જેમ કામ કરે છે…

એવું નથી કે આપણે કોઈ રોગનો ભોગ બન્યા હોય ત્યારે જ જેઠી મધનું સેવન કરવું જોઈએ. જો તમે ઇચ્છો છો કે તમે હંમેશાં સ્વસ્થ અને તંદુરસ્ત રહો, તો તમારે ચોક્કસ માત્રામાં નિયમિત રીતે જેઠી મધનું સેવન કરવું જોઈએ. જેઠી મધના સેવનથી આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે અને  હાનિકારક બેક્ટેરિયા અને વાઈરસ આપણા શરીર પર ઝડપથી હુમલો નથી કરી શકતા. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો કોરોના વાયરસથી બચવા માટે જેઠી મધના સેવનની ભલામણ કરી રહ્યા છે. તે લિક્યોરસ અને લિકરિસના નામથી પણ ઓળખાય છે.

જેઠી મધ ગળા, કાન, આંખો અને નાકમાં થતાં રોગોથી સુરક્ષિત રાખે છે. સામાન્ય રીતે આપણને જે ચેપ લાગે છે તે શ્વાસ અને ગળા દ્વારા થાય છે. જેમ કે ઉધરસ, તાવ, છીંક આવવી વગેરે. આવી સ્થિતિમાં, જો તમને લાગે કે તમે કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યાં છો અને ગળા કે નાકમાં દુખાવો થઈ શકે છે, તો જેઠી મધના નાના ટુકડા પર મધ લગાવીને તેને ટોફીની જેમ ચૂસી શકો છો.

નિયમિતપણે જેઠી મધનું સેવન અસ્થમા જેવા રોગો સામે રક્ષણ આપે છે. કારણ કે તેમાં Expectorant ગુણ હોય છે. આ શરીરના હવાના માર્ગમાં કફના ઉત્સર્જનને સંતુલિત કરવાનું કામ કરે છે. આના સેવનથી વ્યક્તિ ગળામાં સોજો (બ્રોકાઈટિસ), અને અસ્થમા જેવા રોગોથી બચી શકે છે.

આ ઉપરાંત જેઠી મધનો તમારી રોજિંદી લાઈફમાં ઉપયોગ હ્રદય રોગ, અર્થરાઈટિંસ જેવી બિમારીઓથી બચાવે છે તો જેઠી મધમાં ગ્લાયસિરીઝિન અને કાર્બેનોક્સોલોન જેવા સક્રિય સંયોજનો હોવાને કારણે તેમારી પાચન શક્તિ વધારે છે.

સુવિચાર – ૧૯ માર્ચ, ૨૦૨૦

ભીડ ઘટાડો: મુંબઈની ‘બેસ્ટ’ બસોમાં ઊભીને પ્રવાસ ન કરવાની અપીલ

મુંબઈઃ કોરોના વાઈરસનો રોગચાળો મુંબઈમાં વધુ ન ફેલાય એ માટે મહારાષ્ટ્ર સરકાર અને મહાનગરપાલિકા વહીવટીતંત્ર એકદમ સતર્ક છે. રેલવે સ્ટેશનો પર અને બસ સ્ટોપ્સ કે એસ.ટી. બસ ડેપો ખાતે લોકોની ભીડ ઓછી થાય એ માટે લોકોને જરૂર વગર પ્રવાસ ન કરવાની અને શક્ય હોય તો ઘેરથી જ પોતપોતાનું કામ કરવાની સતત અપીલ કરવામાં આવી રહી છે.

મહાપાલિકા સંચાલિત ‘BEST’ કંપનીએ બસ પ્રવાસીઓને અપીલ કરી છે કે વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને બસમાં ભીડ ન કરવા અને આજથી ઊભીને પ્રવાસ ન કરવાની અપીલ કરી છે.

લોકલ ટ્રેનો તથા બસ જેવા જાહેર પરિવહન સેવાના સાધનો પર પ્રવાસીઓનો ભાર ઘટાડવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જાહેર ટ્રાન્સપોર્ટ સેવા સાધનો પર પ્રવાસીઓનો ભાર 50 ટકા જેટલો ઘટાડવાનું સરકારે નક્કી કર્યું છે.

ભારતમાં કોરોના વાયરસથી ગ્રસ્ત લોકોની સંખ્યા વધી રહી છે. કાલે સાંજથી પાંચ નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં કુલ 152 સંક્રમિત કેસો છે, આમાં 25 જણ વિદેશના છે. 14 જણ ઠીક થઇને ઘરે પહોંચ્યા છે, ત્રણના મોત થઇ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાનાં 45 કેસો નોંધાયા છે. આ રોગને કારણે મુંબઈમાં એક જણનું મરણ નિપજ્યું છે.

બેસ્ટ બસોને કોરોના વાઈરસના જંતુઓથી મુક્ત રાખવા માટે કંપની દ્વારા બસોમાં સતત સફાઈ કરાવવામાં આવી રહી છે. કર્મચારીઓ બસની સીટ તથા હેન્ડલ્સ વગેરેને સતત જંતુનાશકો વડે સ્વચ્છ કરતા રહે છે. (જુઓ આ તસવીરો)

પેટીએમ કેવાયસી નામે સાવધાન! ઠગનો ભોગ ન બનતા

નવી દિલ્હી: શું તમે ડિજીટલ પેમેન્ટ માટે પેટીએમ નો ઉપયોગ કરી રહ્યા છો? તો કેવાયસી (નો યોર કસ્ટમર) કરાવી લેજો નહીંતર તમે છેતપિંડીનો શિકાર બની શકો છો. કેવાયસીના નામે ઠગ લોકો તમારી પાસેથી તમારા બેંક ખાતાની માહિતી માંગી શકે છે. છેલ્લા થોડા સમયમાં અનેક એવા મામલાઓ સામે આવ્યા છે જેમાં ઘરે બેઠા કેવાયસીની સુવિધાના નામે લોકો સાથે છેતરપિંડી થઈ છે. જેથી તમારે પેટીએમ કેવાયસી ના નામ પર આવતા ફ્રોડ કોલ અને મેસેજથી સાવધાન રહેવાની જરૂર છે.

આ રાખો સાવધાની

  • જો કોઈ તમને પેટીએમ કેવાયસી વેરિફિકેશન માટે ફોન કે મેસેજ કરે તો, તેના પર ભરોસો ન કરો.
  • કોઈ અજાણી વ્યક્તિના કહેવા પર કોઈ એપ્લિકેશન ડાઉનલોડ ન કરો. ઠગ લોકો આ એપ્લિકેશન મારફતે તમારો ડેટા ચોરી શકે છે.
  • હંમેશા યાદ રાખો કે, ફોન કે મેસેજ દ્વારા કોઈપણ વોલેટ કંપની કેવાયસી વેરિફિકેશન નથી કરતી.
  • કંપની તેના ગ્રાહકોનું કેવાયસી માત્ર કંપની દ્વારા નિયુક્ત કરેલા એજન્ટ દ્વારા જ કરે છે.

મહત્વનું છે કે, કંપનીના એજન્ટો ગ્રાહકોની સામે જ તેનું કેવાયસી કરે છે. જો કે, ગ્રાહકોને એપ્લિકેશન મારફતે મિનિમમ કેવાયસીની સુવિધા આપવામાં આવે છે. સાયબર ઠગ કેવાયસીના અપડેટ કરાવવાના નામે ગ્રાહકોને ચૂનો લગાવી રહ્યા છે. જેથી કેવાયસી માટે તમને ફોન કે મેસેજ આવે તો સાવધાન રહેજો.

રાશિ ભવિષ્ય 19/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે,


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

પંચાંગ તા. 19/03/2020